શોધખોળ કરો

ખેડૂતો માટે સારા સમાચારઃ આ વર્ષે થોડા દિવસ વહેલું શરૂ થશે ચોમાસુ, જાણો કેટલો વરસાદ પડશે

સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારમા કરતા વહેલુ આગમન કરી શકે છે.

રાજ્યમાં નૈઋત્યના ચોમાસાનું આગમન ક્યારે થાય તેની હવે આતુરતાપૂર્વક રાહ જોવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર કેરળમાં આગામી 27 મેથી બે જુન વચ્ચે જ્યારે ગુજરાતમાં 15થી 20 જુનની આસપાસ નૈઋત્યના ચોમાસાનું આગમન થઈ શકે છે. ગયા વર્ષે રાજ્યમાં 21 જુનથી ચોમાસાનો પ્રારંભ થયો હતો. પરંતુ ગયા વર્ષની સરખામણીએ આ વખતે ચોમાસુ થોડા દિવસ વહેલુ શરૂ થઈ શકે છે. ગયા વર્ષે ચોમાસાની સિઝન દરમિયાન રાજ્યમાં સરેરાશ 44.77 ઈંચ વરસાદ વરસ્યો હતો.

હવામાન વિભાગે જણાવ્યું છે કે નૈઋત્યના ચોમાસાએ દક્ષિણ અંદામાન સમુદ્ર અને તેને સંલગ્ન દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગેકૂચ કરવાનું શરૂ કરી દીધુ છે. આગામી 27 મેથી બે જુનની વચ્ચે નૈઋત્યના ચોમાસાની કેરળમાં પ્રારંભ થઈ શકે છે.  અંદામાનના સમુદ્ર અને તેને સંલગ્ન પૂર્વ મધ્ય બંગાળની ખાડીમાં લો પ્રેશર 22 મેથી સર્જાવવાનું શરૂ કરશે. તે 24 મેથી સાયક્લોનિક સ્ટ્રોમમાં પરિવર્તિત થઈ શકે છે.

આગામી 26 મે સવાર સુધીમાં તે ઉત્તરપશ્ચિમ દિશાથી ઓડિશા-પશ્ચિમ બંગાળ પાસે પહોંચી શકે છે. સાનુકુળ વાતાવરણને પગલે નૈઋત્યનું ચોમાસુ અગાઉની ધારમા કરતા વહેલુ આગમન કરી શકે છે. સમગ્ર દેશમાં આ વર્ષે ચોમાસુ સાધારણ રહેવાની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. જો કે રાજ્યમાં ત્રાટકેલા તાઉતે વાવાઝોડાને લઈને ચોમાસાની ગતિવિધીમાં ફેરફાર થવાની કોઈ સંભાવના નથી.

હવામાન વિભાગે આ વર્ષે તેમના પૂર્વાનુમાનમાં કહ્યું છે કે આ વર્ષે અલનીનોની કે પછી લા નીનોની અસર નહીંવત રહેશે. હવામાન વિભાગના અનુસાર આ વર્ષનું ચોમાસુ સામાન્ય રહેશે અને સાતે જ જૂન અને સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ રહેવાની શક્યતા જાહેર કરી છે.

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર 3 વર્ષમાં 2 વાર ચોમાસાની સીઝનમાં વરસાદ સામાન્ય કરતા વધારે રહ્યો હતો. આ વર્ષે સામાન્ય વરસાદ રહેવાની આગાહી કરાઈ છે.

હવામાન વિભાગે કહ્યું છે કે જૂનથી સપ્ટેમ્બર સુધી 96-98 ટકા વરસાદ રહેશે અને આ પછી 104 ટકા સુધી વરસાદ પહોંચે તેવી શક્યતા રખાઈ રહી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Dwarka Accident | દ્વારકામાં બારડિયા નજીક ટ્રાવેલ્સ અને બે કાર વચ્ચે ગમખ્વાર અક્સમાત, 7 લોકોના મોતની આશંકા, 15 લોકો ઈજાગ્રસ્તHun To Bolish | હું તો બોલીશ | આખી રાત વાગશે ઢોલ!Hun To Bolish | હું તો બોલીશ | યાત્રાધામમાં સાફ-સફાઈRajkot Rain Update | રાજકોટ જિલ્લાના ગ્રામ્યમાં સતત બીજા દિવસે ધોધમાર વરસાદ વરસ્યો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
IND vs BAN: બાંગ્લાદેશ વિરુદ્ધ ટી-20 સીરિઝ માટે ભારતીય ટીમ જાહેર, મયંક યાદવની સરપ્રાઇઝ એન્ટ્રી
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
Tamil Nadu: તમિલનાડુના નાયબ મુખ્યપ્રધાન બન્યા ઉદયનિધિ સ્ટાલિન, મંત્રીમંડળમાં મોટા ફેરફારો
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
IPL 2025: ખેલાડીઓ પર મહેરબાન BCCI, હવે તમામ મેચ રમનારા પ્લેયર્સને મળશે કરોડો રૂપિયા
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
New Guidelines: ફક્ત આ ચાર શરતો પર ડોક્ટર હટાવી શકે છે લાઇફ સપોર્ટ, સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરી ગાઇડલાઇન
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
Weather Forecast: ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કેવું રહેશે હવામાન, જાણો શું છે આગાહી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
મહિલાઓ આજે જ કઢાવી લો આ સર્ટિફિકેટ, નહીં તો સંપત્તિના અધિકારમાં આવશે મુશ્કેલી
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Bhavnagar : ભાવનગર જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો, મહુવામાં પાંચ ઇંચ વરસાદ
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું  સત્ય
Fact Check: શું પ્રધાનમંત્રી યોજના હેઠળ આધાર કાર્ડથી વાર્ષિક બે ટકાના વ્યાજ પર લોન મળી રહી છે? જાણો દાવા પાછળનું સત્ય
Embed widget