![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ભાજપ સંગઠનમાં ઠાકોર સમાજની અવગણના મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જાણો વિગત
મુખ્યમંત્રી પ્રજાલક્ષી હોવો જોઇએ. કોઈ સમાજની માંગ જ શું કામ ઉભી થાય. દરેક સમાજને અધિકાર છે, દરેક સમાજના નેતા મુખ્યમંત્રી બને એવી લાગણી હોય. એવા નેતાની જરૂર છે કે જે આવી કોઈ માંગણી જ ઉભી ન થવી જોઇએ.
![ભાજપ સંગઠનમાં ઠાકોર સમાજની અવગણના મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જાણો વિગત Former MLA Alpesh Thakor big statement on BJP party in Gujarat ભાજપ સંગઠનમાં ઠાકોર સમાજની અવગણના મુદ્દે અલ્પેશ ઠાકોરે શું કહ્યું? જાણો વિગત](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/07/05/2adb55cb50a3f6196bdb77b0ea60a2f3_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ડીસાઃ ગુજરાતમાં આગામી 2022માં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે, ત્યારે અત્યારથી જ રાજકારણ ગરમાવા લાગ્યું છે. પાટીદાર સહિત કેટલાક સમાજ દ્વારા તેમના સમાજના મુખ્યમંત્રી બને તેવી પણ લાગણી વ્યક્ત કરવામાં આવી છે, ત્યારે ગઈ કાલે ડીસામાં અલ્પેશ ઠાકોરને તેમના સમાજના મુખ્યમંત્રીની માંગ અંગે પૂછવામાં આવતા તેમણે આ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ ઉપરાંત બનાસકાંઠામાં ભાજપના સંગઠનમાં ઠાકોર સમાજની અવગણના મુદ્દે પણ પ્રતિક્રિયા આપી હતી.
બનાસકાંઠામાં ભાજપના નવા સંગઠનમાં ઠાકોર સમાજની અવગણના થઈ હોવાના પ્રશ્ને અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, પાર્ટીને જરૂર નહીં હોય એટલે ઠાકોર સમાજની અવગણના થઈ રહી છે. તેમણે જણાવ્યું હતું કે, રાજકીય અવગણના જે કોઈ પાર્ટી કરતી હોય તેને યોગ્ય સમયે જવાબ મળી જ જતો હોય છે. એટલે પાર્ટીઓને જરૂર નહીં હોય
અલ્પેશ ઠાકોરે જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી પ્રજાલક્ષી હોવો જોઇએ. કોઈ સમાજની માંગ જ શું કામ ઉભી થાય. દરેક સમાજને અધિકારી છે, દરેક સમાજના નેતા મુખ્યમંત્રી બને એવી લાગણી હોય. પણ એક એવા નેતાની જરૂર છે, કે જે આવી કોઈ સમાજની માંગણી જ ઉભી ન થવી જોઇએ. તમામ સમાજોની જે નાની મોટી સમસ્યા છે, તે દૂર કરવાની જવાબદારી સરકારની છે અને સરકાર જ આ સમસ્યાનો હલ કરી શકે છે. પ્રજાલક્ષી, પ્રજાતંત્રમાં પ્રજાની પીડાને વાચા આપે એવા મુખ્યમંત્રી અને એવા નેતાની જરૂર હોય છે.
તેમણે જણાવ્યું હતું કે, મારી વાત હંમેશા એવી જ હોય છે. હું કોઇ પાટીદાર સમાજ કે સવર્ણ સમાજનો વિરોધ નથી કરતો અથવા કોઈ પછાત જ આવે એવી કોઈ વાત નથી, પણ વાત એ છે કે એવા નેતાને જોવા માંગુ છું, જે નેતા ગુજરાતની પ્રજાની પીડાને સમજી શકે અને પીડા દૂર કરી શકે.
ડીસામાં ગઈ કાલે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી બેઠક મળી હતી. ઠાકોર સેના સુપ્રીમો અલ્પેશ ઠાકોરની હાજરીમાં બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લાભરમાંથી હજારો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)