શોધખોળ કરો

ગીર-સોમનાથઃ મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો શું છે કારણ

ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.

ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અંદાજે એક લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેનું પાછળનું કારણ તૌકતે વાવાઝોડું મુખ્ય માનવામાં આવે છે. ગીરનો મુખ્ય પાક મગફળી છે. પરંતુ આ વર્ષે માત્ર 25 ટકા જ મગફળીનું વાવેતર થયું છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાક તો તબાહ થયા જ છે. પરંતુ વીજળી વ્યવસ્થા પણ સંપૂર્ણ ખોરવાઈ છે. ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ વીજપુરવઠો ઠપ્પ છે. જેના કારણે આગોતરું મગફળીનું વાવેતર અટકી ગયું છે.

સાથે ખેડૂતોને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વીજળી નથી અને બીજી તરફ ગીરમાં વાવણીલાયક વરસાદ ન પડ્યો હોવાના કારણે વાવણી થઈ શકી નથી. ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.

અનેક ખેડૂતો એવા છે જેની પાસે મગફળીનું બિયારણ લેવાના પણ પૈસા નથી. સાથે વાવાઝોડાના નુકસાનથી જમીન જ વાવણીલાયક બની શકી નથી. હજુ પણ ગીરના ઉના અને ગીર ગઢડામા વાડી વિસ્તારો સંપૂર્ણ વીજળી વિનાના છે. ખેડૂતોના ખેતરોમા આજે પણ વીજ પોલ અને ટાંર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે. એવામાં સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે ?

વરસાદ માટે જોવી પડશે રાહ

સારા વરસાદની ખેડૂતોએ હજુ પણ જોવી પડશે. હવામાન વિભાગના મતે સારા વરસાદ માટે હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત. જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમાં પણ જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે.

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ચાર અને પાંચ તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Advertisement
ABP Premium

વિડિઓઝ

Gujarat Rain Data | 22 કલાકમાં જૂનાગઢના વંથલીમાં ખાબક્યો 14 ઇંચ વરસાદ, ક્યાં કેટલો પડ્યો વરસાદ?Hu to Bolish | હું તો બોલીશ | સંસદમાં સંગ્રામ કેમ?Hu to Bolish | હું તો બોલીશ | બુટલેગરની વરદીવાળી બહેનપણીGujarat Rains | રાજ્યના 11 જળાશયો 50 થી 70 ટકા ભરાયા: કુલ 206 જળાશયોમાં 29 ટકાથી વધુ જળસંગ્રહ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
લોકસભામાં રાહુલ ગાંધીના ભાષણ પર કાતર ચાલી, કાર્યવાહીમાંથી વિવાદાસ્પદ શબ્દો હટાવાયા
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
Rain Alert: આગામી ત્રણ કલાકમાં આ જિલ્લામાં વરસાદ ભુક્કા બોલાવશે, હવામાન વિભાગની આગાહી
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
હજુ સુધી નથી કર્યું તો આજે જ કરાવી લો આ રિચાર્જ, નહીંતર કાલથી 600 રૂપિયા વધારે ચૂકવવા પડશે
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
Ahmedabad: રાહુલ ગાંધીની હિન્દુ સમાજ અંગેની ટિપ્પણીથી હિન્દુ સંગઠનોમાં રોષ, કાર્યકર્તા કોંગ્રેસ કાર્યલાયમાં ઘૂસ્યા
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
રાજકોટ અગ્નિકાંડના આરોપી સાગઠીયાની ઓફિસમાંથી 5 કરોડ રોકડા અને 15 કિલો સોનું મળી આવ્યું
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
Diarrhea Symptoms: ડાયેરિયાથી પરેશાન હો તો આ વાતનો રાખો ખ્યાલ, જલદી મળશે આરામ
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
ધર્માંતરણ પર હાઈકોર્ટની ગંભીર ટિપ્પણી, કહ્યું- ભારતની બહુમતી વસ્તી લઘુમતી બની જશે
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
સૌરાષ્ટ્રમાં બારેમેઘ ખાંગા, વંથલીમાં 14 ઇંચ વરસાદથી જળબંબાકાર, જાણો છેલ્લા 22 કલાકના વરસાદના આંકડા
Embed widget