શોધખોળ કરો

Farmer suicide:  ધારી તાલુકાના ખેડૂતે આત્મહત્યા કરતા ચકચાર, ખિસ્સામાંથી મળી બેન્કની નોટિસ 

અમરેલીના ધારી તાલુકાના છતડીયા ગામે જ્યાં એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. બાબુભાઈ રવોદ્રા નામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.

અમરેલી: અમરેલીના ધારી તાલુકાના છતડીયા ગામે જ્યાં એક ખેડૂતે આત્મહત્યા કરી લેતા હડકંપ મચી ગયો છે. બાબુભાઈ રવોદ્રા નામના ખેડૂતે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.  તેમના ખિસ્સામાંથી બેન્કની નોટિસ મળી આવી છે. મૃતક બાલુભાઈએ આર્થિક સંકડામણના કારણે આત્મહત્યા કર્યા હોવાનું મનાઈ રહ્યું છે.  હાલ તો ધારી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી છે.

મૃતક ખેડૂતના દિકરાએ કહ્યું હતું કે, ત્રણ વિઘા જમીન છે. તેમના પિતાએ બેંકમાંથી લોન લીધી હતી. જે ભરી દેવા માટે બેંક દ્વારા નોટિસ મળતી હોવાના કારણે આત્મહત્યા કરી હોવાનું જણાવ્યું હતું.  

બેંક તરફથી નોટિસો આવી રહી હતી

ધારી તાલુકાના છતડીયા ગામે રહેતા ખેડૂત બાલુભાઈ ઓધવજીભાઈ રાવોદરા ઉંમર વર્ષ 53 કે જેણે ત્રણ વીઘા જમીન છે. આ ખેડૂતે  ધારી બેંકમાંથી લોન લીધેલ હોય 4 લાખ જેવી અંદાજિત રકમ બાકી હોય અવારનવાર બેંક તરફથી નોટિસો આવી રહી હતી. ગત રાત્રે પોતાને જ ઘેરે ગળાફાંસો ખાય જીવન ટૂંકાવ્યું હતું.  પરિવારને સવારે ખબર પડતાં પરિવાર ઉપર આભ ફાટી પડ્યું હતું. 

બે પુત્રો અને એક પુત્રી ઉપર આભ ફાટ્યું

ખેડૂતે આપઘાત કરતા પરિવારના બે પુત્રો અને એક પુત્રી ઉપર જાણે આભ ફાટ્યું હોય તેવી મુશ્કેલી ઊભી થઈ છે.  હાલ તો પરિવાર અને સગા સંબંધીઓ શોકમાં ગરકાવ થઈ ગયા છે.  સવારે મૃતકને ધારી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પી એમ માટે ત્યારે મૃતકના ખીસ્સામાંથી કોઈ સુસાઇડ નોટ મળી નથી પરંતુ બેંક તરફથી આપવામાં આવેલી ચાર લાખની ઉઘરાણીની નોટિસ મળી આવી છે. પોલીસે તેને કબજે લીધી છે.  સમગ્ર ઘટનાની માહિતી મૃતક બાલુભાઈના ભત્રીજાએ આપી હતી. 

પોલીસના જણાવ્યા અનુસાર,  ધારી તાલુકાના છતડીયા ગામના એક ખેડૂત બાલુભાઈ ઉંમર વર્ષ 50 ગઈકાલે પોતાને ઘેર ગળાફાંસો ખાય જીવન ટૂંકાવવાની ઘટના ધારી પોલીસ મથકમાં તેમના પુત્રએ જાણ કરતા ધારી પોલીસે છતડીયામાં બાલુભાઇને ઘેર આવી અને તપાસ હાથ ધરી હતી.  પ્રાથમિક અનુમાન મુજબ પોલીસને મૃતક બાલુભાઈના ખીસ્સામાંથી બેંકની નોટિસ મળી આવી હતી.  જેથી આર્થિક સંકળામણ હોવાનું અનુમાન પોલીસે લગાવ્યું હોવાનું જાણવા મળી રહે છે. બાલુભાઈની ડેડબોડીને ધારી પોલીસ દ્વારા સરકારી દવાખાને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપવામાં આવી હતી.  મૃત્યુનું સાચું કારણ હજુ પોલીસના વધુ ઇન્વેસ્ટિગેશન બાદ જાણવા મળી શકે તેમ છે હાલ તો ધારી પીઆઈ આ ઘટનાની તપાસ કરી રહ્યા છે.

 

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read More
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
ગુજરાતના ધારાસભ્યોને જલસા! મુસાફરી ભથ્થાના નિયમોમાં થયો ફેરફાર, હવે આ ટ્રેનોમાં મફતમાં કરી શકશે સફર
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રોઝડું આડું ઉતરતા સોમનાથથી દ્વારકા જતી બસ પલટી: 2 શ્રદ્ધાળુઓના કમકમાટીભર્યા મોત, અનેક ઘાયલ
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?
રબારી સમાજમાં હવે સગાઈ-લગ્નના નિયમો બદલાયા, જાણો કયા પ્રસંગે કેટલો દંડ ભરવો પડશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાટીલ મંત્ર 'હું નહીં,આપણે'
Hun To Bolish : હું તો બોલીશ : કોંગ્રેસમાં 'રેસના ઘોડા' કોણ?,'બલિના બકરા' કોણ?
Hun To Bolish: હું તો બોલીશ : હેલ્મેટનો સગવડિયો નિયમ !
Morbi Politics: મોરબી જિલ્લા પંચાયતમાં ભાજપની જીત છતાં મોટો ઝટકો
Ambalal Patel Prediction: રાજ્યમાં ફરી કમોસમી વરસાદની અંબાલાલ પટેલે કરી મોટી આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
રાજકોટના આજીડેમમાં મોટી દુર્ઘટના: એક જ પરિવારના 4 લોકો ડૂબ્યા, પિતા-પુત્રો અને ભાણેજનો ભોગ લેવાયો
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
આગામી 48 કલાક સાચવજો! દેશમાં વાવાઝોડા, કરા અને વરસાદની આગાહી; જાણો ક્યાં-ક્યાં ખાબકશે મેઘરાજા
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
MI ની વધુ એક શરમજનક હાર, પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર! ચેપોકમાં CSK એ 8 વિકેટથી ધૂળ ચટાડી
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
બંગાળ ચૂંટણી 2026: 4 મેના રોજ માત્ર 293 બેઠકોના જ પરિણામ આવશે, જાણો ફાલ્ટા બેઠક પર કેમ ફરીથી યોજાશે મતદાન?
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
દક્ષિણ ગુજરાતમાં રોકાણનો વરસાદ! સુરત સમિટમાં ₹3,53,306 કરોડના MoU, 2.82 લાખ યુવાનો માટે ખુલશે નોકરીના દ્વાર
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
ગુજરાત બોર્ડનું 2026-27 નું નવું કેલેન્ડર જાહેર! ધોરણ 10-12 ની બોર્ડની પરીક્ષાઓ વહેલી લેવાશે, જાણો રજાઓની વિગત
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
બંગાળમાં મમતાનો મોટો ધડાકો: ‘અમે 200 થી વધુ બેઠકો જીતીશું’, એક્ઝિટ પોલ તો માત્ર...
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
શું શુભમન ગિલ બન્યો નવો T20 કેપ્ટન અને સૂર્યાની થઈ છુટ્ટી? જાણો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ દાવાનું અસલી સત્ય
Embed widget