![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર , જાણો કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે?
PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી.
![ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર , જાણો કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે? Gandhinagar: Result of PSI's preliminary examination announced ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર , જાણો કેટલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા આપી શકશે?](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2017/10/18141556/1-Leave-of-Gujarat-Police-Cancelled-know-the-reason.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. મળતી જાણકારી અનુસાર PSIની પ્રિલિમિનરી પરીક્ષાનું પરિણામ જાહેર થઇ ગયું છે. પીએસઆઇની પ્રિલિમિનરી પરીક્ષા કુલ 1382 જગ્યાઓ માટે લેવામાં આવી હતી. પરીક્ષામાં 4311 ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે. બે હજાર 939 પુરુષ ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે જ્યારે 1 હજાર 313 મહિલા ઉમેદવારો મુખ્ય પરીક્ષા માટે ક્વોલિફાય થયા છે.
KV Class 1 Admission: કેન્દ્રીય વિદ્યાલયમાં ધોરણ-1માં પ્રવેશ માટે લઘુત્તમ વય મર્યાદા બદલાઈ, જાણો નવી માર્ગદર્શિકા
Kendriya Vidyalaya Class 1 Admissions 2022 New Age Limit: કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (Kendriya Vidyalaya Sangthan) એ તાજેતરમાં KVS (KVS Admissions 2022) માં પ્રવેશ માટે નવી માર્ગદર્શિકા બહાર પાડી છે. આ સૂચનાઓમાં મુખ્ય ફેરફારોમાં પ્રવેશમાં MP ક્વોટા નાબૂદ કરવાથી લઈને ધોરણ-1 માં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદામાં ફેરફાર કરવા સુધીના સંખ્યાબંધ મુદ્દાઓનો સમાવેશ થાય છે. હવે KVS માં KVS વર્ગ એકમાં પ્રવેશ માટેની લઘુત્તમ વય મર્યાદા 6 વર્ષથી વધારીને 8 વર્ષ કરવામાં આવી છે.
હવે 8 વર્ષના બાળકો પણ ધોરણ-1માં પ્રવેશ લઈ શકશે
હવે આઠ વર્ષ સુધીના બાળકો કેન્દ્રીય વિદ્યાલય (KVS Class One Admission Minimum Age Limit) ના ધોરણ-1માં પ્રવેશ માટે અરજી કરી શકે છે. અગાઉ આ મર્યાદા 6 વર્ષની હતી. ધોરણ-1 સિવાય, ધોરણ-11 અને 12માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા નક્કી કરવામાં આવી નથી. જો કે, ધોરણ-10 માં પ્રવેશ માટે મહત્તમ વય મર્યાદા 16 વર્ષ છે.
જાણો નવી ગાઈડલાઈન્સની ખાસ વાતો
ધોરણ 10માં નવા પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓને નવમામાં ઓછામાં ઓછા 55 ટકા માર્ક્સ હોવા જરૂરી છે. આ જ નિયમ 12માં પ્રવેશ માટે 11માં માર્કસ માટે લાગુ પડશે.
ધોરણ-2 થી 8 માં પ્રવેશ માટે કોઈ કસોટીની જરૂર રહેશે નહીં. ધોરણ-9 માં પ્રવેશ માટે એક કસોટી થશે અને મેરિટ લિસ્ટ બનાવવામાં આવશે.
કુલ 100 ગુણના પેપરમાં હિન્દી, અંગ્રેજી, ગણિત, સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાન વિષયના 20-20 ગુણના પ્રશ્નો પૂછવામાં આવશે. સ્પોર્ટ્સ, NCC, સ્ક્વોડ વગેરે પર 6 ટકા ડિસ્કાઉન્ટ મળશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)