શોધખોળ કરો

Gujarat: દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આ તારીખે આવશે ગુજરાત, આ વિસ્તારમાં કરશે જનસભા

આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી.

અમદાવાદ: આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રભારી સંદીપ પાઠક જેઓ મંગળવારે ગુજરાતની મુલાકાતે હતા. લોકસભાની ચૂંટણીની તૈયારીના ભાગરૂપે તેમણે પક્ષના કાર્યકરો સાથે બેઠક કરી હતી. આ પહેલા સંદીપ પાઠકે AAPના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના પરિવાર સાથે મુલાકાત કરી હતી. આ સાથે તેમને આશ્વાસન આપ્યું કે પાર્ટી તેમની સાથે છે. આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ ફરી એકવાર ગુજરાતની મુલાકાતે આવશે. અરવિંદ કેજરીવાલ 7 જાન્યુઆરીએ ગુજરાત આવશે. આ દરમિયાન ચૈતર વસાવાના મત વિસ્તારમાં જનસભા કરશે. ગુજરાત AAPના પ્રભારી સંદીપ પાઠકે આ અંગે માહિતી આપી છે. 

ત્યારબાદ સંદીપ પાઠકે લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી. ચૂંટણીની રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની સમક્ષી કરી હતી. 

ગુજરાત વિધાનસભાની ગત ચૂંટણીમાં 5 બેઠકો જીત્યા બાદ આમ આદમી પાર્ટી નવા ઉત્સાહ સાથે ફરી મેદાનમાં ઉતરશે. આપ દ્વારા ગુજરાતની લોકસભાની તમામ બેઠકો પરથી ચૂંટણી લડવાની ઘોષણા અગાઉથી કરી દેવામાં આવી છે. જેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી છે. આમ આદમી પાર્ટીના ગુજરાતના પ્રદેશ પ્રભારી અને રાજ્યસભાના સાંસદ ડો.સંદીપ પાઠક આજે ગુજરાતની મુલાકાતે આવ્યા છે. 

લોકસભા ચૂંટણીની તૈયારીના ભાગરૂપે અલગ-અલગ પદાધિકારીઓ, ધારાસભ્યો અને સંગઠનના હોદ્દેદારો સાથે તેમણે મિટિંગ કરી હતી. આગામી લોકસભા માટે રણીનીતિ અને સંગઠનાત્મક જે કામગીરી ચાલી રહી છે તેની એક રીવ્યુ બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. 

સંદીપ પાઠકે વધુમાં જણાવ્યું હતું કે ચૈતર વસાવા લોકોના પ્રિય નેતા છે. ત્યારે અરવિંદ કેજરીવાલ તેમના મત વિસ્તારમાં જનસભા સંબોધશે. અરવિંદ કેજરીવાલની સાથે પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ ઉપસ્થિત રહેશે. ગુજરાત વિધાનસભા ચૂંટણી બાદ અરવિંદ કેજરીવાલ પહેલીવાર ગુજરાત આવશે. 

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન 7 જાન્યુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે આવશે. મુખ્યમંત્રી કેજરીવાલ અને ભગવંત માન  ધારાસભ્ય ચૈતર વસાવાની વિધાનસભામાં જંગી જનસભાને સંબોધશે. ચૈતર વસાવાની જે રીતે વનકર્મીને માર મારવાની ઘટનામાં ફરિયાદ નોંધીને ધરપકડ કરવામાં આવી છે તેને લઈને  ડેડિયાપાડા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ અરવિંદ કેજરીવાલ તેમના વિધાનસભાની મુલાકાતે આવે તેવી માગ કરી હતી. 

      

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ

વિડિઓઝ

Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Hun To Bolish : હું તો બોલીશ : ઑટોમેટિક ટોલનાકું
Hun To Bolish : હું તો બોલીશ : તોફાની વાંદરાઓનો ત્રાસ !
Hun To Bolish: હું તો બોલીશ : મજૂરોનું ગૌરવ ક્યારે ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
મોરબી ભાજપમાં 'ગઢ આલા પણ સિંહ ગેલા' જેવો ઘાટ! બહુમતી મળવા છતાં કોંગ્રેસના ઉમેદવાર બનશે જિલ્લા પંચાયત પ્રમુખ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
બંગાળમાં કોણ મારશે બાજી? એક્ઝિટ પોલના અનુમાનો વચ્ચે અખિલેશ યાદવે કરી મોટી ભવિષ્યવાણી
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
T20 વર્લ્ડ કપ 2026 માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, જાણો કોને મળી તક અને કોનું પત્તું કટ થયું?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
LPG ધારકો સાવધાન! 1 મેથી બદલાયા નિયમો, આ ભૂલ કરશો તો ગેસ કનેક્શન થશે બંધ
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Weather Update: રાજ્યમાં ફરી કમોસમી વરસાદના એંધાણ, અંબાલાલ પટેલે કરી મોટી આગાહી
Embed widget