શોધખોળ કરો

ગીર-સોમનાથઃ મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો, જાણો શું છે કારણ

ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.

ગીર સોમનાથ જિલ્લામાં મગફળીના વાવેતરમાં ધરખમ ઘટાડો નોંધાયો છે. જિલ્લામાં અંદાજે એક લાખ હેક્ટર વિસ્તારમાં વાવેતર ઘટ્યું છે. જેનું પાછળનું કારણ તૌકતે વાવાઝોડું મુખ્ય માનવામાં આવે છે. ગીરનો મુખ્ય પાક મગફળી છે. પરંતુ આ વર્ષે માત્ર 25 ટકા જ મગફળીનું વાવેતર થયું છે. તૌકતે વાવાઝોડાને કારણે ખેડૂતોના પાક તો તબાહ થયા જ છે. પરંતુ વીજળી વ્યવસ્થા પણ સંપૂર્ણ ખોરવાઈ છે. ઉના અને ગીર ગઢડાના ખેતીવાડી વિસ્તારોમાં હજુ વીજપુરવઠો ઠપ્પ છે. જેના કારણે આગોતરું મગફળીનું વાવેતર અટકી ગયું છે.

સાથે ખેડૂતોને વરસાદ ખેંચાતા પડ્યા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. એક તરફ વીજળી નથી અને બીજી તરફ ગીરમાં વાવણીલાયક વરસાદ ન પડ્યો હોવાના કારણે વાવણી થઈ શકી નથી. ખેડૂતો આભ સામે મીટ માંડીને બેઠા છે. વાવાઝોડા બાદ ખેડૂતોની દયનીય સ્થિતિ બની છે.

અનેક ખેડૂતો એવા છે જેની પાસે મગફળીનું બિયારણ લેવાના પણ પૈસા નથી. સાથે વાવાઝોડાના નુકસાનથી જમીન જ વાવણીલાયક બની શકી નથી. હજુ પણ ગીરના ઉના અને ગીર ગઢડામા વાડી વિસ્તારો સંપૂર્ણ વીજળી વિનાના છે. ખેડૂતોના ખેતરોમા આજે પણ વીજ પોલ અને ટાંર્સફોર્મરો જમીન દોસ્ત થયેલા નજરે પડે છે. એવામાં સવાલ એ છે કે આખરે ખેડૂતોને વીજળી ક્યારે મળશે ?

વરસાદ માટે જોવી પડશે રાહ

સારા વરસાદની ખેડૂતોએ હજુ પણ જોવી પડશે. હવામાન વિભાગના મતે સારા વરસાદ માટે હજુ કોઈ સિસ્ટમ સક્રિય નથી. વરસાદી સિસ્ટમ સક્રિય ન થતાં ભારે વરસાદની સંભાવના નહીવત. જુલાઈ મહિનામાં ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે. તેમાં પણ જુલાઈ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં સામાન્ય કરતા ઓછો વરસાદ થવાનું અનુમાન હવામાન વિભાગનું છે.

હવામાન વિભાગના મતે દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના દરિયા કાંઠાના વિસ્તારમાં સામાન્ય વરસાદ પડી શકે છે. ચાર અને પાંચ તારીખે દરિયાઈ કાંઠા વિસ્તારમાં વરસાદની તીવ્રતા વધવાની શક્યતા છે. હવામાન વિભાગે આજે કચ્છ અને બનાસકાંઠામાં વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં હજુ પણ 21 ટકા વરસાદની ઘટ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી

વિડિઓઝ

Bhavnagar Onion Price : ડુંગળીના ભાવ ગગડ્યા, મહુવા માર્કેટ યાર્ડમાં માત્ર 3 રૂપિયે કિલો ડુંગળી વેચાઈ
Hun To Bolish : હું તો બોલીશ : ખજૂરભાઈનું પહેલીવાર પૉડકાસ્ટ
Parshottam Rupala : પરશોત્તમ રૂપાલાએ પાટીદાર યુવકોના લગ્નને લઈ શું કહ્યું?
Hun To Bolish : હું તો બોલીશ : છેતરવાનો 'લક્કી ડ્રો'
Hun To Bolish : હું તો બોલીશ : તમાશો

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
EPFO: UPIથી સીધા બેંક ખાતામાં આવશે પૈસા, નવી સિસ્ટમ એપ્રિલથી શરુ થશે,  જાણો નિયમો 
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
Indian Railways: પ્રથમ વંદે ભારત સ્લીપર ટ્રેન કાલથી દોડશે, જાણો લક્ઝરી સુવિધાઓ સાથે કેટલું હશે ભાડું
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
સટ્ટાબાજી સામે સરકારની મોટી કાર્યવાહી : 242 વેબસાઇટ બ્લોક, અત્યાર સુધી 7,800 થી વધુ વેબસાઇટ્સ કરાઈ બંધ
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
Rule change: 1 એપ્રિલથી બદલાઈ જશે નિયમ, ટોલ ટેક્સ પર હવે નહીં થાય રોકડ ચૂકવણી
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
'મેરા ઘર તૂટા હૈ તેરા ઘમંડ તૂટેગા', BMC ચૂંટણી પરિણામોમાં સાચો પડ્યો કંગના રનૌતનો 'શ્રાપ', ઉદ્ધવ ઠાકરેને મોટો ઝટકો
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
મહારાષ્ટ્ર ચૂંટણી: તમામ 29  મહાનગરપાલિકાઓના ચૂંટણી પરિણામ,  જાણો કોણ આગળ અને પાછળ ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
Explained: BMC પરિણામોએ આપ્યા આ 3 પ્રશ્નોના જવાબ, કેમ હાર્યા ઠાકરે બ્રધર્સ? હવે શિવસેનાનો અસલી વારસદાર કોણ?
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIM નો મહારાષ્ટ્રમાં જોવા મળ્યો જલવો,  75 બેઠકો પર આગળ 
Embed widget