શોધખોળ કરો

ગુજરાતમાં વધુ એક પુલ ભ્રષ્ટાચારની ભેટ ચડ્યો, લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતાં સ્થાનિકોમાં આક્રોશ

તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો

તાપી જિલ્લામાં લોકાર્પણ પહેલા જ પુલ ધરાશાયી થયો હતો. મળતી જાણકારી અનુસાર, તાપીના વ્યારા-વાલોડને જોડતો પુલ ધરાશાયી થયો હતો. આ પુલ માયપુર ગામ અને દેગામાને જોડતો હતો. પુલના નિર્માણ કામમાં ભ્રષ્ટાચાર આચર્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. પુલ ધરાશાયી થતા લોકોમાં રોષ ઠાલવ્યો હતો.

તાપી જિલ્લાના વ્યારા અને વાલોડને જોડતો ગામનો પુલ લોકાર્પણ પહેલા જ ધરાશાયી થતા તંત્ર અને એજન્સી વચ્ચેનો ભ્રષ્ટચારનો પોપડો બહાર આવ્યો હતો. તાપી જિલ્લાના વ્યારાના માયપુર ગામ અને વાલોડને દેગામાં ગામ વચ્ચેથી પસાર થતી મીંઢોળા નદી પર 2021 ના વર્ષમાં પુલનું બાંધકામ શરૂ કરાયું હતું, આ પુલનું લોકાર્પણ થાય તે પહેલાજ પુલ ધરાશાયી થવાના કારણે 15 જેટલા ગામોના લોકોમાં આક્રોશ ફેલાયો હતો.

પંદર જેટલા ગામોને જોડતા આ પુલનું કામ સુરતની અક્ષય એજન્સીને સોંપવામાં આવ્યું હતું. પુલના લોકાર્પણ પહેલા પુલ ધરશાયી થતા અનેક સવાલો ઉભા થયા છે. આ અંગે સબંધિત માર્ગ મકાન વિભાગના અધિકારીનો સંપર્ક કરતા તેમણે જણાવ્યું હતુ કે આ અંગે તલસ્પર્શી તપાસ કરી એજન્સી સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે. આ પુલના બાંધકામમાં ચોક્ક્સપણે મોટો ભ્રષ્ટાચાર થયો હોવાની અને આ અંગે ન્યાયિક તપાસની સ્થાનિકોએ માંગ કરી રહ્યા છે.

નોંધનીય છે કે અમદાવાદમા પણ હાટકેશ્વર બ્રિજમાં પણ ભ્રષ્ટાચાર આચરવામા આવ્યો હોવાનો ખુલાસો થયો હતો. જેના કારણે 40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ હતું. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો.           

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
GPSSB ભરતી 2026: ક્લાર્ક અને હેલ્થ વર્કરની 2500થી વધુ જગ્યાઓ જાહેર, જાણો અરજીની રીત
ગરમીથી મળશે રાહત કે કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન અપડેટ્સ
ગરમીથી મળશે રાહત કે કાળઝાળ ગરમી માટે રહેવું પડશે તૈયાર, જાણો હવામાન અપડેટ્સ
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
Accident: હિંમતનગરમાં બસ અને કારનો ગમખ્વાર અકસ્માત, 6 લોકોના કમકમાટીભર્યા મોત
CBSE 12th Result 2026: CBSE 12નું પરિણામ આ તારીખે થઇ શકે છે જાહેર, વેબસાઇટ પર આ રીતે કરો ચેક
CBSE 12th Result 2026: CBSE 12નું પરિણામ આ તારીખે થઇ શકે છે જાહેર, વેબસાઇટ પર આ રીતે કરો ચેક

વિડિઓઝ

Ahmedabad | અમદાવાદના હીરાવાડી વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક
Rajkot | રાજકોટમાં સિટી બસે સ્કૂલવાનને મારી ટક્કર, બાળકોને સામાન્ય ઈજા
Mehsana | મહેસાણાના કડીમાં ચાલુ કારમાં લાગી આગ
બાબા વિશ્વનાથના દરબારમાં PM, ગંગા એક્સપ્રેસ વેનું કરશે ઉદ્ધાટન
Local Body Election Result 2026 : 33 જિલ્લા પંચાયતોમાં ભાજપનો ભગવો લહેરાયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
બંગાળમાં આ વખતે 'ખેલા' નહીં, કમળ ખીલશે: એક્ઝિટ પોલમાં ભાજપની બહુમતી, TMCના સૂપડા સાફ
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
એક્ઝિટ પોલ 2026: ભાજપ માટે ક્યાં ખુશી અને ક્યાં ગમ? આ આંકડા જોઈને તમે પણ ચોંકી જશો
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ: મમતા દીદીનો ગઢ તૂટશે? 4 એજન્સીઓના સર્વેમાં ભાજપને સ્પષ્ટ બહુમતી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
બંગાળ એક્ઝિટ પોલ 2026: મમતા બેનર્જીનો જાદુ બરકરાર, 2 સર્વેમાં TMC ને સ્પષ્ટ બહુમતી મળી
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
30 એપ્રિલનું હવામાન: આ રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે, જાણો આવતીકાલનું હવામાન
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
કેરળ વિધાનસભા ચૂંટણી 2026 એક્ઝિટ પોલ: કોંગ્રેસ ગઠબંધન UDF આગળ, જાણો કોને કેટલી બેઠક?
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
Matrize Exit Poll: 15 વર્ષ બાદ બંગાળમાં બદલાશે સત્તા? BJP બહુમતનો જાદુઈ આંકડો કરી શકે પાર 
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
બંગાળમાં મોટો ઉલટફેર: BJP સત્તાની નજીક, ચાણક્ય સ્ટ્રેટેજી મુજબ ભાજપની સરકાર બનવાનું નક્કી!
Embed widget