શોધખોળ કરો

હવામાન વિભાગની આગાહી વચ્ચે જાણો ક્યા ક્યા પડ્યો વરસાદ ?

રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર,  બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે.

ગાંધીનગર:  રાજ્યમાં આગામી ત્રણ કલાક ભારે પવન સાથે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે અમદાવાદ, વડોદરા, આણંદ, ખેડા, પંચમહાલ, વલસાડ, નવસારી, પાટણ, તો સૌરાષ્ટ્ર-કચ્છમાં ભાવનગર,  બોટાદ, રાજકોટ, મોરબી, કચ્છ અને સુરેન્દ્રનગરમાં આગામી ત્રણ કલાક ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી ત્રણ કલાક રાજ્યમાં પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાકની રહેશે.

હવામાન વિભાગની આગાહી વચ્ચે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ છે. મધ્યમાં આણંદ,  વડોદરામાં તો દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપી સહિતના સ્થળે વરસાદ વરસ્યો છે. 

કચ્છ જિલ્લાના કેટલાક વિસ્તારમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. જિલ્લાના રાપર અને ભચાઉ તાલુકામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  રાપર તાલુકાના નિલપર અને આસપાસના ગામડાઓમાં વાવણીલાયક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. ભારે પવન સાથેના વરસાદના કારણે લાઈટના થાંભલા ધરાશાયી થતા વિજળી ગૂલ થઈ છે.  ભચાઉના ખારોઈ, ચોબારી, કણખોઈ સહિત ગ્રામ્ય વિસ્તારમાં પવન સાથે વરસાદ વરસી રહ્યો છે. ધોઘમાર વરસાદના કારણે રસ્તા પર પાણી વહેતા થયા છે.  હવામાન વિભાગની આગાહી પ્રમાણે વરસાદ શરુ થવાના કારણે ધરતીપુત્રોમાં ખુશીની લહેર છવાઈ છે.

મોરબીના હળવદ પંથકમાં ધોધમાર વરસાદ શરુ થયો છે.  ધોધમાર વરસાદના કારણે મોરબી જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે.

નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં ધોધમાર વરસાદ શરુ થયો છે.   ચીખલી ખાતે આવેલ નેશનલ હાઇવે નંબર 48 સહિત તાલુકામાં ધોધમાર વરસાદના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે.  આજે વહેલી સવારથી નવસારી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમા વરસાદ વરસી રહ્યો છે.

ભારે ઉકળાટની વચ્ચે ગઈકાલથી સમગ્ર રાજ્યમાં મેઘમહેર જોવા મળી છે. સરકારી આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 93 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં આણંદમાં સૌથી વધારે અઢી ઈંચ તો ખેડાના વસોમાં 2.4 ઇંચ વરસાદ પડ્યો છે. 

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહિમામ, મોટાભાગના શહેરોમાં તાપમાન 43 ડિગ્રીને પાર
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ
4 દિવસ બપોરે બહાર ન નીકળતા: તાપમાન 44°C પાર, 2 જિલ્લામાં ઓરેન્જ અને 12માં યલો એલર્ટ

વિડિઓઝ

Gujarat Heat Wave: રાજ્યમાં ઉનાળાએ ધારણ કર્યું રૌદ્ર સ્વરૂપ, જાણો ક્યાં કેટલું નોંધાયુ તાપમાન?
NEET UG 2026 Exam Cancelled : પેપર લીકના આરોપો બાદ NEET-UG 2026 પરીક્ષા રદ
Sabarkantha news: હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત
Surat Congress Protest : સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર પર હુમલાના વિરોધમાં રેલી
PM Modi Speech At Sardar Dham : PM મોદીની દેશના નાગરિકોને અપીલ, શાળાઓમાં ઓનલાઇન એજ્યુકેશન પર ભાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
NEET 2026 Cancelled: પેપર લીક બાદ NEET પરીક્ષા રદ્દ, CBI કરશે મામલાની તપાસ
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
Gujarat Heat: કાળઝાળ ગરમીથી ક્યારે મળશે રાહત, જાણો અંબાલાલ પટેલની લેટેસ્ટ આગાહી
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
NEET UG 2026 : ફરીથી પરીક્ષા આપનારાઓને શું ફરીથી મળશે એડમિટ કાર્ડ, ફોટો-સહી માટે શું છે નિયમો?
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
UPSC Recruitment 2026: UPSCએ ગ્રુપ- A અને B માટે બહાર પાડી ભરતી, મંત્રાલયમાં મળશે પોસ્ટિંગ
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
8th Pay Commission: કર્મચારી યુનિયનોની મોટી માંગ, 3ના બદલે 5 સભ્યોના આધારે નક્કી થાય પગાર
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
તમિલનાડુમાં ફ્લૉર ટેસ્ટ પહેલા બે જૂથોમાં વહેંચાઇ AIADMK, એક જૂથે વિજયની TVK ને સમર્થનનું કર્યું એલાન
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
હિંમતનગરના લક્ષ્મીપુરામાં વીજ કરંટ લાગતા બે ખેડૂતોના મોત, UGVCL સામે લોકોનો રોષ 
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
તમિલનાડુના CM બનતાં જ થલાપતિ વિજયનો મોટો નિર્ણય, 15 દિવસોની અંદર દારૂની દુકાનો....
Embed widget