શોધખોળ કરો

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની મહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાના રંગપુરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.

ગીર સોમનાથ: ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. સૂત્રાપાડાના રંગપુરમાં સતત બીજા દિવસે ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.  મુશળધાર વરસાદના કારણે વાડી વિસ્તારના વોકળામાં પૂર આવ્યા છે. ધોધમાર વરસાદના કારણે જુવારનો પાક ઢળી પડ્યો હતો.  વોકળામાં પૂર આવતા જ રોડ- રસ્તા પર પાણી ફરી વળ્યા અને રસ્તા બંધ થઈ ગયા હતા. 

મુશળધાર વરસાદ વરસતા ખેડૂતોની મૂરઝાતી મૌલાતને જીવનદાન મળ્યું છે.  મગફળી, સોયાબીન, બાજરી સહિતના પાકોનું ખેડૂતોએ વાવેતર કર્યું હતું. જેને પાણીની જરૂરત હતી.  સમસયસર વરસાદ વરસી જતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો છે. 


ગીર સોમનાથના સૂત્રાપાડા તાલુકામાં મેઘરાજાની મહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ

ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. આજે બીજા દિવસે પણ વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. તાલાલા શહેરમાં મેઘરાજાએ મહેર વરસાવી છે. તાલાલા ઉપરાંત સેમાલિયા, પીખોર, ગુંદાળા, જમાલપરા સહિતના ગામોમાં પણ ભારે પવન સાથે વરસાદ પડી રહ્યો છે. જેને પગલે સેમળીયાથી પાણીકોઠા રોડ પર પાણી ફરી વળ્યા છે. 

રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.  રાજ્યના મોટા ભાગના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ પડશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા આ  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રવિવારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આવતીકાલે રથયાત્રાના દિવસે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.  અમદાવાદ સહિત રાજ્યના વિવિધ વિસ્તારમાં રવિવારથી ધોધમાર વરસાદની હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી છે. 

હવામાન વિભાગનું અનુમાન છે કે, રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં આ વખતે વરસાદ પડશે.  હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાઓએ પણ આગામી 21 જુલાઇ સુધી અમદાવાદમાં ભારે વરસાદની આગાહી કરી છે એ જોતાં અમદાવાદીઓને પણ આગામી પાંચ દિવસમાં ગરમીમાંથી રાહત મળશે. ગુજરાતમાં છેલ્લા અઠવાડિયા દરમિયાન છૂટક વરસાદ પડી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના 156 તાલુકાઓમાં મેઘમહેર થઈ છે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેચલાક વિસ્તારોમાં તથા સૌરાષ્ટ્રમાં વરસાદ પડ્યો હતો પણ આ વરસાદ લોકોને ગરમીમાંથી રાહત આપનારો સાબિત થયો નથી. 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Advertisement
metaverse

વિડિઓઝ

Hu to Bolish | હું તો બોલીશ | પેટા કોન્ટ્રાક્ટનું કાળચક્રHu to Bolish | હું તો બોલીશ | કોંગ્રેસ જીવતી થઈ?Rajkot TRP Game Zone | Congress Protest | રાજકોટ આગકાંડને લઈને કોંગ્રેસનું જોરદાર વિરોધ પ્રદર્શનRajkot TRP Game Zone | Congress Protest | CP ઓફિસમાં એન્ટ્રી ન મળતા ઉકળી ઉઠ્યા લલિત કગથરા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Ahmedabad: સિક્કિમમાં વાદળ ફાટવાથી 20 જેટલા ગુજરાતીઓ ફસાયા, 3 દિવસથી નથી થઈ શક્યો સંપર્ક
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
Lok Sabha Speaker: લોકસભામાં સ્પીકરને લઈને ઘમાસાણ, જાણો ઈન્ડિયા ગઠબંધનને શું માગ રાખી કે રાજકારણ ગરમાયું
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
IND vs CAN: ટોસ વગર જ રદ્દ કરવામાં આવી ભારત-કેનેડા વચ્ચેની મેચ
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Odisha Cabinet Portfolio: ઓડિશામાં મંત્રિમંડળની જાહેરાત, જાણો સીએમ સહિત કોને ક્યું મળ્યું ખાતું?
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Gujarat Monsoon: રાજ્યમાં આગામી 4 દિવસ સામાન્યથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી, અમદાવાદમાં પણ પડશે વરસાદ
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime: સુરતમાં સામૂહિક આત્મહત્યાની ઘટના, ચાર વૃદ્ધો રાત્રિ ભોજન લીધા બાદ સવારે ઉઠ્યા જ નહીં, તપાસ શરૂ....
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
Surat Crime News: ભેસ્તાનમાં ભાણેજને ધમકાવી મામાએ આચર્યુ દુષ્કર્મ, આ રીતે ફૂટ્યો ભાંડો
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે  નેતા વિપક્ષ?
વિપક્ષના નેતા બનવા માટે 10 ટકા સાંસદ કેમ જરૂરી છે, લોકસભામાં કેટલા પાવરફૂલ હોય છે નેતા વિપક્ષ?
Embed widget