Gujarat Corona: ત્રણ વર્ષ બાદ ગુજરાતમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ, અમદાવાદની મહિલા મોતને ભેટી
Gujarat Corona: ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. 10 દિવસ પહેલા ફક્ત 257 હતા, જે હવે વધીને 3500 થી વધુ થઈ ગયા છે

Gujarat Corona: ફરી એકવાર દુનિયાને કોરોના ડરાવવા લાગ્યો છે, વર્ષ 2020માં ભયાનક તબાહી મચાવનારા કૉવિડ-19એ દેશ અને ખાસ કરીને ગુજરાતમાં માથુ ઉંચક્યુ છે. હાલમાં તાજા અપડેટ પ્રમાણે, ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસોની સંખ્યામાં સતત વધારો નોંધાઇ રહ્યો છે, એટલું જ નહીં આજે એટલે કે ત્રણ વર્ષ બાદ કોરોનાથી ગુજરાતમાં પ્રથમ મૃત્યુ નોંધાયુ છે, આ મૃત્યુની સાથે જ તંત્ર પણ પણ દોડતુ થઇ ગયુ છે. હાલમાં ગુજરાતમાં કોરોનાના 320 દર્દીઓ છે જે સારવાર હેઠળ છે.
ગુજરાતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. છેલ્લા 10 દિવસમાં કોરોના કેસોમાં ઝડપથી વધારો નોંધાઇ રહ્યો છે. તાજા હેલ્થ અપડેટમાં સામે આવેલી માહિતી ચોંકાવનારી છે, ગુજરાતમાં ત્રણ વર્ષ બાદ કોરોનાથી પ્રથમ મૃત્યુ નોંધાયુ છે. અમદાવાદની 46 વર્ષીય કોરોના સંક્રમિત મહિલાનું મૃત્યુ થયુ છે. કોરોનાની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે કોરોનાના 320 એક્ટિવ કેસો છે, કોરોનાના એક્ટિવ કેસમાં ગુજરાત દેશમાં ચોથા ક્રમે પહોંચી ગયુ છે, આ લિસ્ટમાં કેરળ, મહારાષ્ટ્ર, દિલ્લી બાદ ગુજરાતનો ચોથા ક્રમાંક છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં એક્ટિવ કેસમાં 55નો વધારો નોંધાયો છે. જો આ સ્થિતિ યથાવત રહી તો ગુજરાતમાં પરિસ્થિતિ વિકટ બની શકે છે.
દેશમાં કોરોનાના કેસો વધ્યા -
ભારતમાં કોરોના વાયરસનો કહેર વધી રહ્યો છે. 10 દિવસ પહેલા ફક્ત 257 હતા, જે હવે વધીને 3500 થી વધુ થઈ ગયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના 360 નવા કેસ નોંધાયા છે, જયારે બે લોકોના મોત પણ નોંધાયા છે. હાલમાં, સક્રિય દર્દીઓની સંખ્યા 3758 પર પહોંચી ગઈ છે અને પોઝિટિવિટી રેટમાં પણ થોડો વધારો થયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 363 નવા કેસ નોંધાયા છે, જે પછી દેશમાં સક્રિય કેસોની સંખ્યા 3758 થઈ ગઈ છે. રવિવારે મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના 65 નવા કેસ નોંધાયા, જેનાથી આ વર્ષે 1 જાન્યુઆરીથી રાજ્યમાં કુલ કેસની સંખ્યા 814 થઈ ગઈ છે. એક આરોગ્ય અધિકારીએ આ માહિતી આપી. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં જણાવવામાં આવ્યું કે આ 65 કેસમાંથી 31 પુણેના, 22 મુંબઈના, 9 થાણેના, બે કોલ્હાપુરના અને એક નાગપુરનો છે. આરોગ્ય વિભાગે જણાવ્યું હતું કે બધા કેસ હળવા પ્રકૃતિના છે અને દર્દીઓને નિયમિત સારવાર આપવામાં આવી રહી છે. કેરળ, મહારાષ્ટ્ર અને દિલ્હીમાં કોવિડ-19ના સૌથી વધુ કેસ નોંધાયા છે. કેરળમાં કોરોના વાયરસના સૌથી વધુ સક્રિય કેસ 1400 છે, જયારે દિલ્હીમાં 436 કેસ થઈ ગયા છે.





















