શોધખોળ કરો

BANASKANTHA : સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગ સાથે અખાત્રીજથી ખેડૂતો ધરણાં કરશે

સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે હવે ખેડૂતો આકરા મુડમાં જોવા મળી રહ્યા છે.

BANASKANTHA :  બનાસકાંઠા જિલ્લામાં ફરી એકવાર ખેડૂતો સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માગ સાથે એકવાર ફરી આંદોલનનું રણશિંગુ ફૂંકવાની તૈયારી છે.  અખાત્રીજના દિવસથી જ ખેડૂતો મોટીસંખ્યામાં દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજશે.

બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાં જ બનાસકાંઠા જિલ્લામાં પાણીનો પોકાર ઉઠવા પામેલ છે, ત્યારે ચાલુ વર્ષે અગાઉ પણ ખેડૂતો પાણીની માંગને લઈને આંદોલન છેડાયું હતું. પરંતુ સરકાર દ્વારા ખેડૂતોને પાણી છોડવાની માંગ સ્વીકારી અને 10 દિવસ માટે પાણી આપવાની વાત કરતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. 

સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં 10 દિવસ માટે પાણી છોડવાની વાત કરાઈ હતી અને માત્ર 8 દિવસ માટે જ સરકાર દ્વારા સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડાયું હતું અને પછી બંધ થઈ જતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો હતો ત્યારે આજે 28 એપ્રિલે ખેડૂતો એકઠા થઈને ફરી બનાસકાંઠા જિલ્લામાં પાણી લઈને આંદોલનનું રણશિંગુ ફૂંક્યું હતું.

ખેડૂતો અખાત્રીજના દિવસથી જ દિયોદરની પ્રાંત કચેરી ખાતે ધરણા યોજી પાણીને લઇને આંદોલન શરૂ કરશે  તેમજ ખેડૂતોએ જણાવ્યું હતું કે સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન અપાય તો આગામી સમયમાં આવનારી ચૂંટણીની ખેડૂતો સંપૂર્ણપણે બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી ત્યારે હવે જોવાનું એ રહ્યું કે બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો ની પાણીની માગ સરકાર સ્વીકારે છે કે કેમ તે તો આવનારો સમય બતાવશે.

સુજલામ સુફલામ કેનાલમાં પાણીની માંગ સાથે હવે ખેડૂતો આકરા મુડમાં જોવા મળી રહ્યા છે. ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ બનાસકાંઠાના વડગામ આવેલા તે દરમિયાન સુજલામ સુફલામ કેનાલમાં પાણી આપવાની જાહેરાત કરવામાં આવી હતી, પરંતુ હજી  સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી ન છોડાતા હવે ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

જિલ્લામાં સતત સતાવતી ભૂગર્ભજળની સમસ્યા વચ્ચે આજે દિયોદર વિધાનસભાના રામવાસ વિસ્તારમાં ખેડૂતોની બેઠક યોજાઇ હતી. ખેડૂતોની બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે આવનારી આખાત્રીજના દિવસે ધરતીમાતાનું પૂજન બાદ મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈને દિયોદર પ્રાંત કચેરીએ ધારણા ઉપર બેસવાની ચીમકી ઉચ્ચારી છે જોકે પાંચ તાલુકાઓ માંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં હજી સુધી વાવેતર બાદ પાણી ન છોડાતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 





વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat News | શિક્ષણ સમિતિ સંચાલિત 26 જર્જરિત શાળા હોવા છતા સુરત કોર્પોરેશને માત્ર નવ શાળાને આપી મંજૂરીGujarat Rain Forecast | નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં પડશે વરસાદ, હવામાન વિભાગની આગાહીMansukh Vasava | ‘જ્યાં સુધી રોજગારી ન મળે ત્યાં સુધી લારી ગલ્લા ન હટાવશો..’ MP વસાવાએ લખ્યો પત્રPune Helicopter Carsh| હેલિકોપ્ટર દુર્ઘટનાગ્રસ્ત થતા ત્રણના થયા મોત| Abp Asmita | 2-10-2024

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો  કેટેલી છે ક્ષમતા
Israel-Iran War:ઇઝરાયલની જેમ ભારત પણ રોકી શકે છે મિસાઇલ અટેક, જાણો કેટેલી છે ક્ષમતા
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
પરમાણુ ઠેકાણાં, ઓઇલ ડેપો અને... આજની રાત ઇરાન માટે ભારે ? આ જગ્યાઓ પર હુમલો કરી શકે છે ઇઝરાયેલ
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
IAF Helicopter Crash: બિહારમાં એરફોર્સનું હેલિકોપ્ટર ક્રેશ, પૂર રાહત સામગ્રી પહોંચાડતી વખતે પડ્યું પાણીમાં
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Israel-Iran War: જો ગાંધીજી આજે જીવતા હોત તો શું તેઓ ઈઝરાયેલ-ઈરાન યુદ્ધને રોકી શક્યા હોત? AIએ આપ્યો ચોંકાવનારો જવાબ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Indian Railway: આ લોકોને ટ્રેનની ટિકિટ પર મળે છે ભારે ડિસ્કાઉન્ટ, તમે પણ આ રીતે ઉઠાવી શકો છો લાભ
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
Best Laptop: 70,990ના લેપટોપ મળશે ફક્ત 37,990 રૂપિયામાં, Flipkart-Amazon સેલમાં મળી રહી છે ઓફર
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
ભયાનક ક્રૂરતાઃ પુત્રએ પહેલા માતાનુ મર્ડર કર્યુ, હ્રદય-લીવર અને કિડની કાઢી, પછી મીઠું-મરચું નાંખીને ખાઇ ગયો...
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Diabetes શું તમે ડાયાબિટીસના દર્દી છો? રાત્રે દૂધમાં મિક્સ કરીને પીવો આ મસાલો, બ્લડ સુગર રહેશે કંટ્રોલમાં
Embed widget