શોધખોળ કરો

Cyclone Tauktae: ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારોમાંથી 1.5 લાખ લોકોને કરાશે સ્થળાંતર, 54 NDRFની ટીમ તૈનાત

વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સંકટરૂપ રહેશે.

ગાંધીનગર: તૌકતે વાવાઝોડુ  ( Cyclone Tauktae) ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે જેને લઈ રાજ્યમાં ઓરેંજ એલર્ટ જાહેર કરાયું છે.  હવામાન વિભાગે કરી છે, 17 તારીખે તૌકતે ગુજરાત (Gujarat)ના દરિયાકાંઠે ટકરાશે. જેના પગલે દરિયાકાંઠાના વિસ્તારોમાંથી  1.5 લાખ લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. અને 54 NDRF ટીમ અને SDRFની ટીમો તૈનાત કરવામાં આવી છે. 

કચ્છના દરિયાકાંઠાના ગામોના અંદાજે 25 હજાર લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. કચ્છમાં NDRFની 2 અને SDRFની 1 ટીમ તહેનાત કરાઈ છે.. ગીર સોમનાથ જિલ્લામાં દરિયાકાંઠાના 24 ગામોના 12 હજારથી વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં NDRFની 2 ટીમ ફાળવાઈ છે.. જેમાની એક દ્વારકામાં અને બીજી ઓખામાં તહેનાત કરાઈ છે.

હવામાન વિભાગના અનુસાર તૌકતે વાવાઝોડું પોરબંદરથી ભાવનગરના મહુવા વચ્ચે ટકરાઈ શકે. વાવાઝોડું જ્યારે ગુજરાતના દરિયાકાંઠે ટકરાશે. ત્યારે તેની ઝડપ 150 થી 160 કિમી હશે. દરિયાકાંઠે દોઢથી 3 મીટર મોજા ઉછળશે.

વાવાઝોડાને લઈ 17 અને 18 તારીખે ભારેથી અતિભારે વરસાદ (Heavy Rain)ની આગાહી પણ કરાઈ છે. હવામાન વિભાગના અનુસાર બે દિવસ સૌરાષ્ટ્રના ખેડૂતો માટે સંકટરૂપ રહેશે. કારણ કે 17 અને 18 તારીખે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જ્યારે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં 20 મે સુધી ભારે વરસાદ વરસી શકે. છે.

હવામાન વિભાગે આગાહી કરી છે અમદાવાદ અને ગાંધીનગર સહિતના શહેરોમાં વાવાઝોડાની અસર જોવા મળશે.  

વાવાઝોડાને પગલે જુનાગઢ, ગીર સોમનાથ, દીવ, જામનગર, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, કચ્છમાંભારેથી અતિ ભારે વરસાદની આગાહીને પગલે ૧૭-૧૮ મેના રેડ એલર્ટ જાહેર કરાયું છે.  વાવાઝોડાને પગલે ૧૬ મેના સાંજથી વેરી સિવીયર સાયક્લોનિક સ્ટ્રોમમાં ફેરવાવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ૧૭ મેના ૧૪૫થી ૧૫૫ કિલોમીટર પ્રતિ કલાક જ્યારે ૧૮ મેના ૧૫૦-૧૬૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઇ શકે છે. ૧૯ મેથી વાવાઝોડાની તીવ્રતા ઘટવા લાગશે. સોમવારથી જ રાજ્યના અનેક જિલ્લામાં વાવાઝોડાની અસર વર્તાવવાનું શરૃ થઇ જશે અને જેના પગલે ગુજરાતના અનેક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડે તેની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. 

 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Valsad Rains: વલસાડના રામવાડી વિસ્તારમાં બિલ્ડીંગ નો સ્લેબ થયો ધરાશાયીHu to Bolish | હું તો બોલીશ | ગ્રામીણ માટે વરદાન, શહેરો માટે અભિશાપHu to Bolish | હું તો બોલીશ | અમદાવાદીઓને કાળા પાણીની સજા!Surat Rains: ઉના વિસ્તારમાં DGVCLનું ટ્રાન્સફોર્મર ધરાશાયી, સીસીટીવી સામે આવ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
બજેટ પહેલા સામાન્ય જનતાને રાહત, એલપીજીના ભાવમાં થયો ઘટાડો, જાણો કેટલો ભાવ ઘટ્યો
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
T20 World Cup 2024: અમેરિકામાં ફસાઈ ગઈ વર્લ્ડ ચેમ્પિયન ભારતીય ટીમ, દેશ પરત ફરવામાં થશે વિલંબ! મોટું કારણ આવ્યું સામે
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
Coffee In High BP: શું હાઈ બીપીવાળાઓએ કૉફી ન પીવી જોઈએ? આ રહ્યો જવાબ
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
T20 વર્લ્ડ કપ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા માટે BCCIએ 125 કરોડ રૂપિયાના ઈનામની જાહેરાત કરી
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
ITR Filing: 31 જુલાઈ પછી પણ આઈટીઆર ફાઈલ કરવા પર આ લોકોને નહીં લાગે દંડ, જાણો કેમ?
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
કામની વાતઃ જો એમઆરપી કરતાં વધુ કિંમતે કોઈ સામાન વેચે તો અહીં કરો ફરીયાદ, જાણો હેલ્પલાઈન નંબર
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
Gujarat Rain: હવામાન વિભાગે આગામી ત્રણ કલાક રાજ્યના આ બે જિલ્લાઓમાં કરી ભારે વરસાદની આગાહી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
ચેમ્પિયન બન્યા બાદ આ ગુજરાતી ક્રિકેટરની ઇન્ટરનેશનલ ટી-20 ક્રિકેટમાંથી નિવૃતિ, પોતે આપી જાણકારી
Embed widget