શોધખોળ કરો

નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં, જાણો શું છે સમગ્ર મામલો

અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા.

અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા. નરેશ પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા હતા. આ ઉપરાંત શરદ ધાનાણી, સુરેશ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી. દીલીપ સંઘાણીના રાજકીય હરિફોએ તેમના લઘુબંધુના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ અંગે જ્યારે દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આમ છતાં દીલીપ સંઘાણીને ત્યા આવેલ દુઃખની વેળાએ ભાજપ અને કોંગ્રેસ અને અન્ય આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા.

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપ નેતાઓ સાથે જોવા મળતા રાજકીય હલચલ

હિંમતનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દિલ્હીથી મોટા નેતાઓની અવર જવર પણ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પક્ષ પલટાની મોસમ પણ ચાલી રહી છે. ત્યારે આ કડીમાં હિંમતનગર સર્કિટ હાઉઝ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે, તેઓ ઇડર ખાતેના વણકર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે બે મિનિટ જેટલા સમય રોકાયા હતા અને સમાજના કાર્યક્રમાં હાજરી આપવા રવાના થયા હતા.

હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે. 

બે પાટીદાર નેતાઓની ટૂંક સમયમાં મીટીંગ મળશે. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. 

SC On Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર સ્ટે મૂક્યો છે એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 124A પર સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ અને જ્યાં સુધી તેના પર પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદા હેઠળ આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં. આ સાથે જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.

ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું- કેન્દ્ર સરકાર આ કાયદા પર વિચાર કરશે. અરજીકર્તાઓએ કહ્યું કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે હનુમાન ચાલીસા કેસમાં રાજદ્રોહની કલમો લગાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ કલમ હેઠળ કેસ નોંધવો યોગ્ય રહેશે નહીં.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'
PM મોદીના કૉંગ્રેસ પર ગંભીર આરોપ, કહ્યું, 'સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવા ફેલાવી રહ્યા છે'

વિડિઓઝ

US Israel Iran War Update : ઈરાન ડીલ નહીં કરે તો ઘાતક હુમલા થશેઃ અમેરિકા
Hun To Bolish: હું તો બોલીશ : મહારાજ સાહેબ, આ ન શોભે !
Hun To Bolish: હું તો બોલીશ : યુદ્ધ પર યુદ્ધ!
Gujarat Unseasonal Rain Forecast : ગુજરાતમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી
Umreth By Election : જયંત બોસ્કી NCP અથવા AAPમાંથી નોંધાવી શકે છે ઉમેદવારી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
શિક્ષક બનવા માંગતા ઉમેદવારો માટે મોટા સમાચાર, 11 હજાર વિદ્યા સહાયકોની થશે ભરતી
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ મોટા સમાચાર, જાણો ક્યારે જાહેર થઈ શકે છે ચૂંટણી 
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
ATF Prices: હવાઈ ​​મુસાફરી થશે મોંઘી, જેટ ઇંધણના ભાવ પહેલીવાર 2 લાખ રૂપિયાને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Stock Market 1 April: શેરબજારમાં જોરદાર તેજી, સેન્સેક્સ 1876 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી 22,899ને પાર
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
Gmail યુઝર્સ બદલી શકે છે પોતાનું એકાઉન્ટ યુઝરનેમ, ડેટા પણ રહેશે સુરક્ષિત
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
ચૂંટણી જાહેર થાય તે પહેલા મોટાપાયે બદલીઓના આદેશ,કૃષિ વિભાગમાં બઢતી સાથે બદલીઓની સૂચિ જાહેર
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પ્રથમ તબક્કાની વસ્તીગણતરી આજથી શરૂ, તમારે શું કરવું પડશે? ઘરે બેઠા પોતાની જાતે જ ભરી શકશો ડિટેઈલ્સ
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
પતિના મોત બાદ પત્ની સસરા પાસે માંગી શકે છે ભરણપોષણ, અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય
Embed widget