શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
કોરોનાનો પ્રકોપ ઓછો થતાં આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં આરતીના સમયે ભાવિકો કરી શકશે દર્શન
કોરોના મહામારી દરમિયાન સોમનાથ મંદિર તો ભક્તો માટે ખોલવામા આવ્યું હતું. પરંતુ, આરતી સમયે ભક્તોની ભીડ થતી હોય આરતીમાં પ્રવેશ બંધ રખાયો હતો.
![કોરોનાનો પ્રકોપ ઓછો થતાં આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં આરતીના સમયે ભાવિકો કરી શકશે દર્શન Devotees will be able to perform darshan at Somnath Mahadev temple during Aarti from today as corona cases are less કોરોનાનો પ્રકોપ ઓછો થતાં આજથી સોમનાથ મહાદેવ મંદિરમાં આરતીના સમયે ભાવિકો કરી શકશે દર્શન](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/02/06140632/somnath.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પ્રથમ જ્યોર્તિલિંગ સોમનાથ મંદિરની આરતીમા આજથી ભક્તો હાજર રહી શકશે. રાજયમાં કોરોનાનું સંક્રમણ ઘટતા મંદિરમાં થતી ત્રણેય આરતીમાં ભાવિકોને પ્રવેશ આપવાનો નિર્ણય લેવાયો છે.
કોરોના મહામારી દરમિયાન સોમનાથ મંદિર તો ભક્તો માટે ખોલવામા આવ્યું હતું. પરંતુ, આરતી સમયે ભક્તોની ભીડ થતી હોય આરતીમાં પ્રવેશ બંધ રખાયો હતો. જો કે, હવે ભક્તો આરતી સમયે પ્રવેશ મેળવી શકશે. આરતી સમયે ભક્તો મંદિરમાં ઉભા રહી શકશે નહીં. ચાલતા જ રહી આરતીનો લાભ લઈ શકશે.
આ સાથે જ અહલ્યાબાઈ મંદિર મંદિર, શ્રી રામ મંદિર, ગીતા મન્દિર, લક્ષ્મીનારાયણ મંદિર, ભીડીયા મંદિરમાં પણ આરતીમાં પ્રવેશ આપવામાં આવશે તેમજ તારીખ 06 ફેબ્રુઆરી થી સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શનનો સમય સવારે 06 થી રાત્રે દસ વાગ્યાનો રહેશે.
ફરજ પરના ટ્રસ્ટનાં કર્મચારીઓ, પોલીસ, એસ.આર.પી.ની સુચના અને વ્યવસ્થા પ્રમાણે લાઈનમાં ચાલતા રહીને જ આરતીમાં દર્શન કરવાના રહેશે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
ગુજરાત
દેશ
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)