શોધખોળ કરો

વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો

Vav Assembly By Election 2024: આ સંમેલનમાં લાલજી પટેલે હૂંકાર કરતાં કહ્યું હતુ કે, જો EVMમાં ગરબડ ના થાય તો માવજીભાઈની જીત નકકી છે. તમારી મક્કમતા ઓછી ના કરતા

Vav Assembly By Election 2024: વાવ પેટાચૂંટણીને લઇને મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપ-કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે જામેલા ત્રિપાંખીયા જંગ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં આવેલા પાંચ ચૌધરી નેતાઓને ભાજપે ગઇકાલે પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, હવે આ પાંચેય ભાજપને હરાવવા માટે અને માવજી પટેલને જીતાડવા માટે ખાસ પ્લાન બનાવ્યો છે. એક જંગી જાહેરસભાનું આયોજન કરીને ખુલ્લુ સમર્થન આપ્યુ છે. 

વાવ વિધાનસભામાં ભાજપે સ્વરૂપજીને ટિકીટ આપ્યા બાદ ભાજપ નેતા માવજી પટેલ નિરાશ થઇ ગયા હતા, અને તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ભાજપે ગઇકાલે મોટી કાર્યવાહી કરતાં માવજી પટેલને પક્ષમાંથી સસ્પેન્ડ કરી દીધા હતા, એટલુ જ નહીં માવજી પટેલ સાથે અન્ય પાંચ ચૌધરી નેતાઓને ભાજપ વિરૂદ્ધ પ્રચાર કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢ્યા હતા. હવે આ પાંચેય નેતાઓએ એક જાહેરસભા સંબોધીને માવજી પટેલને સમર્થન આપ્યુ છે. 

સસ્પેન્ડેડ પાંચ ચૌધરી સમાજના આગેવાનોએ જંગી જાહેરસભા યોજી હતી, આ સંમેલનમાં લાલજી પટેલે હૂંકાર કરતાં કહ્યું હતુ કે, જો EVMમાં ગરબડ ના થાય તો માવજીભાઈની જીત નકકી છે. તમારી મક્કમતા ઓછી ના કરતા, કંઈ નહી બગડે બધા એક થઈ રહેજો. અમે કાલે દબાવીને પ્રવચન કર્યું તો આજે અમને સસ્પેન્ડ કરી દીધા. આ જનતા તમને સસ્પેન્ડ કરશે. જો પહેલા મેન્ડેડ આપ્યું હોત તો આ સ્થિતિ ના થઇ હોત. પ્રશાસનનો ઉપયોગ બંધ કરો અને જેલની બીક ના બતાવો, જેટલા વધુ દબાવશો સ્પ્રિંગ એટલી જ વધુ ઉછળશે. 

વાવમાં અપક્ષ ઉમેદવારી કરનાર માવજી ચૌધરીનો પુરજોશમાં પ્રચાર
ભાજપે માવજી પટેલ સાથે સાથે ભાભર માર્કેટયાર્ડના ચેયરમેન દલારામભાઈ, ભાભર APMCના પૂર્વ ચેયરમેન લાલજી ચૌધરી, સુઈગામના ભાજપના પૂર્વ મહામંત્રી જામાભાઈ ચૌધરીને પણ ભાજપે સસ્પેન્ડ કર્યા છે. અપક્ષ ઉમેદવાર માવજી પટેલના સમર્થનમાં લાલજી ચૌધરી, જામાભાઈએ એક સભા કરી હતી. 

માવજી પટેલ ચૌધરી સમાજના મોટા નેતા છે, અને ચૂંટણી પ્રચારમાં વાવમાં જબરદસ્ત રીતે પ્રચાર કરી રહ્યાં છે. પ્રચારમાં માવજી પટેલ ભાજપના અનેક નેતાઓને ઝપેટમાં લઈ ચૂક્યા છે. ફરી એકવાર વાવની પેટાચૂંટણીમાં માવજી પટેલના આકરા બોલ સાંભળવા મળ્યા હતા.  


વાવમાં રાજકારણ ગરમાયું, પક્ષમાંથી હાંકી કઢાયેલા પાંચેય નેતાઓએ ભાજપ સામે જ મોરચો માંડ્યો

વાવ બેઠકનું રાજકારણ 
વાવ બેઠક પર કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ટિકિટ આપી છે જ્યારે ભાજપે સ્વરૂપજી ઠાકોરને મેદાનમાં ઉતાર્યા છે. ગત ચૂંટણીમાં  સ્વરુપજી ઠાકોર ગેનીબેન ઠાકોર સામે ચૂંટણીમાં હાર્યા હતા.   

