શોધખોળ કરો
ગુજરાતના આ ચાર જિલ્લામાં કોરોનાનો એક પણ કેસ ન નોંધાયો, જાણો કયા જિલ્લામાં સૌથી ઓછા કેસ નોંધાયા ?
રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા.

પ્રતિકાત્મક તસવીર
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત ઘટી રહ્યું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 535 નવા કેસ સામે આવ્યા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 3 લોકોના મૃત્યુ સાથે કોરોનાથી કુલ મૃત્યુઆંક 4360 પર પહોંચ્યો છે. આ જિલ્લામાં નોંધાયા સૌથી ઓછા કેસ રાજ્યમાં આજે છોટા ઉદેપુર, ડાંગ, મહીસાગર અને તાપી જિલ્લામાં કોરોનાના એકપણ કેસ નોંધાયા ન હતા. પોરબંદર, નવસારી, બોટાદ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા હતા. અમરેલી, અરવલ્લી, બનાસકાંઠા અને વલસાડમાં 2-2 કેસ નોંધાયા હતા. આજે કેટલા દર્દી થયા સાજા રાજ્યમાં આજે કુલ 738 દર્દી સાજા થયા હતા. રાજ્યમાં સાજા થવાનો દર 95.60 ટકા છે. રાજ્યના જુદા-જુદા જિલ્લામાં આજની તારીખે 4,74,410 વ્યકિતઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
વધુ વાંચો





















