શોધખોળ કરો

Junagadh :  આ તારીખથી શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો 

ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.

જૂનાગઢ:    ગિરનારની લીલી પરિક્રમાનો પ્રારંભ તારીખ 23 નવેમ્‍બરથી શરુ થશે. લીલી પરિક્રમાને લઈ જૂનાગઢ પ્રશાસન દ્વારા અત્યારથી જ તડામાર તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.  આગામી તારીખ 27 નવેમ્‍બર સુધીમાં લાખો યાત્રાળુઓ ગિરનારની પરિક્રમા કરશે. જેને લઈ જૂનાગઢ કલેક્‍ટરના અધ્‍યક્ષ સ્‍થાને પરિક્રમાની કામગીરી સાથે જોડાયેલા અધિકારી અને વિવિધ કચેરીના વડાઓની બેઠક યોજવામાં આવી હતી.  આ બેઠકમાં ખાસ કરીને વન વિભાગ, પોલીસ વિભાગ, મહાનગરપાલિકા, આરોગ્‍ય, પરિવહન સહિત મુખ્‍ય વિભાગોએ કરેલી તૈયારી અને આગામી દિવસોમાં કરવાની થતી વિશેષ કામગીરી અંગે વિગતવાર ચર્ચા કરવામાં આવી હતી.


Junagadh :  આ તારીખથી શરુ થશે ગિરનારની લીલી પરિક્રમા, જાણો 

એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી જૂનાગઢમાં લીલી પરિક્રમા માટે આવનાર  યાત્રાળુઓ માટે એસટી વિભાગ  દ્વારા  150  એકેસ્‍ટ્રા બસ દોડાવવામાં આવશે.   જ્‍યારે જૂનાગઢના બસ સ્‍ટેશનથી ભવનાથ સુધી ૫૦ મીની બસ મૂકવામાં આવશે. બીપી હાઇપર ટેન્‍શન અને હૃદય રોગના દર્દીઓએ ગિરનારની ટેકરીઓનું ચઢાણ કરવું હિતાવહ નથી. હાલની પરિસ્‍થિતિને ધ્‍યાનમાં રાખીને આરોગ્‍ય તંત્ર આરોગ્‍ય કર્મચારી અને અન્‍ય ફરજ પરના કર્મચારીઓને સીપીઆરની તાલીમ આપવા કલેક્‍ટરએ માર્ગદર્શન આપ્‍યું હતું.

ભવનાથ સુધી 50 મીની બસ દોડાવાશે

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાંથી આવનાર પરિક્રમાર્થીઓ માટે એસ.ટી. વિભાગ દ્વાર 150  એકેસ્ટ્રા બસ પરિક્રમા દરમિયાન દોડાવશે. જ્યારે જૂનાગઢના બસ સ્ટેશનથી ભવનાથ સુધી 50 મીની બસ પણ મુકવામાં આવશે.

પરિક્રમા દરમિયાન પાર્કિંગની વ્યવસ્થા, જાહેરનામાની અમલવારી, પીવાના પાણીની વ્યવસ્થા, અખાદ્ય પદાર્થોનું વેચાણ ન થાય તેમજ પરિક્રમામાં આવતા યાત્રાળુઓ જુનાગઢના જોવાલાયક અને તીર્થ સ્થળોએ પણ મુલાકાત લેતા હોય ત્યાં જરૂરી બંદોબસ્ત અને વ્યવસ્થાઓ જળવાઈ રહે તે માટેની કામગીર હાથ ધરાઈ છે. જેને કારણે કોઈ પરિક્રમાર્થીને અગવડ ઊભી નહી થાય. 

