શોધખોળ કરો

ગુજરાતનું કયું જાણીતું મંદિર 30 દિવસ બાદ ભક્તો માટે ખુલ્લુ મુકાયું? જાણો દર્શન કરવા શું છે પ્રોસેસ

પ્રસિદ્ધ યાત્રાધામ મંદિરના દ્વાર 30 દિવસ બાદ 19 ઓગસ્ટ એટલે આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોએ દર્શન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

નડિયાદ: પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોરના રણછોડરાય મંદિરના દ્વાર 30 દિવસ બાદ 19 ઓગસ્ટ એટલે આજથી દર્શનાર્થીઓ માટે ખોલવામાં આવ્યા છે. ભક્તોએ દર્શન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. મહત્વાની વાત એ છે કે, હાલ સુરત જિલ્લાના દર્શનાર્થીઓને પ્રવેશ આપાવમાં આવશે નહીં. ડાકોર મંદિરની કમિટીએ એક યાદીમાં જણાવ્યું હતું કે, સરકારની ગાઈડલાઇન પ્રમાણે ડાકોર મંદિર 19 ઓગસ્ટ એટલે આજથી ખુલ્લું મૂકવામાં આવ્યું છે. આ માટે ભક્તોએ મંદિરની વેબસાઈટ કે મંદિરની મોબાઇલ એપ પર રજીસ્ટ્રેશન કરાવીને ઈ-ટોકન મેળવવાનું રહેશે. આ ટોકન દર્શન પ્રવેશદ્વારે બતાવ્યા બાદ જ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે. આ ઉપરાંત ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવનારા ભક્તોએ આધાર કાર્ડ પણ સાથે લાવવાનું રહેશે. દર્શનાર્થીઓએ વાહનો કે અન્ય સ્થળે પગરખા મૂકીને જ દર્શન કરવા આવવું પડશે. પરિસરમાં પગરખા સાથે પ્રવેશ આપવામાં આવશે નહીં. મંદિરમાં પ્રવેશ અપાતા પહેલા ભક્તોનુ ટેમ્પરેચર ચેક કરવામાં આવશે. કોઈ વ્યક્તિ બિમાર જણાય તો તેને એન્ટ્રી આપવામાં આવશે નહીં. ઉલ્લેખનીય છે કે, મંદિર પરિસરની આસપાસ કોરોનાના કેસ વધતા 20 જુલાઈથી મંદિરના દ્વાર દર્શનાર્થીઓ માટે બંધ કરાયા હતા.
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget