મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે. આથી ઘણી મહત્વની ટ્રેનો રદ કરવામાં આવી છે.
ભારે વરસાદના કારણે સૌરાષ્ટ્રથી મુંબઈ તરફ જતી અનેક ટ્રેનો રદ, જુઓ યાદી
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે.

- મહારાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી રેલવે વ્યવહાર ખોરવાયો.
- સૌરાષ્ટ્ર-અમદાવાદથી મુંબઈ જતી અનેક ટ્રેનો રદ કરાઈ.
- ગુજરાત STએ ફસાયેલા મુસાફરો માટે વિશેષ બસો ચલાવી.
- પ્રશાસને મુસાફરોને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચકાસવા કહ્યું.
મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થઈ રહેલા અતિભારે વરસાદ અને ટ્રેક પર પાણી ભરાઈ જવાના કારણે રેલવે વ્યવહારને ભારે માઠી અસર પહોંચી છે. મુંબઈમાં જળબંબાકારની સ્થિતિને લીધે પશ્ચિમ રેલવે દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મુંબઈ તરફ જનારી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ સહિતની મહત્વની ટ્રેનો આજે અને આગામી દિવસો માટે રદ્દ કરી દેવામાં આવી છે. રેલવે વ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ જતાં હજારો મુસાફરો અટવાયા છે, જેમને મદદરૂપ થવા માટે ગુજરાત એસટી વિભાગ દ્વારા મુંબઈ સુધીની વિશેષ બસો શરૂ કરવામાં આવી છે. પ્રશાસને લોકોને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ જાણીને જ ઘરની બહાર નીકળવા અપીલ કરી છે.
રેલવે પ્રશાસન દ્વારા રદ કરાયેલી ટ્રેનોની યાદી
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર (Sr. DCM) સુનિલ કુમાર મીના દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ રદ કરાયેલી ટ્રેનો નીચે મુજબ છે:
07.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેનો:
ટ્રેન નંબર 19016 પોરબંદર–દાદર સૌરાષ્ટ્ર એક્સપ્રેસ
ટ્રેન નંબર 19218 વેરાવળ–બાંદ્રા ટર્મિનસ સૌરાષ્ટ્ર જનતા એક્સપ્રેસ
ટ્રેન નંબર 19252 ઓખા–વેરાવળ એક્સપ્રેસ
ટ્રેન નંબર 22924 જામનગર–બાંદ્રા ટર્મિનસ હમસફર એક્સપ્રેસ
08.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:
ટ્રેન નંબર 19251 વેરાવળ–ઓખા એક્સપ્રેસ
09.07.2026 ના રોજ રદ થયેલી ટ્રેન:
ટ્રેન નંબર 22946 ઓખા–મુંબઈ સેન્ટ્રલ સૌરાષ્ટ્ર મેલ
ગુજરાત એસટીએ મુસાફરોની વહારે
રેલવે વ્યવહાર ખોરવાઈ જવાના કારણે મુંબઈ તરફ જનારા અસંખ્ય મુસાફરો મધ્યમાં જ અટવાઈ પડ્યા છે. મુસાફરોને તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવા માટે ગુજરાત એસટી (ST) વિભાગ તાત્કાલિક એક્શન મોડમાં આવ્યું છે. એસટી વિભાગના વલસાડ ડિવિઝન દ્વારા તાબડતોબ મુંબઈના બોરીવલી સુધીની 20 વિશેષ બસો દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે, જેથી મુસાફરોને મુશ્કેલી વિના વિકલ્પ મળી રહે.
રેલવે પ્રશાસનની મુસાફરોને મહત્વની અપીલ
મુંબઈ ડિવિઝનમાં હજુ પણ સતત વરસાદ ચાલુ હોવાથી ટ્રેનોના સમય અને સંચાલનમાં ફેરફાર થઈ શકે છે. આથી રેલવે પ્રશાસન દ્વારા મુસાફરોને ખાસ વિનંતી કરવામાં આવી છે કે તેઓ રેલવે સ્ટેશન પર આવતા પહેલાં અથવા મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચોક્કસ ચેક કરી લે. મુંબઈ ડિવિઝનમાં સતત થઈ રહેલા ભારે વરસાદ અને પાણી ભરાવાને કારણે રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે.
Frequently Asked Questions
ટ્રેન સેવાઓ શા માટે રદ કરવામાં આવી છે?
કઈ મુખ્ય ટ્રેનો રદ કરવામાં આવી છે?
ગુજરાતના સૌરાષ્ટ્ર અને અમદાવાદથી મુંબઈ તરફ જનારી શતાબ્દી, હમસફર અને સૌરાષ્ટ્ર મેઈલ સહિતની મહત્વની ટ્રેનો આજે અને આગામી દિવસો માટે રદ કરવામાં આવી છે.
ફસાયેલા મુસાફરોની મદદ માટે શું વ્યવસ્થા કરવામાં આવી છે?
રેલવે વ્યવહાર ખોરવાઈ જતાં ફસાયેલા હજારો મુસાફરોને મદદરૂપ થવા ગુજરાત એસટી વિભાગ દ્વારા મુંબઈના બોરીવલી સુધીની 20 વિશેષ બસો શરૂ કરવામાં આવી છે.
મુસાફરોએ પ્રવાસ કરતા પહેલા શું કરવું જોઈએ?
મુસાફરોને રેલવે સ્ટેશન પર આવતા પહેલાં અથવા મુસાફરી શરૂ કરતા પહેલાં રેલવેની સત્તાવાર વેબસાઈટ www.enquiry.indianrail.gov.in પર જઈને ટ્રેનનું લેટેસ્ટ સ્ટેટસ ચેક કરવા અપીલ કરવામાં આવી છે.






















