શોધખોળ કરો

Gujarat Congress Nyay Yatra Live: કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો, ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં નહીં જોડાય

ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે

Key Events
From today Congress Nyay Yatra in Gujarat has started from Morbi Gujarat Congress Nyay Yatra Live: કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો, ગેમઝોન અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં નહીં જોડાય
ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે
Source : ફોટોઃ ABP asmita

Background

Congress Nyay Yatra: આજથી ગુજરાતમાં રાજકીય ધમાસાન શરૂ થઇ ગયુ છે, ગુજરાતમાં કોંગ્રેસ આજથી ન્યાય યાત્રા કાઢી રહ્યું છે, આજથી ગુજરાતમાં કોંગ્રેસની ન્યાય યાત્રાનો પ્રારંભ મોરબીથી થયો છે. રાજ્યમાં અલગ અલગ વિસ્તારોમાં ફરીને 23મી ઓગસ્ટે ગાંધીનગરમાં સંપન્ન થશે. ખાસ વાત છે કે, કોંગ્રેસની આ ન્યાય યાત્રા છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી અલગ-અલગ દૂર્ઘટનામાં પીડિતોને ન્યાયની માગ કરવા માટે કાઢવામાં આવી રહી છે. પાંચ જિલ્લામાંથી કોંગ્રેસની આ ન્યાય યાત્રા પસાર થશે જેમાં 300 કિલોમીટર સુધી રાજ્યમાં ફરશે. આ ન્યાય યાત્રામાં કોંગ્રેસના મોટા નેતાઓ હાજર રહ્યાં અને મોરબીના દરબાર ગઢથી યાત્રાની શરૂઆત કરાઇ હતી. કહેવાઇ રહ્યું છે કે, ગુજરાત ન્યાય યાત્રામાં કોઇ એક દિવસ રાહુલ ગાંધી હાજરી આપી શકે છે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસની ન્યાય યાત્રાની સામે આવતીકાલથી ભાજપ રાજ્યભરમાં તિરંગા યાત્રા કાઢી રહ્યું છે.

મોરબી બ્રિજ દૂર્ઘટનાથી લઈને રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય અપાવવા ગુજરાત કોંગ્રેસ ન્યાયયાત્રા નીકળી છે. મોટી વાત એ છે કે, પાર્ટીએ યાત્રાનો ચહેરો પીડિત પરિવારને જ રાખ્યો છે. ગુજરાત કોંગ્રેસ દ્વારા સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલા પોસ્ટરમાં સ્થાનિક કક્ષાના કોઈ નેતાને સ્થાન આપવામાં આવ્યું નથી.

મોરબીથી શરૂ થનારી 300 કિલોમીટરની આ યાત્રા ગાંધીનગર સુધી પહોંચશે. આ યાત્રામાં શરૂઆતથી અંત સુધી જોડાનારાને ન્યાય યાત્રી, પોતાના જિલ્લામાં જોડાનારા જિલ્લા યાત્રી તથા અતિથિ યાત્રી પણ હશે. આ યાત્રા મોરબીથી શરૂ થયા બાદ રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગરથી અમદાવાદ અને અમદાવાદથી ગાંધીનગર પહોંચશે. કોંગ્રેસ દ્વારા આ યાત્રા પાર્ટ વન ગણાવવામાં આવી રહી છે અને આગામી દિવસોમાં અન્ય દૂર્ઘટનાના પીડિત પરિવારોને સાથે રાખી બીજી યાત્રા તબક્કાવાર શરૂ કરવામાં આવશે. 

ઉલ્લેખનીય છે કે આ યાત્રામાં કોંગ્રેસ પોતાની સાથે એક ઘડો રાખશે, જેમાં લોકો પોતાના પ્રશ્નો રજૂ કરી શકશે અને કોંગ્રેસ એને ભાજપનાં પાપનો ઘડો નામ આપી રહી છે. એમાં લોકો તેમના પ્રશ્નો નાખશે અને છેલ્લે આ ઘડો ફોડીને ભાજપનાં પાપનો ઘડો ભરાઈ ગયો હોવાનો સંદેશ આપવામાં આવશે.

