શોધખોળ કરો
Advertisement
Coronavirus: રાજ્યમાં આજે 990 નવા કેસ નોંધાયા, કુલ સંક્રમિત દર્દીઓની સંખ્યા 1 લાખ 77 હજારને પાર
રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,77,598 પર પહોંચી છે. આજે 1055 દર્દીઓ સાજા થયા હતા
ગાંધીનગરઃ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે આજે વધુ 7 લોકોના મોત સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 3747 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 12,326 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 1,61,525 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 67 દર્દી વેન્ટીલેટર પર છે અને 12,259 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 1,77,598 પર પહોંચી છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 2, સુરત કોર્પોરેશનમાં 2, દાહોદ-1, ગાંધીનગર-1, સુરતમાં 1 મળી કુલ 7 લોકોનાં કરૂણ મોત થયા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોપોરેશનમાં 161, સુરત કોપોરેશનમાં 156, વડોદરા કોપોરેશનમાં 76, રાજકોટ કોપોરેશનમાં 61, સુરતમાં 61, મહેસાણા 44 ,વડોદરા 39,બનાસકાંઠા 35,રાજકોટ 33, પાટણ 29, સુરેન્દ્રનગર 23, નર્મદા 22, ગાંધીનગર કોપોરેશન 21, સાબરકાંઠા 17, ગાંધીનગર 16, મોરબી 16, જામનગર કોપોરેશન 14, કચ્છ 13, અમદાવાદ 12 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 1055 દર્દી સાજા થયા હતા અને 51,546 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં 63,13,668 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યમાં સાજા થવાનો દર 90.95 ટકા છે.
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 5,01,796 વ્યક્તિઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 5,01,698 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 98 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ધર્મ-જ્યોતિષ
સુરત
ક્રિકેટ
ગુજરાત
Advertisement