શોધખોળ કરો
Advertisement
Gujarat Corona Cases update: રાજ્યમાં સતત બીજા દિવસે 600થી ઓછા કેસ નોંધાયા, 3 લોકોનાં મોત
છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4357 પર પહોંચ્યો છે.
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસના સંક્રમણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 570 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કુલ મૃત્યુઆંક 4357 પર પહોંચ્યો છે. રાજ્યમાં હાલ 7056 એક્ટિવ કેસ છે, જ્યારે અત્યાર સુધી કુલ 2,42,901 લોકોને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ 54 દર્દી વેન્ટીલેટર પર છે અને 7002 લોકો સ્ટેબલ છે.
ક્યાં કેટલા થયા મોત
રાજ્યમાં આજે અમદાવાદ કોર્પોરેશનમાં 1, ગાંધીનગરમાં 1 અને વડોદરામાં 1 મોત સાથે કુલ 3 લોકોના કોરોનાથી મોત નીપજ્યા હતા.
ક્યાં કેટલા નોંધાયા કેસ
અમદાવાદ કોર્પોરેશનમાં 107, સુરત કોર્પોરેશનમાં 83, વડોદરા કોર્પોરેશનમાં 77, રાજકોટ કોર્પોરેશનમાં 62, વડોદરા 27, રાજકોટ 23, ભરૂચ 18, સુરત 15, મહેસાણા 14, દાહોદ 12, કચ્છ 11, આણંદ 10, ગાંધીનગર-ગીર સોમનાથમાં 9-9 કેસ નોંધાયા હતા.
આજે કેટલા દર્દી થયા સાજા
રાજ્યમાં આજે કુલ 737 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.51 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,210 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગાંધીનગર
લાઇફસ્ટાઇલ
Advertisement