શોધખોળ કરો

Gujarat politics: સૌરાષ્ટ્રની બે તાલુકા પંચાયત કોંગ્રેસના હાથીમાંથી ગમે ત્યારે સરકી જશે, બીજેપીએ પાડ્યો ખેલ

Gujarat politics: તાલાલા બાદ હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. તાલાલા અને સુત્રાપાડા બને તાલુકા પંચાયતો કોંગ્રેસના હાથમાથી સરકી ભાજપ તરફ જઈ રહી છે.

Gujarat politics: તાલાલા બાદ હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પ્રમુખ સામે અવિશ્વાસની દરખાસ્તથી ખળભળાટ મચ્યો છે. તાલાલા અને સુત્રાપાડા બને તાલુકા પંચાયતો કોંગ્રેસના હાથમાથી સરકી ભાજપ તરફ જઈ રહી છે. ગીર સોમનાથ જીલ્લાના તાલાલા વિધાનસભામાં આવતી સુત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસના કબજામાં છે. જો કે, હવે આ કબજો કેટલા દિવસ રહેશે તે કહેવું મુશ્કેલ બન્યુ છે. કારણ કે, તાલાલા તાલુકા પંચાયતના પ્રમુખ વિરુદ્ધ તેમના જ પક્ષના સદસ્યો ભગવો ધારણ કરી અવિશ્વાસની દરખાસ્ત કરતા પ્રમુખ પદ છીનવાશે.

તો હવે સુત્રાપાડા તાલુકા પંચાયતમાં પણ તાલાલા વાળી થઈ છે. જી હા, તાલાલા પંચાયતમાં કોંગ્રેસ પાસે 10 બેઠક હતી અને ભાજપ પાસે 8 પરંતુ હવે બાજી પલટાઈ છે. સુત્રાપાડા પંચાયતના 7 સદસ્યો ભગવો ધારણ કરતા પ્રમુખ વિરુદ્ધ અવિશ્વસની દરખાસ્ત કરી અને આજે આ મુદ્દે બેઠક યોજાઇ. જેમાં કોંગ્રેસ પ્રમુખ વિરુધ 15 સદસ્યોએ અવિશ્વાસ વ્યક્ત કર્યો.

કોગ્રેસના 10 સભ્યો ચૂંટાયા હતા જ્યારે ભાજપમાં 8 સભ્યો ચૂટાયા હતા ત્યારે કોગ્રેસના 7 સભ્યો ભાજપમાં ભળી જતા અવિશ્વાસની દરખાસ્ત કરી છે. આજે રોજ તાલુકા પંચાયતના કચેરી ખાતે મીટીંગ મળી.  કોગ્રેસના 8 સભ્યો દ્વાર ભાજપને સમર્થન કરતા કોગ્રેસ પાસે માત્ર 3 સભ્યો રહ્યા હતા ત્યારે સમગ્ર સુત્રાપાડા પંથકમાં હાહાકાર મચી ગયો હતો. પ્રમુખ તરીકે કુસુમબેન જાદવ ભાઈ અને ઊપ પ્રમુખ તરીકે લાભુબેન રામ ભાઈ વાજા  હતા ત્યારે હવે પછી કોણ જવાબદારી નિભાવશે તે આવનાર સમયમાં નક્કી થશે. સુત્રાપાડા અને તાલાલા તાલુકા પંચાયત કોંગ્રેસ પાસેથી આંચકી લેવા હુકમનો એક્કો ધારસભ્ય ભગવાન બારડને ગણવામાં આવી રહ્યા છે.

મોરબી બ્રિજ દુર્ઘટના મામલે પોલીસે રજૂ કરી ચાર્જશીટ

 મોરબીમાં ઝૂલતા પુલ દુર્ઘટના મામલે મોરબીની સેશન્સ કોર્ટમાં આજે ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. મોરબીની કોર્ટમાં પોલીસ દ્વારા ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. આ કેસમાં 10મા આરોપી તરીકે ઓરેવા ગ્રુપના એમડી જયસુખભાઇ પટેલનું નામ નામ સામેલ છે. અત્યાર સુધીમાં નવ લોકોની ધરપકડ કરવામાં આવી છે. નોંધનીય છે કે 30 ઓક્ટોબર, 2022 ના રોજ મોરબીનો ઝૂલતા પુલ તૂટી પડ્યો હતો જેમાં 135 લોકોના મોત થયા હતા.

