શોધખોળ કરો

કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન, 12 કલાકમાં બદલ્યો સૂર

પહેલા જનતા સાથે દિલના બંધનની વાત, પછી વાવ ચૂંટણીમાં થયેલા કરારનો કર્યો દાવો, કોંગ્રેસે નિવેદનને ગણાવ્યું બેજવાબદાર.

Gopal Italia Congress alliance: ગુજરાતમાં આગામી પેટાચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધનની શક્યતાઓ પર અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે 12 કલાકમાં જ પોતાના નિવેદનને લઈને યુ-ટર્ન લીધો છે.

રવિવારે ગોપાલ ઇટાલિયાએ જનતા સાથે દિલના બંધનનો દાવો કર્યો હતો, જે તેમના પક્ષ દ્વારા એકલા ચૂંટણી લડવાના સંકેત માનવામાં આવતો હતો. જો કે, તેના બીજા જ દિવસે એટલે કે સોમવારે તેમણે પત્રકારોને સંબોધતા પોતાના સૂર બદલ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વાવ વિધાનસભાની પેટાચૂંટણી સમયે કોંગ્રેસ સાથે નક્કી થયું હતું કે વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે. તેમણે વધુમાં કહ્યું કે વાવ બેઠક પર અમે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો અને હવે તેમને વિશ્વાસ છે કે વિસાવદર બેઠક પર કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે.

આમ આદમી પાર્ટીના આ નિવેદન પર પ્રદેશ કોંગ્રેસે તુરંત જ વળતો જવાબ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ બેજવાબદારીભર્યા નિવેદનો કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો સહારો પણ લેવો છે અને પછી કોંગ્રેસ પર ખોટા આરોપો પણ લગાવવા છે તે યોગ્ય નથી. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરની પેટાચૂંટણી સમયે પ્રદેશ કોંગ્રેસ ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. તેમણે ગોપાલ ઇટાલિયાના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાની નથી.

ઉલ્લેખનીય છે કે વિસાવદરની બેઠકને લઈને રાજકારણ તેજ બન્યું છે. ગઠબંધનને લઈને કોંગ્રેસ અને AAP વચ્ચે ચાલી રહેલી ગૂંચવણ હજુ પણ યથાવત છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાના બદલાયેલા સૂરથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે બંને પક્ષો વચ્ચે ખરેખર કોઈ સમજૂતી થઈ છે કે કેમ. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વળતા જવાબથી પણ ગઠબંધનની શક્યતાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થયું છે. હવે જોવાનું એ રહે છે કે વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP એકસાથે આવે છે કે પછી બંને પક્ષો સામસામે ચૂંટણી લડે છે. કોંગ્રેસ દ્વારા યોગ્ય સમયે લેવામાં આવનારો નિર્ણય આ દિશામાં મહત્વનો સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Bharuch: ભરૂચ જિલ્લાના ખેડૂતો આંદોલનના માર્ગે, પાવરગ્રીડ લાઇનના વિરોધમાં યોજી વિશાળ ટ્રેક્ટર રેલી
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: ભારે વરસાદના નવા રાઉન્ડને લઈ હવામાન વિભાગની મોટી આગાહી, જાણો ક્યાં તૂટી પડશે 
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?
મોંઘવારીનો વધુ એક માર, ગુજરાત ગેસે CNGના ભાવમાં કેટલો કર્યો વધારો ?

વિડિઓઝ

Surat food poisoning : સુરતમાં પરિવારના પાંચ સભ્યોને ફુડ પોઈઝનિંગ, પાંચ વર્ષની બાળકીનું મોત
Bardoli Sugar Election: બારડોલી સુગર મિલની ચૂંટણીમાં ઉલટફેર , કિસાન પરિવર્તન પેનલની ભવ્ય જીત
No Number Plate , No Petrol : રાજકોટ પોલીસનો મોટો નિર્ણય; નંબર પ્લેટ નહીં, તો ઈંધણ નહીં
Bhavnagar News : ભાવનગરમાં જુગાર પર રેડ દરમિયાન ભાગવા જતાં કૂવામાં ખાબકતા 3 યુવકોના મોત
Rajkot Police : રાજકોટમાં દુકાનદારે ચોકલેટની લાલચ આપી બાળકી સાથે કર્યું અધમ કૃત્ય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
સુરતના વરાછામાં ફૂડ પોઈઝનિંગથી 5 વર્ષની બાળકીનું મોત, 4 ગંભીર; શીતલ રેસ્ટોરન્ટ કરાઈ સીલ
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
નંબર પ્લેટ નહીં હોય તો વાહનમાં પેટ્રોલ નહીં પુરાય, રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
100 વર્ષમાં પહેલી વાર ટાટા સન્સની AGM રદ: જાણો અચાનક કેમ લેવાયો આ મોટો નિર્ણય?
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Rain Alert: ગુજરાત સહિત દેશના 14 રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જાણો લેટેસ્ટ અપડેટ 
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
Jio Prime Return: 20 ઓગસ્ટથી જિયો પ્રાઇમ શરૂ, જાણો આ મેમ્બરશિપમાં શું ફાયદા મળશે?
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
8th Pay : 8માં પગાર પંચમાં થશે બમ્પર વધારો! 45,000 રુપિયા થઈ શકે છે મિનિમમ પેન્શન? 
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
બારડોલી સુગર મિલ ચૂંટણીમાં ચોંકાવનારુ પરિણામ, ભાજપના આ પૂર્વ મંત્રીની હાર
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Gold Silver Rate:સોનાના ભાવમાં અચાનક ઘટાડો થયો, ચાંદી પણ તૂટી, જાણો લેટેસ્ટ કિંમત 
Embed widget