![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Earthquake: ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, જાણો કયા શહેરમાં અડધીરાત્રે ભૂકંપ આવતા લોકો ગભરાયા
રિપોર્ટ અનુસાર, કચ્છમાં આજે આવેલો ભૂકંપ કચ્છ પાકિસ્તાન સરહદ પર આવ્યો છે, જોકે, આ ભૂકંપની ઘટનામાં કોઇ જાનમાલને નુકસાન પહોંચ્યુ નથી.
![Earthquake: ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, જાણો કયા શહેરમાં અડધીરાત્રે ભૂકંપ આવતા લોકો ગભરાયા Earthquake: second day continue kutch earthquake in midnight at last night Earthquake: ગુજરાતમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા, જાણો કયા શહેરમાં અડધીરાત્રે ભૂકંપ આવતા લોકો ગભરાયા](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/30/7b0b330e5a0bc2fb28b557b6f2e416931688138462390653_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Earthquake News: ગુજરાતમાં ફરી એકવાર ધરા ધ્રૂજી છે, સળંગ બીજા દિવસે કચ્છમાં ભૂકંપના આંચકા આવતા લોકોમા ભયનો માહોલ ફેલાયો છે. આજે કચ્છના ખાવડાથી 30 કિમી દૂર ભૂકંપનો આંચકો અનુભવાયો હતો, આ આંચકાની તીવ્રતા 3.0 ની હોવાનું સામે આવ્યુ છે. અચાનક ફરી એકવાર ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ફફડાટ ફેલાયો છે, રિપોર્ટ અનુસાર, કચ્છમાં આજે આવેલો ભૂકંપ કચ્છ પાકિસ્તાન સરહદ પર આવ્યો છે, જોકે, આ ભૂકંપની ઘટનામાં કોઇ જાનમાલને નુકસાન પહોંચ્યુ નથી.
આ પહેલા ગઇકાલે પણ કચ્છમાં આવ્યો હતો ભૂકંપ -
તાજા સમાચાર પ્રમાણે, ગઇ રાત્રે કચ્છમાં ભૂકંપ આવ્યાનો અહેવાલો મળી રહ્યાં હતા, ગઇકાલે રાત્રે કચ્છમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા, આ આંચકો 3.0 ની તીવ્રતાનો હતો અને મોડી રાત્રે 12.16 કલાકની આજુબાજુ આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ. ભૂકંપનું કેન્દ્ર બિન્દુ કચ્છના ખાવડાની નૉર્થ વેસ્ટમાં 35 કિમી દુર નોંધાયુ હતુ. ખાસ વાત છે કે, કચ્છમાં અચાનક મોડી રાત્રે આવેલા ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ છવાયો હતો.
ભારતમાં આવી શકે છે મોટો ભૂકંપ
તાજેતરના તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપથી ભારે તબાહી સર્જાઈ હતી. હજારો લોકોએ જીવ ગુમાવ્યા અને લાખો લોકો બેઘર બન્યા. તે જ સમયે, ભારતમાં પણ આવા જ ભૂકંપનો ખતરો તોળાઈ રહ્યો છે. એક અગ્રણી હવામાનશાસ્ત્રી અને ભૂસ્તરશાસ્ત્રીએ ચેતવણી આપી છે કે ભારતીય ટેક્ટોનિક પ્લેટ દર વર્ષે લગભગ 5 સે.મી. આગળ વધી રહી છે, જેના કારણે હિમાલયના લેન્ડમાસમાં તણાવ વધી રહ્યો છે. જાણકારોના મતે આગામી દિવસોમાં મોટો ભૂકંપ આવે તેવી શક્યતાઓ વધી રહી છે.
મંગળવારે (21 ફેબ્રુઆરી) ANI સાથે વાત કરતા, હૈદરાબાદ સ્થિત નેશનલ જીઓફિઝિકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ (NGRI)ના મુખ્ય વૈજ્ઞાનિક અને સિસ્મોલોજિસ્ટ ડૉ. એન પૂર્ણચંદ્ર રાવે જણાવ્યું હતું કે, "પૃથ્વીની સપાટી વિવિધ પ્લેટો ધરાવે છે, જે સતત ફરતી રહે છે. ભારતીય ટેકટોનિક પ્લેટ છે. દર વર્ષે 5 સેમી પણ આગળ વધે છે. પરિણામે આવનારા દિવસોમાં ધરતીકંપની શક્યતા વધી ગઈ છે
ભૂકંપ આવે તો શું કરવું ?
ભૂકંપના ઝટકા જેવા આવે તુરંત વાર કર્યા વગર ઓફિસ કે ઘરની બહાર નિકળી જવું.
