શોધખોળ કરો

Gujarat Monsoon: રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા

Gujarat Monsoon: હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. જને લઈ ગરબા આયોજકોની ચિંતા વધી છે.

Gujarat Monsoon: ગુજરાતમાં ચોમાસું વિદાય ભણી છે. હાલ નવરાત્રી ચાલી રહી છે અને આજે બીજું નોરતું છે. બીજા નોરતાએ પણ રાજ્યના ઘણા વિસ્તારમાં વરસાદ પડ્યો છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિકે જણાવ્યું, ગુજરાતમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદ રહેશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી છે. ઉપરાંત સોરાષ્ટ્રમાં જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે.

ગુજરાતમાં આજે ક્યાં ક્યાં પડ્યો વરસાદ

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, અમદાવાદમાં આગામી દિવસોમાં સામાન્ય વરસાદની શક્યતા છે. અમદાવાદમાં વાદળ છાયુ વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા છે.  અમદાવાદમાં સતત બીજા નોરતે વરસાદની પધરામણી થઈ છે. શહેરના મણિનગર વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, તો અમુક વિસ્તારોમાં છાંટા પડ્યા છે. 

અમરેલી જિલ્લામાં સતત બીજા દિવસે વરસાદનું આગમન થયું છે. બાબરા શહેરમાં વરસાદી ઝાપટું પડ્યું છે. લાંબા વિરામ બાદ વરસાદનું આગમન થયું છે. ભારે બફારા બાદ વરસાદી ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.


Gujarat Monsoon: રાજ્યમાં બીજા નોરતે પણ થઈ મેઘરાજાની પધરામણી, ગરબા આયોજકોની વધી ચિંતા

ભરૂચ શહેરના શક્તિનાથ થી કલેકટર ઓફિસ વિસ્તારમાં વરસાદી ઝાપટા પડ્યા છે. બીજા  નોરતે વરસાદે દસ્તક આપતા ગરબા રસિયાઓ ચિંતામાં મુકાયા છે. ભરૂચ બાદ અંકલેશ્વરમાં પણ વરસાદી ઝાપટાં પડ્યા છે. અંકલેશ્વરની વાલિયા ચોકડી, ભડકોદ્રા, કાપોદ્રા અને કોસમડી સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. વરસાદ વરસતા બફારાથી રાહત મળી છે. જેને લઈ ગરબા આયોજકો અને ખેલૈયાઓ મૂંઝવણ મુકાયા છે.

પોરબંદરના બરડા પંથકમાં વરસાદ છે. બપોરના સમયે વાતાવરણ માં પલટો આવ્યો છે. અડવાણા અને આસપાસ ના વિસ્તારમાં ધીમીધારે વરસાદ છે.

બનાસકાંઠાના ધાનેરામાં વરસાદી વાતાવરણ  છે. બીજા નોરતે બપોરે ઝરમર ઝરમર વરસાદની શરૂઆત થઈ છે. ધાનેરા સહિત ગ્રામીણ વિસ્તારમાં પણ ઝરમર વરસાદ છે. કાંકરેજમાં પણ વરસાદી ઝાપટું પડ્યું છે. કાંકરેજના શિહોરી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જાપટું પડ્યું છે. વરસાદી ઝાપટું પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

ભારતમાં શું છે કોરોનાની સ્થિતિ

દેશમાં કોરોના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 3 હજાર 230 નવા કેસ નોંધાયા છે. દૈનિક પોઝિટિવિટી રેટ 1.18 ટકા થયો છે. 4255 દર્દી સાજા થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરાયેલા નવા આંકડા બાદ હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 42 હજાર 358 થઈ છે. કુલ 4 કરોડ 40 લાખ 4 હજાર 553 લોકો કોરોના મુક્ત થયા છે. મૃત્યુના કુલ આંકડા પર નજર કરીએ તો આ આંકડો 5 લાખ 28 હજાર 562 પર પહોંચ્યો છે. અત્યાર સુધીમાં કુલ 217 કરોડ 82 લાખ 43 હજાર 967 રસીના ડોઝ આપવામાં આવ્યા છે. જેમાંથી ગઈકાલે 14 લાખ 8 હજાર 253 ડોઝ અપાયા હતા.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
ગુજરાતમાં 10 જૂન સુધી વરસાદી માહોલ, આ જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસશે વરસાદ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન
PM મોદી આજે ગુજરાતના પ્રવાસે, ₹12,000 કરોડના વડોદરા-મુંબઈ એક્સપ્રેસ વે અને દમણમાં એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન

વિડિઓઝ

Rajya Sabha Candidates: ભાજપે નામ જાહેર કરીને ફરી સૌને ચોંકાવ્યા, રાજ્યસભા માટે 4 ઉમેદવારોની જાહેરાત
Hun To Bolish : હું તો બોલીશ : ચોમાસાનું આગમન
Hun To Bolish : હું તો બોલીશ : ઓપરેશન ડેલ્ટા હંટ
Hun To Bolish : હું તો બોલીશ : બેફામ ડમ્પર
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂત મજબૂર કેમ ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
મોંઘવારી વચ્ચે વાલી માટે રાહતના સમાચાર, રાજ્યમાં પાઠ્યપુસ્તકોના ભાવમાં વધારો નહીં થાય
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
Annamalai Resign: કે. અન્નામલાઈએ BJP ને કહ્યું અલવિદા; પાર્ટી પ્રમુખે સ્વીકાર્યું રાજીનામું
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
વિશ્વ પર્યાવરણ દિવસે સુરતમાં PM મોદી, ગ્રીન થીમ પર યોજાશે કાર્યક્રમ
"મને આઘાત લાગ્યો,રાજીનામું આપી રહ્યો છું..." CM DK શિવકુમારને કોણે આપ્યો મોટો ઝટકો, આપી દીધુ રાજીનામું
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
Rajya Sabha Election: રાજ્યસભા ચૂંટણી માટે ભાજપના ઉમેદવારોની જાહેરાત, જાણો કોને બનાવ્યા ઉમેદવાર?
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
ગૌતમ અદાણીએ રચ્યો ઇતિહાસ, 2026 માં દરરોજ એટલી કમાણી કરી કે આંકડો જાણીને હોંશ ઉડી જશે
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
જો તમે કાર ખરીદવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા માટે જ છે, Tata ની કારો પર મળી રહ્યું છે બમ્પર ડિસ્કાઉન્ટ
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
ઇન્સ્ટાગ્રામ રીલ્સ પર શું જુએ છે ભારતીયો? 2026 ના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો
Embed widget