શોધખોળ કરો

Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Gujarat Rain Live Updates: હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે

LIVE

Key Events
Gujarat Rain Live Updates: અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

Background

Gujarat Rain Live Updates:  હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ત્રણ દિવસ હજુ પણ ગુજરાતમાં વરસાદી માહોલ રહેશે. બંગાળની ખાડીમાં સર્જાયેલ સિસ્ટમ ગુજરાત પર આવતા રાજ્યમાં વરસાદનું જોર વધ્યું છે.  હાલની સ્થિતિ પ્રમાણે આ સિસ્ટમ રાજસ્થાન અને ગુજરાત તરફ આગળ વધી રહી છે પરિણામ સ્વરૂપ ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 244 તાલુકામાં વરસાદ વરસ્યો છે. સોથી વધુ ખેરગામમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે.

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 244 તાલુકામાં વરસાદ

  •  છેલ્લા 24 કલાકમાં ખેરગામમાં 16 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડાંગ-આહવામાં 11 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 11 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં વઘઈમાં 10 ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ધરમપુરમાં સાડા નવ ઈંચ વરસાદ
  • છેલ્લા 24 કલાકમાં ડેડીયાપાડામાં સાડા નવ ઈંચ વરસાદ
17:31 PM (IST)  •  26 Aug 2024

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી હતી.  રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તમામ જિલ્લાઓમાં અતિભારે વરસાદ વરસી શકે છે. મુખ્યમંત્રીએ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે બેઠક કરી છે. તમામ જિલ્લાના કલેક્ટર્સ સાથે મુખ્યમંત્રીએ વાત કરી હતી.

17:30 PM (IST)  •  26 Aug 2024

મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર

મૂશળધાર વરસાદથી આણંદ જળબંબાકાર થયું છે. ધોધમાર વરસાદથી આણંદમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. આણંદની અનેક સોસાયટીઓમાં પાણી ભરાયા હતા. લોટીયા ભાગોર નજીક આવેલું લોટેશ્વર તળાવ ઓવરફ્લો થયું હતું. તળાવ ઓવરફ્લો થતાં તળાવના પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આણંદના નાપા ગામ પાસે દાંડી માર્ગ ધોવાયો હતો. સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા હતા. આણંદમાં આજે આઠ ઈંચ વરસાદ ખાબક્યો હતો. આણંદના બોરસદમાં આજે 10 ઈંચ, ખંભાતમાં આઠ ઈંચ, તારાપુરમાં સાડા સાત ઈંચ વરસાદ વરસ્યો હતો.

16:21 PM (IST)  •  26 Aug 2024

આણંદ જિલ્લામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો

આણંદ જિલ્લામાં છ કલાકમાં સાડા પાંચ ઇંચ વરસાદ વરસ્યો હતો. આણંદના કલેક્ટરે ડિઝાસ્ટર કચેરીની મુલાકાત લીધી હતી. કંટ્રોલ રૂમની કામગીરીની સમીક્ષા કરી હતી. SDRFની એક ટીમને સ્ટેન્ડબાય રાખવામાં આવી હતી.

 

 

16:18 PM (IST)  •  26 Aug 2024

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ

અમદાવાદમાં ફરી ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના નારોલ, નરોડા, સીટીએમ, નિકોલમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં અનેક ઠેકાણે ઘૂંટણસમા પાણી ભરાયા હતા. અમદાવાદના અનેક  અંડરપાસમાં પાણી ભરાયા હતા.

અમદાવાદના મકરબા વિસ્તારમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે. એસજી હાઈવે, એસપી રિંગ રોડ, સીજી રોડ વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. તે સિવાય રાણીપ, વાડજ, ઠક્કરબાપાનગર વિસ્તારમાં વરસાદ વરસ્યો હતો. જમાલપુર વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. શહેરની અનેક સોસાયટીમાં પાણી ભરાયા હતા.

15:05 PM (IST)  •  26 Aug 2024

વડોદરાના વાઘોડીયામાં જળબંબાકારની સ્થિતિ

વડોદરાના વાઘોડીયામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. ગ્રીન પાર્ક, શિવ કૃપા સોસાયટીમાં પાણી ભરાયા હતા. પરિશ્રમ, આનંદ નગરી વિસ્તારમાં પાણી ભરાયા હતા. કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમા ભરાયા હતા.

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Advertisement
ABP Premium

વિડિઓઝ

Arvind Kejriwal Bail | અરવિંદ કેજરીવાલની જામની અરજીને લઈને સૌથી મોટા સમાચાર | Watch Video | 13-9-2024Ambaji Grand Fair| મહામેળાના બીજા દિવસે આજે કેવો છે માહોલ?, Watch VideoJamnagar | ગણેશ મહોત્સવમાં પ્રસાદી લીધા બાદ 80 લોકોને ફુડ પોઈઝનિંગ | Food poisoningSurat Dengue Death | રેસિડેન્ટ ડોક્ટરનું ડેન્ગ્યુથી થયું મોત| Watch Video

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Gandhinagar: દહેગામ નજીક ગણેશ વિસર્જન દરમિયાન 10 લોકો પાણીમાં ડૂબ્યાની આશંકા, 2 મૃતદેહો મળ્યા
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Kolkata: હવે કોલકાતાનો 'નરાધમ' સંજય રાય કરશે રેપ-મર્ડર કેસના ખુલાસા, CBIને નાર્કો ટેસ્ટની મળી મંજૂરી
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Gandhinagar: ખેતીની જમીનની વેંચાણ પ્રક્રિયાને સરળ બનાવવા ગુજરાત સરકારે લીધો મોટી નિર્ણય
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Panchmahal: ગોધરામાં ગણેશ વિસર્જન દરમિયાન કોમી એકતા વચ્ચે શાંતિ ડહોળવાનો પ્રયાસ,ટીખળખોરે ફેંક્યો પથ્થર
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
Dengue Cases: ડેન્ગ્યુના ભરડામાં આવ્યા રાજ્યના ચાર મહાનગરો,તાવને હળવાશથી ન લેવા ડોક્ટરોની સલાહ
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
'સીબીઆઈએ બતાવવું જોઈએ કે તે પાંજરામાં બંધ પોપટ નથી', કેજરીવાલને જામીન આપતી વખતે જસ્ટિસ ભુઇયાંની મહત્વપૂર્ણ ટિપ્પણી
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Surat: સુરતમાં સ્મીમેર હોસ્પિટલના રેસિડેન્ટ તબીબનું ડેન્ગ્યૂના કારણે મોત થતા ચકચાર
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Dengue Symptoms: વરસાદ બાદ ઝડપથી વધી રહ્યા છે ડેંગ્યુના કેસ, આ લક્ષણો જોવા મળે તો તરત જાવ ડોક્ટર પાસે
Embed widget