શોધખોળ કરો

Gandhinagar: રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારનો સૌથી મોટો નિર્ણય, NOC વગર ચાલતા ગેમઝોનના માલિક સામે ગુનો નોંધાશે

રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યભરના ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે મોટો નિર્ણય લેવાયો હતો.

Rajkot:  રાજકોટ અગ્નિકાંડ બાદ રાજ્ય સરકારે મોટો નિર્ણય લીધો છે.  રાજ્યભરના ગેમઝોન અને મનોરંજન સ્થળ અંગે મોટો નિર્ણય લેવાયો હતો. સરકારે NOC વગર ચાલતા મનોરંજન સ્થળો અને ગેમઝોનના માલિક સામે ગુનો નોંધવાનો આદેશ આપ્યો હતો. હાલમાં થયેલી ચકાસણીમાં જેમની પાસે NOC નથી તેમની સામે પણ ગુનો નોંધવાનો આદેશ અપાયો છે. રાજ્યના તમામ કલેકટર અને મ્યુનિસિપલ કમિશનરને IPCની બિનજામીન પાત્ર કલમો લગાવવા પણ આદેશ કરાયો છે.

નોંધનીય છે કે ધવલ ઠક્કર નામના ચોથા આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. સરકારી વકીલ દ્વારા ધારદાર રજૂઆત કરાઇ હતી. પોલીસે ધવલ ઠક્કરના 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરંતુ કોર્ટે 13 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. બીજી તરફ રાજકોટ અગ્નિકાંડમાં વધુ 4 મૃતદેહની ઓળખ થઈ છે. DNA સેમ્પલ મેચ થતાં મૃતદેહ ઓળખાયા હતા. અત્યાર સુધી કુલ 24 મૃતદેહોની ઓળખ થઇ છે. શનિવારે રાજકોટના ટીઆરપી ગેમ ઝૉનમાં આગ લાગી હતી, જેમાં 28 લોકોના મોત બાદ હોબાળો થયો અને બાદમાં એસઆઇટીની રચના કરવામાં આવી હતી.

SITનો પ્રાથમિક રિપોર્ટ સરકારમાં અપાઈ ચૂક્યો છે. SITના પ્રાથમિક રિપોર્ટમાં અનેક પ્રકારની ગેરરિતી થયાના ખુલાસો થયા છે. ગેમ ઝૉનની ગતિવિધીઓ સાથે જોડાયેલા અધિકારીઓના નિવેદનો આ માટે લેવામાં આવ્યા છે. RMC, પોલીસ, PWDના અધિકારીઓના નિવેદનો લેવાયા છે. આ ઉપરાંત R&B વિભાગ, પૂરવઠા વિભાગના અધિકારીઓના પણ નિવેદનો લેવાયા છે. ઈમ્પેક્ટ ફી થકી ગેમ ઝૉનને કેવી રીતે રેગ્યૂલાઇઝ કરાઇ તેની પણ તપાસ કરવામાં આવી છે. આ રિપોર્ટમાં ખુલ્યુ છે કે, કયા એન્જિનીયરે સલાહ આપી હતી તેની પણ તપાસ થશે. આ ઉપરાંત કયા-કયા નકલી દસ્તાવેજો ઉભા કરાયા હતા તેની પણ તપાસ થશે. SITની તપાસ હજુ પણ ચાલુ રહેશે. ખાસ વાત છે કે, ગાંધીનગરમાં રિપોર્ટ સોંપીને SITની ટીમ રાજકોટ રવાના થશે.

ઘટનાના પગલે ઉચ્ચ અધિકારીઓ સામે પગલા લેવાના શરૂ કરવામા આવ્યા છે. રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર આનંદ પટેલ, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવને હટાવાયા છે. એડીશનલ પોલીસ કમિશનર વિધી ચૌધરી અને ડીસીપી ઝોન-2 સુધીરકુમાર દેસાઈને પણ ખસેડાયા છે.                                            

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat news: સુરતના કાપોદ્રામાં તબીબને માર મારવાના કેસમાં વધુ એક આરોપીની ધરપકડ.Sthanik Swaraj Election: ચૂંટણી પહેલા જ હાલોલ નગરપાલિકા ભાજપે જીતી લીધીHun To Bolish : હું તો બોલીશ : પાલિકાઓમાં કોનો દમ?Hun To Bolish : હું તો બોલીશ : સમાનતા પર સંગ્રામ કેમ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
PM Modi Lok Sabha Speech: ગરીબોને ખોટા નારા નહીં, વાસ્તવિક વિકાસ આપ્યો- લોકસભામાં બોલ્યા PM મોદી
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
ટ્રમ્પના રાષ્ટ્રપતિ બનતા જ અમેરિકા એક્શનમાં, 205 ગેરકાયદેસર પ્રવાસીઓને લઈ કાલે અમૃતસર પહોંચશે મિલિટ્રી પ્લેન 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
દિલ્હીમાં મતદાનના થોડા કલાકો પહેલા આ દિગ્ગજ નેતા AAP માં સામેલ, 42 વર્ષ બાદ છોડ્યો BJPનો સાથ 
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
UCC મુદ્દે ગુજરાત સરકારે કરી કમિટીની રચના, 45 દિવસમાં રાજ્ય સરકારને સોંપશે રિપોર્ટ
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
PM મોદી પ્રયાગરાજ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવશે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ 
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
ચૂંટણી પહેલા જ 215 બેઠક પર ભાજપ બિનહરીફ, ભચાઉ, જાફરાબાદ અને હાલોલ પાલિકામાં ભાજપનું શાસન
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
PM મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું, બોલ્યા- કેટલાક નેતાઓને ગરીબોની વાત કંટાળાજનક લાગશે  
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
ગુજરાતમાં કેન્સરના દર્દીઓ માટે PMJAY-MA યોજના વરદાન, છેલ્લા 6 વર્ષોમાં 2 લાખથી વધુ દર્દીઓને મળી નિ:શુલ્ક સારવાર
Embed widget