ચાર્જશીટમાં 10મા આરોપી તરીકે જયસુખભાઇ પટેલનું નામ સામેલ છે. જયસુખ પટેલ વિરુદ્ધ કલમ  308, 304, 336, 338 અને 114 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તાજેતરમાં હાઇકોર્ટમાં ઓરેવા ગ્રુપ તરફથી વળતર આપવાની વાત રજૂ કરવામાં આવી હતી. ચાર્જશીટ દાખલ થયા બાદ જેલમાં રહેલા આરોપીઓ ફરી એક વખત પોતાની જામીન અરજી રજૂ કરશે. મોરબી બ્રિજ તૂટવાને લઈ આરોપી જયસુખ પટેલે હાઇકોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતુ. તેણે કહ્યું, મોરબી બ્રિજ તૂટવાની ઘટનાનો અફસોસ છે. મોરબી બ્રિજની મરામતનું કામ કરવા માટે મને વગદાર લોકોએ કામ સોંપ્યું હતું. કોમર્શિયલ એક્ટિવિટી નો કોઈ ઈરાદો નહોતો, હેરિટેજ બચાવવા માટે કામ હાથમાં લીધું હતું.

વળતર ચૂકવવાથી હું અન્ય જવાબદારી કે કેસમાંથી છટકી  શકુઃ જયસુખ પટેલ


ક્યારે બની હતી દુર્ઘટના

30 ઓક્ટોબર 2022ના રોજ ગુજરાતના મોરબી શહેરમાં મચ્છુ નદી પરનો ઝુલતો પુલ તૂટી પડ્યો, જેના કારણે 130થી વધુ લોકોનાં મોત થયા હતા. 19મી સદીમાં બંધાયેલો આ પુલ ચાર દિવસ અગાઉ સમારકામ માટે લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.

ક્યારે બન્યો હતો આ પુલ

આ ઝૂલતા પુલનું ઉદ્ઘાટન 20 ફેબ્રુઆરી 1879ના રોજ, મુંબઈના એ વખતના ગવર્નર રિચર્ડ ટેમ્પલના હસ્તે કરાવાયું હતું. પુલના નિર્માણ માટે જરૂરી તમામ સામગ્રી ઇંગ્લૅન્ડથી આવી હતી અને નિર્માણ પાછળ એ વખતના 3.5 લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. શહેરની મુલાકાત લેનારાઓનું સ્વાગત આ ઝૂલતો પુલ કરતો હતો અને એ વખતમાં એને 'કલાત્મક અને ટેકનૉલૉજિકલ ચમત્કાર' ગણાવાતો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અનલિમિટેડ ભ્રષ્ટાચાર!
Hun To Bolish : હું તો બોલીશ : આ ગોગોને બંધ કરાવો !
Hun To Bolish : હું તો બોલીશ : લગ્ન નાત નક્કી કરશે કે નિયતિ?
Operation Gogo In Surat : ગોગોનું ઓનલાઇન વેચાણ , રિયાલિટી ચેકમાં ધડાકો
Gold Price All Time High : સોનામાં તોફાની તેજી, 10 ગ્રામ સોનાનો ભાવ પહોંચ્યો 1.33 લાખ પર

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
Viksit Bharat Ji Ram Ji Scheme: મનરેગાનું બદલાશે નામ, આ યોજનાના લાભ સંદર્ભે શું થશે ફેરફાર
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
આવતીકાલનું રાશિફળ: 16 ડિસેમ્બરના રોજ કોનું નસીબ ચમકશે? મેષથી મીન સુધીનું ભવિષ્યફળ જાણો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
350થી વધુ ખેલાડી, 77 સ્લૉટ, CSK અને KKR પાસે સૌથી વધુ રૂપિયા, જાણો IPL મિની ઓક્શનની પાંચ મોટી વાતો
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
Maharashtra Civic Polls: મહારાષ્ટ્રમાં ભાજપ-શિવસેના સાથે લડશે ચૂંટણી, જાણો NCPનું શું થશે?
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
IND vs SA: સાઉથ આફ્રિકા સામેની બાકીની બે ટી-20 મેચમાંથી બહાર અક્ષર પટેલ, આ ખેલાડીને મળ્યું સ્થાન
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
Pahalgam Attack: પહેલગામ હુમલાના 'માસ્ટરમાઈન્ડ'નું નામ આવ્યું સામે, NIA એ ચાર્જશીટમાં કર્યો મોટો ખુલાસો
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
દક્ષિણ આફ્રિકા ટી20 સીરીઝ માટે ભારતની ટીમમાં મોટો ફેરફાર, આ ઓલરાઉન્ડર બહાર, જુઓ અપડેટેડ ટીમ
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
10, 20 અને 50 રૂપિયાની નોટોની ભારે અછત! ગ્રામીણ વિસ્તારોમાં પરિસ્થિતિ વધુ ખરાબ 
Embed widget