![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?
અત્યાર સુધીમાં કુલ 12,00,204 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.45 ટકાએ પહોંચી ચુક્યો છે.
![Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત? Gujarat Corona Cases: In the last 24 hours, 870 new cases of Corona were reported in Gujarat Gujarat Corona Cases: ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 870 કેસ નોંધાયા, જાણો કેટલા લોકોના થયા મોત?](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/17/63af2655352e36a8643f63fecf6e194a_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગરઃ ગુજરાતમાં આજે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 870 કેસ નોંધાયા છે. આ સાથે રાજ્યમાં કોરોનાના કુલ એક્ટિવ કેસનો આંકડો 8014 પર પહોંચી ગયો છે. રાજ્યમાં 53 લોકો વેન્ટીલેટર પર છે. 7961 લોકો સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 12,00,204 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોના સંક્રમણથી 10,864 લોકોના મોત થયા છે. રાજ્યમાં આજે સંક્રમણથી 13 લોકોના મોત થયા છે.
બીજી તરફ આજે 2221 દર્દીઓ રિકવર પણ થયા છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.45 ટકાએ પહોંચ્યો છે. આજે 1,82,549 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. આજે કોરોનાના કારણે 13 લોકોના મોત થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં 3, વડોદરા કોર્પોરેશનમાં 3, વડોદરામાં એક, ગાંધીનગર કોર્પોરેશનમાં એક, ગાંધીનગરમાં બે, દાહોદમાં એક, રાજકોટમાં એક, બોટાદમાં એક કોરોના દર્દીનું મોત થયું હતું.
અત્યાર સુધીમાં કુલ 12,00,204 દર્દીઓ રિકવર થઇ ચુક્યાં છે. જેના પગલે કોરોનાનો રિકવરી રેટ 98.45 ટકાએ પહોંચી ચુક્યો છે. બીજી તરફ રસીકરણના મોરચે પણ સરકાર મજબૂતીથી લડી રહી છે. હેલ્થકેર વર્કર અને ફ્રન્ટલાઇન વર્કર પૈકી 20 ને પ્રથમ અને 42 ને રસીનો બીજો ડોઝ અપાઇ ચુક્યો છે. 45 વર્ષથી વધારેની ઉંમરના 2307 ને પ્રથમ અને 12,656 ને બીજો ડોઝ અપાયો હતો. 18-45 વર્ષના નાગરિકો પૈકી 12,483 ને પ્રથમ અને 57,218 ને બીજો ડોઝ અપાયો હતો. 15-18 વર્ષના નાગરિકો પૈકી 8452 ને પ્રથમ અને 62,760 ને બીજો ડોઝ અપાયો હતો. 26,611 ને પ્રીકોશન ડોઝ અપાઇ ચુક્યાં છે. આ પ્રકારે આજના દિવસમાં કુલ 1,82,549 કુલ રસીના ડોઝ અપાયા હતા. અત્યાર સુધીમાં કુલ 10,17,45,636 કુલ રસીના ડોઝ અપાઇ ચુક્યા છે.
ચીનની આ દિગ્ગજ મોબાઇલ કંપની ભારતમાં 2023 સુધી કરશે 3,500 કરોડનું રોકાણ, જાણો શું છે પ્લાનિંગ........
EPFO સભ્ય છો ? તો જાણી લો સરકાર તમારા માટે શું શું આપી રહી છે લાભ, શું છે ફાયદો, જાણો વિગતે
મોદી સરકાર યુવાનોને દર મહિને આપી રહી છે 25000 રૂપિયા અને કાયમી નોકરી? જાણો સરકારે શું કરી સ્પષ્ટતા
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![gujarati.abplive.com](https://cdn.abplive.com/imagebank/editor.png)