શોધખોળ કરો

Junagadh: લીલી પરિક્રમાને લઈ ગરવા ગિરનાર ખાતે ભક્તોનું આગમન શરુ, સુરક્ષાને લઈને પોલીસે કરી ખાસ વ્યવસ્થા

જુનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે ૧૨ નવેમ્બરથી શરૂ થશે. આ પૂર્વે જ ભવનાથ પંથકમાં હાલ પરિક્રમા કરવા માટે ભાવિકોનું  આગમન શરૂ થઈ ચૂક્યું છે.

જુનાગઢ: ગરવા ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે ૧૨ નવેમ્બરથી શરૂ થશે. આ પૂર્વે જ ભવનાથ પંથકમાં હાલ પરિક્રમા કરવા માટે ભાવિકોનું  આગમન શરૂ થઈ ચૂક્યું છે. જૂનાગઢના ભવનાથ તળેટીમાં હાલ લીલી પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ ભાવિકોએ ડેરા જમાવ્યા છે. પ્રકૃતિના ખોળે ચૂલા ઉપર રસોઈ બનાવી ભાવિકો અહીં અનેરો આનંદ ઉઠાવી રહ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે લીલી પરિક્રમા શરૂ થાય તે પૂર્વે જ ભાવિકોનું આગમન થઈ જતું હોય છે. જે અંતર્ગત આ વર્ષે પણ એ જ પ્રકારના દ્રશ્યો ફરી જોવા મળી રહ્યા છે.

કોઈ ભાવિક પ્રથમ વખત લીલી પરિક્રમા કરવા માટે આવેલ હોવાનું જણાવેલ તો કોઈ આ પૂર્વે પણ અનેક લીલી પરિક્રમા કરી ચૂકેલ હોવાનું ભાવિકોએ જણાવ્યું હતું. તો બીજી તરફ તંત્ર દ્વારા 20 જેટલી પરિક્રમા રૂટ પર  રાવટીઓ ઊભી કરી છે. પાણીના 15  પોઇન્ટ બનાવ્યા છે અને 20 જેટલા બોર પણ કર્યા છે. આ ઉપરાંત પરિક્રમા દરમિયાન પ્લાસ્ટિક પર પ્રતિબંધ રહેશે. મહત્વનું છે કે ભવનાથથી ઝીણા બાવા મઢી, માળવેલા અને બોરદેવી સહીતના મહત્વના પડાવ સાથે કુલ 36 કીમીની પરિક્રમા હોય છે. જે આ વર્ષે 12 થી 15 નવેમ્બર દરમિયાન યોજાશે.

લીલી પરિક્રમા પૂર્વે જિલ્લા પોલીસ વડાએ પ્રતિક્રિયા આપી છે. ટ્રાફિક સમસ્યાન સર્જાય તે માટે લોકોને સહકાર આપવા SP હર્ષદ મેહતાએ અપીલ કરી છે. તેમણે વધુમાં કહ્યું કે, શહેરના 427 કૅમેરાઓથી સતત નજર રાખવામાં આવશે. 9 Dysp, 27 PI ,92 psi,914 પોલીસ કર્મચારીઓ,500 હોમગાર્ડ, 885 GRD જવાનો ખડેપગે સુરક્ષા માટે તૈનાત રહેશે. આ ઉપરાંત 1 SDRF ટીમ, 13 સરવેલન્સ ટીમ,8 she ટીમ પણ ફરજ બજાવશે. આ ઉપરાંત બોડીવોરન કેમેરા 210, રસા 19, અગ્નિશામક 49,વાયરલેસ સેટ 40, રાવટી 47,વોકોટોકી 195 જેવા આધુનિક સાધનો સાથે પોલીસ કર્મી ફરજ પર રહેશે. ચોરી, લૂંટફાટ જેવી ઘટના કે આકસ્મિક ઘટનાઓ પર પોલીસ દ્વારા સતત નજર રાખવામાં આવશે. 

દામોદર કુંડમાં સ્નાન સાથે શરૂ થાય છે પરિક્રમા

ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ અગિયારસથી પૂનમ સુધી ચાલે છે. જેમાં ભાવિકો  એકાદશીના દિવસે દામોદર કુંડમાં સ્નાન કરી, દામોદરજીના દર્શન કરી, ભવનાથ મહાદેવ દૂધેશ્વર મહાદેવના દર્શન કરી, ગિરનાર તળેટીમાં રાત્રિ પસાર કરે છે. અગિયારસની રાત્રીએ લીલી પરિક્રમાનો વિધિવત આરંભ થાય છે.

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. કહેવાય છે લીલી પરિક્રમા સદીઓથી ચાલતી પરંપરા છે. ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ વખત 33 કોટી દેવતાઓના વાસ અને હિમાલયના દાદા ગણાતા ગિરનારની પરિક્રમા કરી હતી. જે કોઈ આ પરીક્રમા કરે છે એ સાત જન્મનું પુણ્યનું ભાથું બાંધી લે છે તેવી લોકવાયકા છે.

આ પણ વાંચો...

Mehsana: મહેસાણામાં માત્ર એક જ મહિનામાં 40 નવજાતોના મોત થતા ખળભળાટ, આરોગ્ય મંત્રીએ આપ્યો આ જવાબ

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!

વિડિઓઝ

Muslim community in Valsad: વલસાડમાં ગૌ હત્યા મુદ્દે મુસ્લિમ સમાજનો મોટો નિર્ણય
Palanpur Murder Case: પાલનપુરમાં યુવકની હત્યાના આરોપમાં પોલીસે છ આરોપીની કરી ધરપકડ
Ahmedabad Police : થર્ટી ફર્સ્ટને લઈ અમદાવાદ પોલીસનું જાહેરનામું
Vadodara Incident : વડોદરામાં મનપાની બેદરકારીએ લીધો યુવકનો જીવ
Rajkot News: રાજકોટના લીમડા ચોકમાં ટ્રાવેલ્સની ઓફિસમાં મારામારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
વલસાડના સરીગામમાં ગૌ હત્યાથી મુસ્લિમ સમાજ રોષે ભરાયો! લીધો એવો નિર્ણય કે આખો દેશ સલામ કરશે
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Silver Price Today: માત્ર 7 દિવસમાં ચાંદી ₹27,000 મોંઘી! ભાવ સાંભળીને હોશ ઉડી જશે, સોનાએ પણ તોડ્યા રેકોર્ડ
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
Gold Prices: 22 Carat સોનું ભૂલી જશો! બજારમાં આવ્યો નવો ટ્રેન્ડ, સસ્તામાં મળે છે મજબૂત દાગીના
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
SIR પ્રક્રિયાઃ મતદાર યાદીમાંથી BJP ધારાસભ્યના ભાઈનું નામ જ ચૂંટણી પંચે કાઢી નાંખ્યું!
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Ahmedabad: પેલેડિયમ મૉલમાં ક્રિસમસની સજાવટને લઈ હિન્દુ સંગઠનો નારાજ, મૉલમાં જઈ નોંધાવ્યો વિરોધ
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
Kutch Earthquake: કચ્છમાં આવી શકે વિનાશકારી ભૂકંપ? જાણો જિયોલોસ્ટે શું વ્યક્ત કરી આશંકા
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
બિલ્ડરોની મનમાની હવે નહીં ચાલે: RERA માં ઓનલાઈન ફરિયાદ કરવાની સ્ટેપ-બાય-સ્ટેપ પ્રોસેસ જાણો
"મનરેગા નાબૂદ કરવી એ ગરીબો પર વાર..." CWC બેઠકમાં ખડગેનો કેન્દ્ર સરકાર પર હુમલો
Embed widget