Biparjoy Effect Update Live: ઉત્તર ગુજરાતમાં અનરાધાર વરસાદે સર્જી જળપ્રલયની સ્થિતિ, બનાસકાંઠામાં 24 કલાકમાં 5 ઇંચ વરસાદ
બિપરજોય વાવાઝોડાને પગલે રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે,ખાસ કરીને ઉતર ગુજરાતમાં પવન સાથે વરસાદ વરસતાં અને મકાનાનો છાપરા ઉડ્યા છે તો વીજપોલ અને વૃક્ષો પણ ધરાશાયી થયા છે. જાણો અપડેટ્સ

Background
Biparjoy Effect Update Live: બિપરજોય વાવાઝોડાની અસરના કારણે રાજ્યભરમાં વરસાદી માહોલ જામ્યો છે. બિપરજોય વાવાઝોડાએ સૌથી વધુ કચ્છમાં તારાજી સર્જી છે.ગુજરાતમાં 15 જૂને ત્રાટકેલું બિપરજોય વાવાઝોડું હવે ઉત્તર-પૂર્વ તરફ ધીમે ધીમે આગળ વધી રહ્યું છે. 15 જૂને વાવાઝોડુ ત્રાટક્યા બાદ પણ કચ્છમા લાંબો સમય સુધી વાવાઝોડાની અસર જોવા મળી રહી હતી.હવામાનના અનુમાન મુજબ આ વાવાઝોડું હવે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થઇ ગયું છે. બિપરજોયની અસરના પગલે સમગ્ર ગુજરાતમાં ક્યાંક ભારે તો ક્યાંક હળવો વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગે હજુ આગામી 48 કલાક વરસાદની આગાહી કરી છે.
.
આજથી ભક્તો માટે ખૂલશે આ મંદિરના દ્વાર
બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરૂપે ગુજરાતના ધર્મસ્થાનો પણ ભકતો માટે બંધ કરી દેવાયા હતા.જો કે હવે વાવાઝોડુ પસાર થઇ જતાં ગુજરાના ઘર્મસ્થાનોને ફરી એકવાર ખુલ્લા મૂકાયા છે.પાવાગઢ મંદિર દર્શનાર્થીઓ માટે આજથી ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જો કે ભારે પવનને લીધે પાવાગઢ રોપ વે સેવા આજે પણ બંધ રહેશે. પવનની ગતિ સામાન્ય થયા બાદ રોપ વે સેવા ફરીથી શરૂ કરાશે. ઉપરાંત આજથી આજથી દ્વારકા, સોમનાથ, ખોડલધામને પણ ભક્તો માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે. માતાના મઢમાં પણ આજથી ભક્તો દર્શન કરી શકશે.
ગૃહમંત્રી અમિત શાહ ભૂજ પહોંચ્યા, નુકસાનનું કરશે હવાઇ નીરિક્ષણ
બિપરજોય વાવાઝોડાએ કચ્છને મોટાપાયે નુકસાન પહોંચાડ્યું છે.અમિત શાહ અસરગ્રસ્ત વિસ્તારોનું મુલાકાત લેવા આજે ભૂજ પહોંચ્યાં છે. તેઓ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સાથે શાહ હવાઈ નિરીક્ષણ કરશે. હવાઈ નિરીક્ષણ કરીને નુકસાનીનો તાગ મેળવશે. કચ્છના માંડવીમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ છે. માંડવીના નદીનાળામાં ઓવરફ્લો છે.





















