શોધખોળ કરો

નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં, જાણો શું છે સમગ્ર મામલો

અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા.

અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા. નરેશ પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા હતા. આ ઉપરાંત શરદ ધાનાણી, સુરેશ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી. દીલીપ સંઘાણીના રાજકીય હરિફોએ તેમના લઘુબંધુના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ અંગે જ્યારે દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આમ છતાં દીલીપ સંઘાણીને ત્યા આવેલ દુઃખની વેળાએ ભાજપ અને કોંગ્રેસ અને અન્ય આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા.

હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસના દિગ્ગજ નેતા ભાજપ નેતાઓ સાથે જોવા મળતા રાજકીય હલચલ

હિંમતનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના મહિનાઓ બાકી છે ત્યાં રાજકીય હલચલ શરૂ થઈ ગઈ છે. દિલ્હીથી મોટા નેતાઓની અવર જવર પણ શરૂ થઈ ગઈ છે. આ ઉપરાંત પક્ષ પલટાની મોસમ પણ ચાલી રહી છે. ત્યારે આ કડીમાં હિંમતનગર સર્કિટ હાઉઝ ખાતે ભારતીય જનતા પાર્ટીના આગેવાનો સાથે કોંગ્રેસ ધારાસભ્ય શૈલેષ પરમાર જોવા મળતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. જો કે આ બધી ચર્ચાઓ વચ્ચે ધારાસભ્ય શૈલેષ પરમારે પ્રતિક્રિયા આપી છે. કોંગ્રેસ નેતા શૈલેષ પરમારે કહ્યું કે, તેઓ ઇડર ખાતેના વણકર સમાજના સમૂહ લગ્નમાં હાજરી આપવા માટે આવ્યા હતા. આ દરમિયાન હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે બે મિનિટ જેટલા સમય રોકાયા હતા અને સમાજના કાર્યક્રમાં હાજરી આપવા રવાના થયા હતા.

હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા

રાજકોટઃ ગુજરાતની રાજનીતિને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. હાર્દિક પટેલ કોંગ્રેસનો હાથ છોડી ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા છે. પાટીદાર આંદોલન સાથે જોડાયેલા સાથીઓ સાથે બે દિવસમાં મહત્વની બેઠક યોજાઈ શકે છે. આગામી 15મી મેના રોજ પાટીદાર આંદોલનના જૂના સાથીઓ સાથે હાર્દિકની બેઠક થવાની છે. 

બે પાટીદાર નેતાઓની ટૂંક સમયમાં મીટીંગ મળશે. ખોડલધામના ચેરમેન નરેશભાઇ પટેલ અને હાર્દિક પટેલ વચ્ચે ટૂંક સમયમાં રાજકોટ જિલ્લામાં બેઠક થઈ શકે છે. હાર્દિક પટેલ સાથે પાટીદાર અનામત આંદોલનના નેતાઓ પણ નરેશભાઈ સાથે મુલાકાત કરશે. આગામી પંદર તારીખ સુધીમાં નરેશભાઈ સાથે હાર્દિક બેઠક કરશે. બે પાટીદાર નેતાઓ અને મીટિંગને લઈને રાજ્યના રાજકીય આગેવાનો અને તમામની નજર છે. હાર્દિક પટેલની ભાજપમાં પ્રવેશની અટકળો વચ્ચે વધુ એક મોટા સમાચાર સમાચાર સામે આવ્યા છે. 

SC On Sedition Law: સુપ્રીમ કોર્ટે રાજદ્રોહ કાયદા પર સ્ટે મૂક્યો છે એટલે કે ભારતીય દંડ સંહિતાની કલમ 124A પર સુપ્રીમ કોર્ટે અટકાવી દીધો છે. બુધવારે સુનાવણી દરમિયાન કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે કેન્દ્ર સરકારે તેના પર પુનર્વિચાર કરવો જોઈએ અને જ્યાં સુધી તેના પર પુનર્વિચાર ન થાય ત્યાં સુધી રાજ્ય અને કેન્દ્ર સરકારે રાજદ્રોહ કાયદા હેઠળ આ કલમ હેઠળ કોઈ નવો કેસ નોંધવો જોઈએ નહીં. આ સાથે જે લોકો પર રાજદ્રોહનો આરોપ છે તેઓ જામીન માટે કોર્ટમાં જઈ શકે છે.

ચીફ જસ્ટિસ એનવી રમનાએ કહ્યું- કેન્દ્ર સરકાર આ કાયદા પર વિચાર કરશે. અરજીકર્તાઓએ કહ્યું કે આ કાયદાનો દુરુપયોગ થઈ રહ્યો છે. એટર્ની જનરલે એમ પણ કહ્યું હતું કે હનુમાન ચાલીસા કેસમાં રાજદ્રોહની કલમો લગાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં જ્યાં સુધી તેની સમીક્ષા ન થાય ત્યાં સુધી આ કલમ હેઠળ કેસ નોંધવો યોગ્ય રહેશે નહીં.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Advertisement
ABP Premium

વિડિઓઝ

Banasknatha News | બનાસકાંઠાના ચાર તાલુકા માટે સરકારની મોટી જાહેરાત, 1 હજાર 56 કરોડની પાઈપ લાઈન યોજનાને આપી મંજૂરીRajkot News | પદ્મ કુંવરબા હોસ્પિટલ આવી વિવાદમાં,  બેદરકારીના કારણે રોડ પર ડિલિવરી કરાઈSurendranagar Crime | બે વ્યક્તિના ઝઘડામાં નિર્દોષ બાળકે ગુમાવ્યો જીવSurendranagar Bus Trapped | વસ્તડીના ભોગાવો નદીમાં સ્કૂલ બસ ફસાઈ, વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IMD Weather Update: ચોમાસાની વિદાય, ઠંડી માટે તૈયાર રહેજો! જાણો હવામાન વિભાગે શું કરી આગાહી ?
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
IND vs BAN 2nd Test: બે દિવસની અંદર ભારતે કાનપુર ટેસ્ટ જીતી, બાંગ્લાદેશને 7 વિકેટથી હરાવ્યું
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
જૂનાગઢને આઝાદ કરાવવા મુંબઈમાં આરઝી હકૂમતનો પાયો નખાયો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Futures & Options Addiction: રોકાણકારોના હિતોના રક્ષણ માટે સેબીએ F&O ટ્રેડિંગ પર શું લીધો મોટો નિર્ણય, જાણો
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: નવરાત્રિ દરમિયાન આ જિલ્લામાં વરસાદની શક્યતા, હવામાન વિભાગની આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં  વરસશે  વરસાદ, હવામાન વિભાગે કરી  આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 18 જિલ્લામાં વરસશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
Sabarkantha Loot: પ્રાંતિજમાં દોઢ કરોડની લૂંટ, અકસ્માત થયેલી કારમાંથી બે થેલા ભરેલા રૂપિયા લઇને લૂંટારુઓ ફરાર
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
'ખેડૂતો આનંદો', નર્મદા ડેમ સંપૂર્ણ ભરાયો, બપોરે મુખ્યમંત્રી ખુદ કરશે નર્મદા નીરના વધામણા
Embed widget