શોધખોળ કરો

કોંગ્રેસ સાથે ગઠબંધન મુદ્દે ગોપાલ ઇટાલિયાનો યુ-ટર્ન, 12 કલાકમાં બદલ્યો સૂર

પહેલા જનતા સાથે દિલના બંધનની વાત, પછી વાવ ચૂંટણીમાં થયેલા કરારનો કર્યો દાવો, કોંગ્રેસે નિવેદનને ગણાવ્યું બેજવાબદાર.

Gopal Italia Congress alliance: ગુજરાતમાં આગામી પેટાચૂંટણીઓને લઈને રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વિસાવદર વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) વચ્ચે ગઠબંધનની શક્યતાઓ પર અનેક અટકળો ચાલી રહી છે. આ દરમિયાન આમ આદમી પાર્ટીના નેતા ગોપાલ ઇટાલિયાએ આ મુદ્દે 12 કલાકમાં જ પોતાના નિવેદનને લઈને યુ-ટર્ન લીધો છે.

રવિવારે ગોપાલ ઇટાલિયાએ જનતા સાથે દિલના બંધનનો દાવો કર્યો હતો, જે તેમના પક્ષ દ્વારા એકલા ચૂંટણી લડવાના સંકેત માનવામાં આવતો હતો. જો કે, તેના બીજા જ દિવસે એટલે કે સોમવારે તેમણે પત્રકારોને સંબોધતા પોતાના સૂર બદલ્યા હતા. ગોપાલ ઇટાલિયાએ જણાવ્યું હતું કે વાવ વિધાનસભાની પેટાચૂંટણી સમયે કોંગ્રેસ સાથે નક્કી થયું હતું કે વાવ બેઠક પર આમ આદમી પાર્ટી પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે અને વિસાવદર બેઠક પર કોંગ્રેસ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે. તેમણે વધુમાં કહ્યું કે વાવ બેઠક પર અમે ઉમેદવાર ઊભો નહોતો રાખ્યો અને હવે તેમને વિશ્વાસ છે કે વિસાવદર બેઠક પર કોંગ્રેસ પણ પોતાનો ઉમેદવાર ઊભો નહીં રાખે.

આમ આદમી પાર્ટીના આ નિવેદન પર પ્રદેશ કોંગ્રેસે તુરંત જ વળતો જવાબ આપ્યો હતો. પ્રદેશ કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના નેતાઓ બેજવાબદારીભર્યા નિવેદનો કરે છે. તેમણે કહ્યું કે કોંગ્રેસનો સહારો પણ લેવો છે અને પછી કોંગ્રેસ પર ખોટા આરોપો પણ લગાવવા છે તે યોગ્ય નથી. મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે વિસાવદરની પેટાચૂંટણી સમયે પ્રદેશ કોંગ્રેસ ચર્ચા વિચારણા કરીને યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરશે. તેમણે ગોપાલ ઇટાલિયાના દાવાને ફગાવી દીધો હતો અને કહ્યું હતું કે કોંગ્રેસ કોઈ પણ પ્રકારના દબાણમાં આવવાની નથી.

ઉલ્લેખનીય છે કે વિસાવદરની બેઠકને લઈને રાજકારણ તેજ બન્યું છે. ગઠબંધનને લઈને કોંગ્રેસ અને AAP વચ્ચે ચાલી રહેલી ગૂંચવણ હજુ પણ યથાવત છે. AAP નેતા ગોપાલ ઇટાલિયાના બદલાયેલા સૂરથી આ મામલો વધુ રસપ્રદ બન્યો છે. તેમના નિવેદનથી એ સ્પષ્ટ નથી થઈ રહ્યું કે બંને પક્ષો વચ્ચે ખરેખર કોઈ સમજૂતી થઈ છે કે કેમ. કોંગ્રેસ દ્વારા આપવામાં આવેલા વળતા જવાબથી પણ ગઠબંધનની શક્યતાઓ પર પ્રશ્નાર્થ ચિન્હ ઊભું થયું છે. હવે જોવાનું એ રહે છે કે વિસાવદરની પેટાચૂંટણીમાં કોંગ્રેસ અને AAP એકસાથે આવે છે કે પછી બંને પક્ષો સામસામે ચૂંટણી લડે છે. કોંગ્રેસ દ્વારા યોગ્ય સમયે લેવામાં આવનારો નિર્ણય આ દિશામાં મહત્વનો સાબિત થશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
પ્રજાને ધક્કા ન ખવડાવો, કામ થતું હોય તો તરત કરો, નહીંતર ના પાડો: સીએમ ભૂપેન્દ્ર પટેલની કડક સૂચના
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ દિયોદર તાલુકા પંચાયતમાં કોંગ્રેસનો વિજય, પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ

વિડિઓઝ

Diyodar Taluka Panchayat: હાઈવોલ્ટેજ ડ્રામા વચ્ચે દિયોદર તા.પં.માં કોંગ્રેસની સત્તા
Ambalal Patel Rain Prediction: વરસાદ બોલાવશે ભુક્કા..: અંબાલાલ પટેલની મોટી આગાહી
Ahmedabad Firing News: સરાજાહેર ભડાકા કરનારા નિવૃત DySPની વધુ એક કરતૂતનો પર્દાફાશ
North Gujarat Weather Update: હવામાન વિભાગની આગાહી વચ્ચે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો
Monsoon 2026 : ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
લોકોને પેટ્રોલ બચાવવા અપીલ અને ખુદ લક્ઝરી કારમાં સવારી! બાબા બાગેશ્વરના બદલાયા સૂર
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ગાંધીનગરમાં 4 વર્ષની બાળકી પર દુષ્કર્મ કરનાર નરાધમને છેલ્લા શ્વાસ સુધી આજીવન કેદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
ભારે ઉકળાટ વચ્ચે ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: આ જિલ્લાઓમાં તૂટી પડ્યો વરસાદ
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
અમદાવાદ-ગાંધીનગર સહિત 30 જિલ્લાઓમાં મેઘરાજા ધબધબાટી બોલાવશે, IPL ફાઈનલ મેચમાં વરસાદ...
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
શિક્ષકો માટે મોટા સમાચાર, જાણો TET પરીક્ષાને લઈને સુપ્રીમ કોર્ટે શું આપ્યો આદેશ?
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
પેટ્રોલ-ડીઝલ ₹22 સસ્તું થયું! દુનિયામાં મોંઘવારી વચ્ચે આ સરકારે લોકોને આપી મોટી રાહત
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
રોકડ જમા કરાવવી કે જમીન ખરીદવી હોય, હવે આ કામ માટે PAN કાર્ડ જરૂરી નથી, જુઓ નવો નિયમ
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
કોકરોચ જનતા પાર્ટી પર RSS ની પ્રથમ પ્રતિક્રિયા, કહ્યું- ભારતના Gen Z...
Embed widget