સ્વરૂપજી ઠાકોર 2022માં ગેનીબેન ઠાકોર સામે વિધાનસભા ચૂંટણી લડ્યા હતા. જેમાંસ્વરૂપજી ઠાકોરની વિધાનસભા ચૂંટણીમાં હાર થઈ હતી. સ્વરૂપજી ઠાકોર ગેનીબેન 15, 601 મતથી હાર્યા હતા. આ ઉપરાંત 2019માં બનાસકાંઠામાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા હતા.

આ વાવ વિધાનસભા પેટાચૂંટણીમાં પણ ફરી તેમના નામની ચર્ચાએ જોર પકડ્યું હતું. ત્યારે ભાજપે આ બેઠક પર તેમને રિપિટ કરીને વધુ એક વખત સ્વરુપજી ઠાકોર પર ભરોસો વ્યક્ત કર્યો છે.  

વિધાનસભા 2022ની ચૂંટણી પરિણામમાં કૉંગ્રસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને 1,02,513 મત મળ્યા હતા, જ્યારે ભાજપના સ્વરૂપજી ઠાકોરને 86,912 મત મળ્યા હતા.

આ પણ વાંચો

'માવજી પટેલ અમારા મત તોડશે, અમને હારનો ડર...' - ભાજપના પૂર્વ સાંસદ પરબત પટેલનો સ્વીકાર

 

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
Advertisement

વિડિઓઝ

Vijay Rupani Death : વિજયભાઈના નિધનના સમાચારથી હું અત્યંત દુઃખી: નીતિન પટેલHun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન, ભાગ-2Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાનVijay Rupani funeral : આવતી કાલે રાજકોટમાં વિજય રૂપાણીની અંતિમયાત્રા!
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
વિજય રૂપાણીના અવસાનથી ગુજરાત શોકમગ્ન: ABVP થી CM સુધીની તેમની રાજકીય યાત્રાનો કરુણ અંજામ! જુઓ રાજકીય સફર
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
અમદાવાદ વિમાન દુર્ઘટના: એર ઇન્ડિયાનું વિમાન કેમ ક્રેશ થયું? નિષ્ણાતોએ ઉઠાવ્યા 5 મોટા સવાલો જેના જવાબ નથી મળ્યા
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
વધુ એક યુદ્ધના ભણકારાઃ ઈરાન પર હુમલા બાદ નેતન્યાહૂએ PM મોદીને ફોન કર્યો, જાણો શું વાત થઈ
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
'બોમ્બ ફૂટ્યો હોય તેવું લાગ્યું': હોસ્ટેલ કેન્ટીનમાં રોટલી બનાવતી મહિલાએ અમદાવાદ વિમાન દુર્ઘટનાનો ધ્રુજાવનારો અનુભવ વર્ણવ્યો
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે આપી સત્તાવાર આંકડાકીય માહિતી, જાણો ઇજાગ્રસ્ત લોકોની શું છે સ્થિતી
અમદાવાદ વિમાન દુર્ઘટનાને લઈને રાજ્ય સરકારે આપી સત્તાવાર આંકડાકીય માહિતી, જાણો ઇજાગ્રસ્ત લોકોની શું છે સ્થિતી
'ટેકઓફ થતાં જ અટકી ગયું, લીલી અને લાલ લાઇટો ઝબકી અને પછી એરહોસ્ટેસ...', વિશ્વાસ કુમારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના 30 સેકન્ડ પહેલાંનો ખૌફનાક અનુભવ વર્ણવ્યો
'ટેકઓફ થતાં જ અટકી ગયું, લીલી અને લાલ લાઇટો ઝબકી અને પછી એરહોસ્ટેસ...', વિશ્વાસ કુમારે એર ઇન્ડિયાના વિમાન દુર્ઘટનાના 30 સેકન્ડ પહેલાંનો ખૌફનાક અનુભવ વર્ણવ્યો
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનની સુરક્ષાને લઈ DGCA દ્વારા કરાયો સૌથી મોટો નિર્ણય, જાણો
અમદાવાદ પ્લેન ક્રેશ બાદ વિમાનની સુરક્ષાને લઈ DGCA દ્વારા કરાયો સૌથી મોટો નિર્ણય, જાણો
વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી: PM મોદી 
વિજયભાઈ આપણી વચ્ચે નથી એ વાત મન માનવા તૈયાર નથી: PM મોદી 
Embed widget