![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 128 કેસ, જાણો કેટલા લોકોને અપાઇ રસી?
રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે
![Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 128 કેસ, જાણો કેટલા લોકોને અપાઇ રસી? Gujarat Corona Cases: 128 new cases of corona in Gujarat in last 24 hours Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 128 કેસ, જાણો કેટલા લોકોને અપાઇ રસી?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/03/03/9888967a9a25ffec8c9f1e3a8884c02c_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 128 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 1250 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 12 લોકો વેન્ટીલેટર પર છે. 1238 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,10,850 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,934 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી એક દર્દીનું મોત થયું છે.
અમદાવાદ કોર્પોરેશનમાં 51, ડાંગમાં નવ, વડોદરા કોર્પોરેશનમાં સાત, તાપીમાં છ, વડોદરામાં છ, બનાસકાંઠામાં પાંચ, ગાંધીનગરમાં પાંચ, કચ્છમાં ચાર, આણંદમાં ત્રણ, ગાંધીનગર કોર્પોરેશનમાં ત્રણ, જામનગર કોર્પોરેશનમાં ત્રણ, ખેડામાં ત્રણ, રાજકોટમાં ત્રણ, સુરતમાં ત્રણ, ભાવનગર કોર્પોરેશનમાં બે, દાહોદમાં બે, મહેસાણામાં બે, રાજકોટ કોર્પોરેશનમાં બે, સુરેન્દ્રનગરમાં બે, અમદાવાદ, અમરેલી, દેવભૂમિ દ્વારકા, નવસારી, પાટણમાં, સુરત કોર્પોરેશન અને વલસાડમાં એક-એક કોરોનાનો નવો કેસ નોંધાયો હતા.
તે સિવાય અરવલ્લી, ભરૂચ, ભાવનગર, બોટાદ, છોટા ઉદેપુર, ગીર સોમનાથ, જામનગર, જૂનાગઢ, જામનગર, જૂનાગઢ, જૂનાગઢ કોર્પોરેશન, મહીસાગર, મોરબી, નર્મદા, પંચમહાલ, પોરબંદર અને સાબરકાંઠામાં એક પણ કોરોનાનો કેસ નોંધાયો નહોતો.
બીજી તરફ આજે 305 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 99.00 ટકાએ પહોંચ્યો છે. આજે 98,958 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 1 લોકોના મોત થયા છે. સુરતમાં 1 કોરોના દર્દીનું મોત થયું હતું.
જ્યારે બીજી તરફ રાજ્ય સરકાર રસીકરણના મોરચે પણ મજબૂતાઈથી લડી રહી છે. રાજ્યમાં આજે 18-45 વર્ષના નાગરિકો પૈકી 8462 ને રસીનો પ્રથમ જ્યારે 31,654 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 1897 ને પ્રથમ જ્યારે 41,731 ને રસીનો બીજો ડોઝ અપાયો હતો. 15,214ને પ્રિકોર્શન ડોઝ અપાયા હતા. આ પ્રકારે કુલ 98,958 કુલ ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,31,93,784 રસીના ડોઝ અપાઇ ચુક્યાં છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)