સમય મુજબ પરિક્રમા કરવાનું સૂચન

યાત્રિકો નિયત તારીખ કરતાં વહેલી પરિક્રમા શરૂ કરી દે છે એ બાબતે વન વિભાગ દ્વારા માર્ગદર્શિકા આપવામાં આવી હતી. યાત્રિક રૂટ ભૂલી જાય એવી સ્થિતિમાં યાત્રિક પર વન્ય પ્રાણી હુમલો કરી શકે છે. અગાઉ આ પ્રકારના બનાવ બન્યા હોવાથી યાત્રિકોને નિયત તારીખ સમય મુજબ પરિક્રમા કરવા અને વહેલી સવારે પરિક્રમા ન કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

લીલી પરિક્રમાનું ધાર્મિક મહત્વ

કહેવાય છે કે ગીરનારમાં તેત્રીસ કરોડ દેવતાનો વાસ છે. જેથી આ ગીરનારની પરિક્રમા કરીને ભક્તો તેત્રીસ કરોડ દેવતાના આશિષ મળવ્યાંનો અનુભવ કરે છે. સતયુગમાં દેવી દેવતાઓએ પણ  ગીરનારની પરિક્રમા કર્યોનો ઉલ્લેખ છે. શ્રીકૃષ્ણે જ પરિક્રમા કરી હોવાનો ઉલ્લેખ છે.

 

Join Our Official Telegram Channel:
https://t.me/abpasmitaofficial

       

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
ગુજરાતમાં ચૂંટણી પહેલાં મોટો વહીવટી ફેરફાર: 34 નાયબ કલેક્ટર અને 34 મામલતદારોની એકસાથે બદલી!
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન
Gujarat Weather: આગામી 3 કલાકમાં રાજ્યના 16 જિલ્લામાં વરસાદ ત્રાટકશે, 40ની સ્પીડે ફૂંકાશે પવન

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોઈ કોઈનું નથી !
Hun To Bolish | હું તો બોલીશ | પનીર કે 'એનાલોગ' ?
Hun To Bolish | હું તો બોલીશ | આ યુદ્ધ લાંબુ ચાલશે
Ahmedabad Congress : ઉમેદવારોના નામની જાહેરાત પહેલા અમદાવાદ કોંગ્રેસમાં ભડકો
Hun To Bolish | હું તો બોલીશ | ગુજરાતની 'મર્દાની'

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
Iran US War: મોતના મુખમાંથી પાયલટને બચાવી લાવી અમેરિકી આર્મી, જાણો ઈરાનમાં ભીષણ ગોળીબાર વચ્ચે કેવી રીતે કર્યું રેસ્ક્યૂ?
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
અમદાવાદમાં 5 ટર્મથી કોર્પોરેટર રહેલા ઈકબાલ શેખે હાથનો સાથ છોડ્યો, ગીર સોમનાથમાં BJP ના પૂર્વ ધારાસભ્ય કોંગ્રેસમાં જોડાયા
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
Gujarat Local Body Election Live : સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો ધમધમાટ, કોંગ્રેસ આ તારીખે જાહેર કરશે મેનિફેસ્ટો, નામ આપ્યું કમિટમેન્ટ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
US-Iran Conflict: અમેરિકાએ ઈરાન પર કર્યો ઘાતક હુમલો; ઈરાની કમાન્ડર ઠાર, ખાડી દેશોમાં વધ્યો તણાવ
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
અમેરિકામાં ઉથલપાથળ! ઈરાનમાં સત્તા પરિવર્તન કરવાના ચક્કરમાં પોતાના ઘરમાં જ ઘેરાયા ટ્ર્મ્પ, શું જોખમમાં છે ખુરશી?
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
ખોટો Email મોકલાય જાય તો નો ટેન્શન, Gmail ની આ ટ્રીક સેકન્ડોમાં કરી દેશે Undo, જાણો કેવી રીતે
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
Who is Ashok Sharma: કોણ છે અશોક શર્મા? જેણે IPL 2026 માં 154.2 કિમીની ઝડપે બોલ ફેંકીને સૌને ચોંકાવ્યા
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
PAK Threat to India: પાકિસ્તાનના રક્ષામંત્રી ખ્વાજા આસિફે ભારતના આ શહેર પર હુમલાની આપી ધમકી
Embed widget