Shakti Cyclone Update: શક્તિ વાવાઝોડું આજે યૂટર્ન લે તેવી શક્યતા, રાજ્યના દરિયાકાંઠામાં એલર્ટ જાહેર
Shakti Cyclone Update:શક્તિ નામના વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. .ભેજવાળા પવનોના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Shakti Cyclone Update: શક્તિ વાવાઝોડું આજે દરિયામાં યૂ ટર્ન લે તેવી સંભાવના છે. ગુજરાતના દરિયાકાંઠે સક્રિય થયેલું વાવાઝોડું યુ ટર્ન લઈને નબળું પડી જશે તેવું આંકલન હવામાનના મોડલ કરી રહ્યાં છે. ગુજરાતમાં વાવાઝોડાનો ખતરો લગભગ નહીંવત હોવાનો અનુમાન છે. તેમ છતાં પ્રશાસને દરિયાકાંઠાના વિસ્તારમાં એલર્ટ જાહેર કર્યું છે અને માછીમારોને દરિયો ન ખેડવા સૂચના અપાઇ છે.
શક્તિ નામના વાવાઝોડાના કારણે અમદાવાદ શહેરમાં ચાર દિવસ વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે. .ભેજવાળા પવનોના કારણે અમદાવાદ શહેરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.બુધવાર અને ગુરૂવાર સુધી હળવા વરસાદી ઝાપટા પડવાની હવામાન વિભાગની આગાહી છે. અમદાવાદના અલગ અલગ વિસ્તારમાં ગત રાત્રે વરસાદ વરસ્યો હતો. પ્રહલાદનગર, ઈસ્કોન, થલતેજ, ગોતા, રાણીપ, સેલા સહિતના વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો અને સોસાયટીના વિસ્તારો જળમગ્ન બન્યા હતા.શક્તિ વાવાઝોડાની અસરથી ગુજરાતમાં હળવાથી મધ્યમ ઝાપટાનું અનુમાન છે. 10 ઓક્ટોબર સુધી ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં હળવા ઝાપટા પડી શકે છે ,જો કે હવે પવનની ગતિ સામાન્ય રહેશે,
અરબી સમુદ્રમાં સર્જાયેલા શક્તિ વાવાઝોડાની વિપરીત અસરથી તમિલનાડુમાં પણ ભારે વરસાદ વરસ્યો. 23 શહેરમાં હજુ પણ ગુરૂવાર સુધી ભારે વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ચાલુ વર્ષે તમિલનાડુમાં વરસેલા વરસાદથી જનજીવનને વ્યાપક અસર થઇ છે.હવામાનનું રૂખ બદલાતા હવે બંગાળની ખાડીના બદલે વાવાઝોડા અરબી સમુદ્રમાં ઉદભવી રહ્યા છે. ગુજરાતના દરિયાકાંઠે ચક્રવાતનો ઉત્પાત બમણો થયો છે. છેલ્લા 25 વર્ષમાં ગુજરાતના દરિયાકાંઠે 22થી વધુ વખત વાવાઝોડા અને ડિપ્રેશનની એક્ટિવિટી જોવા મળી હતી.
ગુજરાત સાથે દેશના અનેક રાજ્યોમાં વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. બિહારના હાજીપુરમાં ભારે પવનને કારણે વૃક્ષ ધરાશાયી થયું છે. ઘર ઉપર તોતિંગ વૃક્ષ પડતા પરિવારના 4 લોકો દબાયા છે. એક મહિલાનું મૃત્યુ થયું છે. જ્યારે 3 ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. બિહારમાં ચાલુ વર્ષે ભારે વરસાદ અને પૂરમાં અત્યાર સુધીમાં દસ લોકોએ જીવ ગુમાવ્યો છે.
હિમાચલપ્રદેશના કુલ્લુમાં વીજળી પડતા દુર્ઘટના સર્જાઇ હતી. મહાદેવના મંદિર પાસે વીજળી પડ્યા બાદ આગ લાગી હતી. જો કે કોઇ જાનહાનિના અહેવાલ નથી.
ઉત્તર પૂર્વ ભારતમાં ચાલુ વર્ષે ભારે વરસાદે તારાજી સર્જી છે. અત્યાર સુધીમાં 105 લોકોનો ભોગ લેવાયા છે. પશ્ચિમ બંગાળના દાર્જિલીંગમાં વિદાય લેતા વરસાદે ખાના ખરાબી સર્જી છે. ભારે વરસાદથી ભૂસ્ખલન અને પૂરના કારણે 20ના મોત થયા છે. ચોમાસાની સિઝનમાં કૂલ ચાલીસનો લીધો ભોગ લીધો છે.




