વીજળીના થાંભલા, ઝાડ અને ઉંચી ઈમારતથી દૂર ઉભા રહેવુ.
ઘર કે ઓફિસ બહાર જતી વખતે લીફ્ટનો ઉપયોગ ન કરવો, સીડીનો ઉપયોગ કરવો.
ઘર આસપાસ જો મેદાન ન હોય તો એવી જગ્યા શોધો જ્યા છૂપાઈને બેસી શકાય.
ભૂકંપ આવે ત્યારે ખાસ કરીને ઘરમાં રહેલી ભારે વસ્તુથી દૂર રહેવું.
ઘરમાં રહેલા ભારે સામાન અને કાચથી દૂર રહેવુ જેથી વાગવાની શક્યતા ન રહે.
ભાગવાનો સમય ન મળે તો ટેબલ, પલંગ, ડેસ્ક જેવી મજબૂત જગ્યા નીચે ઘૂસી જવું.
દરવાજા હોય ત્યા ન ઉભા રહેવું જેથી દરવાજો ખુલે કે પડે તો વાગે નહીં.
ભૂકંપની તીવ્રતા કેવી રીતે મપાય છે ?
7.9 રિક્ટર સ્કેલ પર ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ જાય છે. ત્યારે 2.9 રિક્ટર સ્કેલ ભૂકંપ આવવા પર સામાન્ય ધ્રૂજારી થાય છે. જ્યારે 9ની તીવ્રતા પર તબાહી મચી જાય છે. આપણે બતાવીએ ભૂકંપની કેટલી તીવ્રતા આવાથી શું થઇ શકે અને તેની અસર કેવી થાય.
0થી 2 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતા તેની અસર ઓછી થાય છે. આંચકાનો અનુભવ થતો નથી. માત્ર સીઝ્મોગ્રાફથી જ જાણી શકાય છે.
2થી 2.9 રિક્ટર સ્કેલઃ આ ભૂંકપ આવવાથી સામાન્ય આંચકો અનુભવાય છે. થોડી અસર થાય છે.
3થી 3.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવતાં પંખા અને ઝુમર હલવા માંડે છે. આવા આંચકાથી વસ્તુઓ વેર વિખેર થઇ જાય છે. તમારી બાજુમાંથી કોઇ ટ્રક પસાર થયો હોય તેવી અસર થાય છે.
4થી 4.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ એ સાવધાનનો ઇશારો આપે છે. દિવાલોમાં તિરાડો પડી શકે છે. કાચા મકાનો નીચે પડે છે. બારીઓ તૂટી શકે છે. દીવાલો પર લટકાવેલી વસ્તુઓ નીચે પડી શકે છે.
5થી 5.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ ખતરનાક સાબિત થાય છે. ફર્નિચર તેની જગ્યા પરથી હલવા માંડે છે. વધુ નુકશાન થાય છે. ફર્નિચર હલવાથી નાની મોટી ઇજાઓ પણ પહોંચે છે.
6થી 6.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ બહુજ ખતરનાક માનવામાં આવે છે. આ આંચકો આવાથી કાચી ઇમારતો વધુ પડે છે. જેથી જાનમાલને વધુ નુકશાન થાય છે. ઇમારતોના ઉપરના માળને નુકસાન થઇ શકે છે. ઇમારતોમાં તિરાડો પડી શકે છે.
7થી 7.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર બિલ્ડીંગો ધરાશાયી થઇ શકે છે. જમીનની અંદરના પાઇપ ફાટી જાય છે. આ ભૂકંપ આવાથી વધુ તબાહી મચાવી છે. આવો ભૂકંપ ગુજરાતમાં વર્ષ 2001માં ભૂજમાં આવ્યો હતો. અને વર્ષ 2015માં નેપાળમાં આવ્યો હતો. આ ભૂકંપે તબાહી મચાવી દીધી હતી.
8થી 8.9 રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવાથી સંપૂર્ણ વિનાશ કરી દે છે. ઇમારતો સહિત પુલ પડી જાય છે.
9 અને તેનાથી વધુ રિક્ટર સ્કેલઃ આ ભૂકંપ આવવા પર સંપૂર્ણ તબાહી સર્જાઇ શકે છે. કોઇ મેદાનમાં ઉભા હોઇએ તો તેને ધરતી લહેરાતી જોવા મળે. સમુદ્ર નજીક હો તો સુનામી આવે. ભૂકંપમાં રિક્ટર દરેક સ્કેલના મુકાબલે 10 ગણો વધુ ખતરનાક હોય છે.
Join Our Official Telegram Channel: https://t.me/abpasmitaofficial
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)