![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, ચાર લાખથી વધુ લોકોને અપાઇ રસી
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ચાર, વલસાડમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે.
![Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, ચાર લાખથી વધુ લોકોને અપાઇ રસી Gujarat Corona Cases: In the last 24 hours, 20 new cases of Corona have been reported in the state Gujarat Corona Cases: રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 20 કેસ નોંધાયા, ચાર લાખથી વધુ લોકોને અપાઇ રસી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/09/5fff8770b72681a52882a2909982edf2_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગુજરાતમાં આજે કોરોનાના નવા 20 કેસ નોંધાયા છે. તો બીજી તરફ 28 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,16,485 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.75 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક પણ મોત થયું નથી. આજે 4,86,262 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે અમદાવાદ કોર્પોરેશનમાં ચાર, વલસાડમાં ત્રણ, રાજકોટ કોર્પોરેશનમાં 2, વડોદરા કોર્પોરેશનમાં 2, જૂનાગઢ કોર્પોરેશનમાં 2, ગાંધીનગર કોર્પોરેશનમાં 1, કચ્છમાં 1, નવસારીમાં 1, સાબરકાંઠામાં 1, સુરત કોર્પોરેશનમાં 1, સુરેન્દ્રનગરમાં 1, વડોદરામાં 1 કોરોનાના નવા કેસ નોંધાયા હતા.
જો કોરોનાના એક્ટિવ કેસની વાત કરીએ તો રાજ્યમાં કુલ 209 કેસ છે. જે પૈકી 04 વેન્ટીલેટર પર છે, જ્યારે 205 નાગરિકો સ્ટેબલ છે. 8,16,485 નાગરિકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. 10090 નાગરિકોનાં અત્યાર સુધીમાં કુલ મોત નિપજ્યાં છે.
બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. રાજ્યમાં હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સ પૈકી 7 લોકોને કોરોના વાયરસની રસીનો પ્રથમ ડોઝ જ્યારે 739 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 8749 નાગરિકોને રસીનો પ્રથમ અને 1,14,296 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 18-45 વર્ષના નાગરિકો પૈકી 26,169 નાગરિકોને રસીનો પ્રથમ અને 3,36,302 નાગરિકોને રસીનો બીજો ડોઝ અપાયો હતો. આજના દિવસમાં 4,86,262 રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 7,24,64,058 રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર,દાહોદ, ડાંગ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર કોર્પોરેશન, જામનગર, જૂનાગઢ, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, સુરત, તાપીમાં એક પણ કોરોના વાયરસનો કેસ નોંધાયો નથી.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)