શોધખોળ કરો

Morabi Bridge Case Hearing: મોરબી પુલ દુર્ઘટના મુદ્દે કોર્ટનો આદેશ, જયસુખ પટેલે મૃતકના પરિવારને ચુકવવી પડશે આટલી રકમ

Morabi Bridge Case Hearing:મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે આજે વચગાળાના વળતર મુ્દે સુનાવણી હાથ ઘરાઇ હતી. આજે કોર્ટે ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલને મૃતકના પરિવારને 10 લાખનું વળતર ચૂકવવાના આદેશ કર્યાં છે.

Morabi Bridge Case Hearing:મોરબી ઝુલતા પુલની દુર્ઘટનાના કેસ મામલે આજે સતત ત્રીજા દિવસે સુનાવણી હાથ ધરાઇ હતી. કોર્ટે Oreva કંપનીને એમડી જયસુખ પટેલ પ્રતિ મૃતક  10 લાખનું  વચગાળાના વળતર  ચૂકવવાના આદેશ કર્યાં છે. તો ઇજાગ્રસ્તને બે લાખ રૂપિયાનું વચગાળાનું વળતર ચુકવવાનો હુકમ કર્યો છે.

ભારતના બંધારણ, અપકૃત્યના કાયદા અને સુપ્રીમ કોર્ટના વિવિધ ચુકાદાઓનો હવાલો ટાંકીને કોર્ટનું અવલોકન મુજબ  અહીં દુર્ઘટનામાં સરકારી મશીનરી અને કંપની બંનેની અલગ અને સંયુક્ત જવાબદારી દેખાય રહી  છે.કોર્ટે જણાવ્યું કે, “જે લોકોએ જિંદગી ગુમાવી છે તેની જિંદગી તો પરત કોઇ નહી આપી શકે. જિંદગીની  કોઈ કિંમત કે એનું કોઈ વળતર હોઇ ના શકે, અહીં તો માત્ર વતળતર ચૂકવવાનો પ્રયાસ થઇ શકે...આનો અર્થ... અમૂલ્ય જીવ ગયો હોય એનું વળતર કઈ રીતે નક્કી થાય, તે મુદે યોગ્ય ન્યાય થવો જોઇએ”

આ ઉપરાંત કોર્ટે તમામ મ્યુનિસિપલ વિસ્તારોમાં આવેલા બ્રિજનું રિપેરિંગ અને નીરિક્ષણ સહિતની  જવાબદારી નક્કી કરતી નિતી 15 દિવસમાં બનાવવા પણ  સરકારને હુકમ કર્યો છે.  ગઈ કાલે જ સુનાવણી દરમિયાન સપષ્ટ ષ્ટ કર્યું હતું, આ તો તમને તક આપવા માંગતા હતા, જોકે વચગાળાના વળતર અંગે અમે હુકમ કરી રહ્યા છીએ.કોર્ટે જયસુખ પટેલના વકીલ ને કહ્યું હતું કે વકીલ તરીકે તમારી મર્યાદા હોય શકે. આ પહેલા જયસુખ પટેલે પ્રતિ મૃતક 5 લાખ ચૂકવવાની તૈયારી દર્શાવી હતી.

