શોધખોળ કરો

Gujarat MSP Purchase: ખેડૂતો માટે ખુશખબર! 24 નવેમ્બરથી ડાંગર, બાજરી અને મકાઈની ટેકાના ભાવે ખરીદી શરૂ, જાણો ભાવ અને નિયમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ખેડૂતલક્ષી નિર્ણય: 31 જાન્યુઆરી, 2026 સુધી રાજ્યભરના વિવિધ કેન્દ્રો પર વેચાણ કરી શકાશે, જાણો પ્રતિ હેક્ટર મર્યાદા.

ગુજરાતના ધરતીપુત્રો માટે એક મહત્વપૂર્ણ અને રાહતદાયક સમાચાર આવ્યા છે. રાજ્ય સરકારે ખરીફ માર્કેટિંગ સીઝન 2025-26 અંતર્ગત ખેડૂતો પાસેથી સીધી જ ટેકાના ભાવે (MSP) પાક ખરીદવાનો નિર્ણય લીધો છે. આગામી સોમવાર, 24 નવેમ્બરથી રાજ્યભરમાં ડાંગર, બાજરી, જુવાર, મકાઈ અને રાગીની ખરીદી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ રાજકોટ ખાતેથી આ જાહેરાત કરતા જણાવ્યું હતું કે, તાજેતરમાં વરસાદી નુકસાન સામે 10,000 કરોડનું ઐતિહાસિક પેકેજ આપ્યા બાદ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે હવે ખેડૂતોને પોષણક્ષમ ભાવ અપાવવા માટે આ સંવેદનશીલ પગલું ભર્યું છે. આ ખરીદી પ્રક્રિયા 31 જાન્યુઆરી, 2026 સુધી ચાલશે.

ખેડૂતો પાસેથી સીધી ખરીદી: ક્યાં અને કેટલી?

રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોની સુવિધા માટે વ્યાપક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કૃષિ મંત્રીના જણાવ્યા અનુસાર, સોમવારથી શરૂ થતી આ ઝુંબેશ માટે રાજ્યભરમાં પાક મુજબ અલગ-અલગ ખરીદ કેન્દ્રો નક્કી કરવામાં આવ્યા છે. જેમાં ડાંગર માટે 113, બાજરી માટે 150, મકાઈ માટે 82, જુવાર માટે 50 અને રાગી માટે 19 કેન્દ્રો પરથી ખરીદી કરવામાં આવશે.

પ્રતિ હેક્ટર ખરીદીની મર્યાદા: સરકારે નોંધણી થયેલા ખેડૂતો પાસેથી જથ્થો ખરીદવા માટે હેક્ટર દીઠ મર્યાદા પણ નક્કી કરી છે, જે નીચે મુજબ છે:

મકાઈ: પ્રતિ હેક્ટર 1864 કિલોગ્રામ

બાજરી: પ્રતિ હેક્ટર 1848 કિલોગ્રામ

જુવાર: પ્રતિ હેક્ટર 1539 કિલોગ્રામ

ડાંગર: પ્રતિ હેક્ટર 1500 કિલોગ્રામ

રાગી: પ્રતિ હેક્ટર 903 કિલોગ્રામ

જાણો શું રહેશે ટેકાના ભાવ (MSP)?

ખેડૂતોને આર્થિક રીતે સધ્ધર કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા નક્કી કરાયેલા લઘુત્તમ ટેકાના ભાવે જ આ ખરીદી કરવામાં આવશે. ક્વિન્ટલ દીઠ જાહેર કરાયેલા ભાવ નીચે મુજબ છે:

રાગી: ₹5186

જુવાર (માલદંડી): ₹4049

જુવાર (હાઇબ્રીડ): ₹3999

બાજરી: ₹3075

મકાઈ: ₹2400

ડાંગર: ₹2369 અને ₹2389 (ગ્રેડ મુજબ)

ગરીબ કલ્યાણ અને ખેડૂત હિતનો સંગમ

સરકારના આ નિર્ણય પાછળ બેવડો હેતુ રહેલો છે. એક તરફ ખેડૂતોને તેમના ઉત્પાદનના પૂરતા ભાવ મળશે, તો બીજી તરફ આ ખરીદાયેલો જથ્થો ગરીબ કલ્યાણ માટે વપરાશે. અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ દ્વારા આ અનાજને 'પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના' અને NFSA હેઠળ આવરી લેવાયેલા રાજ્યના 74 લાખ પરિવારોના 3.60 કરોડ નાગરિકોને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવશે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકીએ પણ મુખ્યમંત્રીના આ નિર્ણયને આવકારતા ખેડૂત અને ગરીબ હિતલક્ષી ગણાવ્યો છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
Advertisement

વિડિઓઝ

Kinjal Dave: સમાજમાંથી બહિષ્કાર કરાયા મુદ્દે ગાયક કિંજલ દવેએ તોડ્યું મૌન, લગ્નનો વિરોધ કરનારાને ગણાવ્યા અસામાજિક તત્ત્વો
Rajkot News: રાજકોટમાં 4.025 કિલો ગાંજા સાથે મહિલા, પુરુષની ધરપકડ
Surat Fire Incident: સુરતના બારડોલીમાં પ્લાસ્ટિકના ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લાગી
Nitin Patel Statement: હિંદુઓની વસ્તી અંગે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું સનસનીખેજ નિવેદન
Ahmedabad news: અમદાવાદના ઘાટલોડિયાના આવેલી સ્નેહાંજલી સોસાયટીના રહીશો સંકટમાં મુકાયા
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
ગાંધીનગર શરમસાર: 5 વર્ષની માસૂમ પર દુષ્કર્મ! રાત્રે ઉઠાવી જઈને પીંખી નાખી, 4 નરાધમો ઝડપાયા
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
EPFO Update: હવે કોઈપણ કારણ વગર ઉપાડી શકાશે PF ના 75% રૂપિયા, જાણો સરકારનો નવો નિયમ
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
BCCI Big Update: ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડીઓ માટે નવો નિયમ લાગુ! હવે ઓછામાં ઓછી 2 મેચ....
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
તમિલનાડુ અને આસામ માટે ભાજપે ચૂંટણી પ્રભારી કર્યા જાહેર, ગુજરાતના આ મહિલા નેતાને સોંપાઈ મોટી જવાબદારી
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
PF ખાતાધારકો માટે મોટા સમાચાર, હવે માર્ચથી ATM માંથી ઉપાડી શકશો પૈસા, જાણો તમામ ડિટેલ્સ 
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
BJP સાંસદનો દાવો, કહ્યું,- 'નેહરુ અને ઈન્દિરા ગાંધીએ CIA ને નંદા દેવી પર ન્યૂક્લિયર ડિવાઈસ લગાવવાની આપી હતી મંજૂરી'
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
8th Pay Commission: કેંદ્ર સરકારના કર્મચારી-પેન્શનર્સના પગારમાં ધરખમ વધારો થશે, જાણો ડિટેલ્સ
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Gold Rate: સોના-ચાંદીમાં ફરી જોરદાર ચમક, જાણો મહાનગરોમાં શું છે લેટેસ્ટ કિંમત 
Embed widget