14:56 PM (IST)  •  09 Aug 2024

જીગ્નેશ મેવાણીએ ભાજપ પર કર્યા પ્રહાર

મોરબીથી કોંગ્રેસની ન્યાય યાત્રા દરમિયાન ધારાસભ્ય જીગ્નેશ મેવાણીએ એબીપી અસ્મિતા સાથે વાત કરી હતી. મેવાણીએ કહ્યું હતું કે ભાજપનો પાપનો ઘડો ભરાઈ ગયો છે. રાજકોટથી તેઓ યાત્રા કાઢવાના છે ત્યારે તેમને ભગવાન સદબુદ્ધિ આપે. યાત્રા ગાંધીનગર પહોંચશે ત્યાં સુધીમાં પાપનો ઘડો ભરાઈ જશે..

14:50 PM (IST)  •  09 Aug 2024

પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો

પ્રદેશ કોંગ્રેસની ન્યાય યાત્રાને બીજો ઝટકો લાગ્યો છે. અગ્નિકાંડના 17 પીડિત પરિવાર યાત્રામાં સામેલ થશે નહીં. પીડિત પરિવારે કહ્યું કે અમારે રાજકારણ જોઇતું નથી. ગુજરાત સરકારની કામગીરીથી સંતુષ્ટ છે. ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસની માંગ સ્વીકારવામાં આવી છે. સરકાર પાસે ન્યાયની માંગ કરી છે, કોંગ્રેસ કે ભાજપ પાસે નહી. સુરત બાદ રાજકોટના પીડિત પરિવારો પણ  યાત્રામાં જોડાશે નહીં. 

 

 

Load More
New Update
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
ચાંદીપુરા વાયરસના નિયંત્રણ માટે ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રીની અધ્યક્ષતામાં ઉચ્ચ સ્તરીય બેઠક 
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 
Ambalal patel: અંબાલાલ પટેલ હવેથી નહીં કરે હવામાનની આગાહી, જાણો શું કરી મોટી જાહેરાત? 

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પૈસા નહીં નામ કમાવવા રીલ ?
Hun To Bolish : હું તો બોલીશ : ભેળસેળિયા મસાલા
Hun To Bolish : હું તો બોલીશ : આગાહી પર પૂર્ણવિરામ કેમ ?
Kumar Kanani : AAPના નેતા-કાર્યકરો ભાજપને બદનામ કરવાના કામ કરે છેઃ MLA કુમાર કાનાણી
Banaskantha news : બનાસકાંઠામાં 'અરવલ્લી ગ્રીનવોલ'ઊભી કરવા અભિયાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ: ઈરાનનો અમેરિકા પર મોટો પ્રહાર, 3 દેશોના યુએસ એરબેઝ કર્યા ધ્વસ્ત
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
ગુજરાતનું ગૌરવ: પાટણની ‘રાણી કી વાવ’ ના 3D મેપિંગ શોએ એશિયા લેવલે જીત્યો ગોલ્ડ મેડલ
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
IND vs ENG: પ્રથમ વનડેમાં આવી હશે ભારતની પ્લેઇંગ ઇલેવન! ટીમમાં 7 નવા ખેલાડીઓની થશે એન્ટ્રી
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
એસીથી લઈને કાર, બટાકાથી લઈને એલપીજી સુધી, આ વસ્તુઓ સસ્તી થઈ છે, જાણો શું મોંઘું થયું?
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
અંબાલાલ પટેલના એક નિર્ણયથી ગુજરાતભરમાં ખળભળાટ; વિજ્ઞાન જાથા સામે ખેડૂતો લાલઘૂમ
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
ત્રીજા વિશ્વયુદ્ધના એંધાણ? અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે રશિયાએ તેહરાન મોકલ્યું ‘ડૂમ્સડે’ વિમાન
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
મોંઘવારીનો ડામ: સતત 6ઠ્ઠા મહિને વધ્યો છૂટક ફુગાવો, જાણો કઈ વસ્તુના ભાવ કેટલા વધ્યા?
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
માતા-પિતા કે કસાઈ? 4 વર્ષની પુત્રીની હત્યા કરી લાશને એસિડમાં ઓગાળી ખાડીમાં વહાવી દીધી
Embed widget