શોધખોળ કરો

સુરેન્દ્રનગરમાં ચાલકે કાબુ ગુમાવતા કાર આઈસર સાથે અથડાઈ, ચારના મોત, બે ઘાયલ

ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી.

Surendranagar accident: સુરેન્દ્રનગરમાં કારને અકસ્માત નડતા ચારના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે. ધ્રાંગધ્રા બાયપાસ પાસે અકસ્માત કાર ચાલકે સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવ્યો હતો. જેથી કાર પલટી ડીવાઈડરની બીજી સાઈડ ઉપર જઈ આઇસર સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ચાર લોકોના મોત થયા છે જ્યારે અન્ય 2 વ્યક્તિ ઇજાગ્રસ્ત થતા 108માં સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવમાંમાં આવ્યા છે.

મૃતકોના નામ

કરસનભાઈ ભરતભાઈ, 23

કિરણભાઈ મનુભાઈ,18

ઉમેશભાઈ જગદીશભાઈ, 15

કાનાભાઇ ભુપતભાઇ, 18

તમામ રહેવાસી ગોલાસણ, હળવદ

ઘાયલોના નામ

અમિતભાઇ જગદીભાઈ - ગોલાસણ હળવદ

કાનાભાઇ રાયધન ભાઈ - ગોલાસણ હળવદ

રાજ્યમાં અકસ્માતનો સિલસિલો યથાવત છે. સુરતના કામરેજના ધોરણ પારડી નજીક નેશનલ હાઇવે ઉપર અકસ્માત સર્જાયો હતો. મુંબઈ - અમદાવાદ હાઇવે ઉપર ઉભેલી ટેન્કર પાછળ ધડાકાભેર બાઈક અથડાઈ હતી. જેમાં બાઇક ચાલકનું ઘટના સ્થળે મોત થયું હતું. અકસ્માતને લઈ કામરેજ પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત

આ સિવાય બીજો અકસ્માત સુરતના વરાછા ખાતે થયો હતો. કાપોદ્રાથી મોટા વરાછા જતા બ્રિજ પર અકસ્માત સર્જાયો હતો. મોટા વરાછા બાજુ જતા થ્રી વ્હીલ ટેમ્પોને ફોર વ્હીલ ટેમ્પોએ ટક્કર મારી હતી. અકસ્માત લઇને બ્રિજ પર ટ્રાફિકજામ થયો હતો. અકસ્માત લઇને ટેમ્પો પલટી ખાઈ જતા ચાલકને ઇજા પહોચી હતી અને ટેમ્પોમાં રહેલો તમામ સામાન રસ્તા પર વેર વિખેર થઈ ગયો હતો.

જેતપુરમાં અકસ્માતની બે ઘટના

જેતપુર મંડલીક પુર પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. જામજોધપુરથી રાજકોટ તરફ જઈ રહેલી કારને ટ્રકે ટક્કર મારી હતી. અકસ્માતમાં 3 વ્યક્તિને સામાન્ય ઇજા પહોંચી હતી. જેતપુર તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

જેતપુર ભાદરના જુના પુલ ઉપર અકસ્માત સર્જાયો હતો. અહીં કારચાલકે બાઈક ચાલકને અડફેટે લીધો હતો. કાર ચાલક જેતપુરથી રાજકોટ તરફ જતો હતો ત્યારે જેતપુર ભાદરના જુના પુલ ઉપર બાઈક ચાલક હીરુ રાકેશભાઈ ચૌહાણ નામના યુવક  ટક્કર મારતાં ઈજાગ્રસ્ત થયો હતો. 108 ઘટના સ્થળ પર પહોંચી ઈજાગ્રસ્ત યુવકને જેતપુર સરકારી હોસ્પિટલ ખસેડ્યો હતો. જેતપુર ઉદ્યોગનગર પોલીસે અજાણ્યા વાહન ચાલકની તપાસ હાથ ધરી હતી.         

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement
corona
corona in india
470
Active
29033
Recovered
165
Deaths
Last Updated: Sat 19 July, 2025 at 10:52 am | Data Source: MoHFW/ABP Live Desk

ટોપ સ્ટોરી

કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
Advertisement

વિડિઓઝ

Bharuch News: મનરેગા કૌભાંડ બાદ ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડનો પર્દાફાશ
Surat Demolition news: ખાડીપુરની સમસ્યાને દુર કરવા સુરત મનપાનું મેગા ડિમોલિશન
Amreli News: અમરેલીના શિળાયબેટ ગામમાં બે જૂથ વચ્ચે હથિયારો સાથે મારામારી, હુમલાના દ્રશ્યો CCTVમાં કેદ
Surat news: કઠોદરામાં આચાર્યની બદલીના વિરોધમાં કરાયેલા ચક્કાજામના કેસમાં પોલીસની કડક કાર્યવાહી
Rajkot News: રાજકોટમાં નાની ઉંમરે હાર્ટ અટેકની 24 કલાકમાં બે ઘટના
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
કાર્યકાળ પૂર્ણ ન કરનારા ત્રીજા ઉપરાષ્ટ્રપતિ બન્યા ધનખડ, કૃષ્ણકાંતનું થયુ હતુ નિધન, ગિરિ બન્યા હતા રાષ્ટ્રપતિ
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
રક્ષાબંધન અગાઉ કેન્દ્રિય કર્મચારીઓને સરકારની ભેટ, મોંઘવારી ભથ્થામાં થઈ શકે છે ચાર ટકાનો વધારો
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
'નકલી મતદારોને બહાર કરવા અમારી બંધારણીય ફરજ', બિહાર SIR પર ચૂંટણી પંચનો સુપ્રીમ કોર્ટમાં જવાબ
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
દિવ્યા દેશમુખ ચેસ મહિલા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચી, જીત બાદ થઈ ઈમોશનલ, જુઓ વીડિયો
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
જગદીપ ધનખડના રાજીનામા બાદ કોણ બનશે આગામી ઉપરાષ્ટ્રપતિ? આ છે ચૂંટણીની સંપૂર્ણ પ્રક્રિયા
World Brain Day 2025: રાત્રે મોડા સુધી જાગવાની આદત કરી રહી છે મગજને નબળું, આ પાંચ રીતોથી થાય છે નુકસાન
World Brain Day 2025: રાત્રે મોડા સુધી જાગવાની આદત કરી રહી છે મગજને નબળું, આ પાંચ રીતોથી થાય છે નુકસાન
શું પ્રોટીનના વધુ પડતા સેવનથી વધે છે યુરિક એસિડનું પ્રમાણ? જાણો નિષ્ણાતો શું કહે છે?
શું પ્રોટીનના વધુ પડતા સેવનથી વધે છે યુરિક એસિડનું પ્રમાણ? જાણો નિષ્ણાતો શું કહે છે?
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટના 42 કલાક પહેલા ઈગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ-11, આ ખેલાડીની 8 વર્ષ પછી વાપસી
IND vs ENG: માન્ચેસ્ટર ટેસ્ટના 42 કલાક પહેલા ઈગ્લેન્ડે જાહેર કરી પ્લેઇંગ-11, આ ખેલાડીની 8 વર્ષ પછી વાપસી
Embed widget