2 દિવસ સુનાવણી દરમિયાન શું થઇ હતી દલીલ

મોરબી ઝુલતા પુલ તૂટવાની દુર્ઘટના મુદ્દે થયેલી સુઓ મોટો અરજી પર આજે  સુનાવણી  હાથ ઘરાઇ હતી.  દુર્ઘટનામાં મૃત્યુ પામેલાના પરિજનોને વચગાળાના વળતર મામલે આજે હાઇકોર્ટમાં સુનાવણી થઇ હતી.Oreva જૂથ અને જયસુખ પટેલ તરફથી મૃતકો ને 5 લાખ વળતર અને ઇજાગ્રસ્તો ને 1 લાખ એડ હોક વળતર ચૂકવવા અંગે ની કોર્ટમાં તૈયારી દર્શાવી હતી,  જો કે આ મામલે કોર્ટે પૂછ્યું... શું તમારી દૃષ્ટિ એ આ વળતર પૂરું અને વ્યાજબી લાગે છે?.. કોર્ટે કહ્યું હતું કે,  આ રકમ વ્યાજબી નથી. જો કે જયસુખ પટેલ તરફથી જવાબ અપાયો હતો કે, આ એક  આ એડહોક વળતર હશે. તેમણે  વધુ વળતર ચૂકવવા તૈયારી દર્શાવી હતી. આ મુ્દ્દે આજે સતત ત્રીજા દિવસે પણ સુનાવણી હાથ ધરાઇ હતી. આ મામલે સુપ્રીમ કોર્ટે પણ વચગાળાના વળતર માટે ગાઈડલાઈન આપી છે. 

આ પહેલાની સુનવાણીમાં કોર્ટે  પ્રાથમિક રીતે સંકેત આપ્યા હતા કે, જો સરકારે દસ લાખ વળતર ચૂકવતી  હોય તો આ વચગાળાના વળતરને 45% ગણાય જ્યારે કંપનીની 55% જવાબદારી નક્કી થાય, આ પ્રકારનું સુપ્રીમ કોર્ટનું અવલોકન છે.આનો અર્થ એ થાય છે કે આ થિયરી અને ગાઇડલાઇન પ્રમાણે દરેક મૃતકને વચગાળાના વળતર માં ઑરેવા કંપનીએ 12.5 લાખ રૂપિયા ચૂકવવા પડે. આ અંગે આજે ફરી સુનાવણી થઇ હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Sthanik Swaraj Election: ચૂંટણીમાં લગ્ન બંધનમાં જોડાયા પહેલા અનેક વર-કન્યાએ કર્યું મતદાનSurat News: સુરત જિલ્લામાં બુટલેગરનો આતંક, ગભેણી ગામે પોલીસકર્મી સાથે હાથાપાઈ, Video ViralIPL 2025 schedule: IPLની 18મી સીઝનનું શિડ્યૂલ જાહેર, RCB અને KKR વચ્ચે 22 માર્ચે ઓપનિંગ મેચSthanik Swaraj Election: સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, જાણો સરેરાશ કેટલા ટકા થયું મતદાન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પૂર્ણ, 18 ફેબ્રુઆરીએ આવશે પરિણામ
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 શેડ્યૂલની જાહેરાત, 22 માર્ચે KKR અને RCB વચ્ચે પ્રથમ મેચ, આ તારીખે રમાશે ફાઈનલ 
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
IPL 2025 schedule: 13 સ્થળો, 65 દિવસ, 74 મેચ.. 10 વર્ષ પછી IPLમાં પહેલીવાર આવું થશે
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
સોમવારથી FASTag નિયમોમાં ફેરફાર: મુસાફરી પહેલાં જાણી લો, નહીં તો થશે મોટો દંડ
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
'કપાઈ ગયા, દબાઈ ગયા, મરી ગયા...' નવી દિલ્હી રેલ્વે સ્ટેશન નાસભાગના પ્રત્યક્ષદર્શીએ વર્ણવી ખૌફનાક કહાની
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
IPL 2025 GT Schedule: IPL માં ગુજરાત ટાઈટન્સની તમામ મેચનું અહીં જુઓ શેડ્યૂલ 
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં  ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Local body Election: સાબરકાંઠાના પ્રાંતિજમાં ભાજપના ઉમેદવારો બોગસ વોટિંગ કરાવતા હોવાનો આરોપ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Stampede: નવી દિલ્લી રેલવે સ્ટેશન ક્યાં કારણે મચી ગઇ હતી નાસભાગ, સામે આવ્યું આ મુખ્ય કારણ
Embed widget

We use cookies to improve your experience, analyze traffic, and personalize content. By clicking "Allow All Cookies", you agree to our use of cookies.