શોધખોળ કરો

સ્વામીનારાયણ સંપ્રદાયના આ દિગ્ગજ સ્વામીને છ જિલ્લામાંથી તડીપાર કરવા અપાઈ નોટિસ, જાણો શું છે કારણ ?

સ્વામી સામે 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે.

બોટાદઃ સ્વામીનારાયણ સંપ્રદાયના ગઢડા ગોપીનાથજી મંદિર (Gopinathji temple gadhada) ના આચાર્ય પક્ષના પૂર્વ કોઠારી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji) ને નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાતાં ખળભળાટ મચ્યો છે. આચાર્ય પક્ષના પૂર્વ ચેરમેન એસ.પી. સ્વામીને પણ આ પહેલાં તડીપાર કરવા નોટિસ મળી હતી. હવે આચાર્ય પક્ષના બીજા સ્વામી એવા ભૂતપૂર્વ કોઠારીને પણ નાયબ કલેકટર દ્વારા તડીપારની નોટિસ અપાઈ છે.

નાયબ કલેક્ટર દ્વારા ગોપીનાથજી મંદિ ર(Gopinathji temple)ના આચાર્ય પક્ષના પૂર્વ શાસ્ત્રી સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી (Swami Ghanshyam Vallabhdasji)ને બે વર્ષ માટે તડીપાર કરવા નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજી સામે અગાઉ 2007 અને 2018માં થયેલા આઈપીસીની કલમ 307 સહિત જાહેરનામા ભંગના ગુનાઓને ધ્યાને લઈ 6 જિલ્લા માંથી તડીપાર કરવા માટેની નોટિસ અપાઈ છે. સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીને બોટાદ ,ભાવનગર,સુરેન્દ્રનગર, અમરેલી, રાજકોટ, અમદાવાદ જિલ્લામાંથી કેમ તડીપાર ના કરવા તેવો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. આ અંગે સ્વામી ઘનશ્યામ વલ્લભદાસજીએ કહ્યું કે, અગાઉ ખોટા ગુન્હા દાખલ થયેલા છે તેની આડમાં 6 જિલ્લામાંથી તડીપાર કરવાની નોટિસ આપેલ છે.

આ પહેલાં નાયબ કલેક્ટરે ગઢડા સ્વામિનારાયણ મંદિરના એસ.પી.સ્વામી (S.P. Swami)ને તડીપારની નોટિસ આપી હતી. એસ.પી સ્વામીને એક સાથે 6 જિલ્લામાંથી તડીપારની નોટીસ આપવામાં આવી હતી. એસ.પી સ્વામીને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર અને અમદાવાદ આ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ જાહેર કરાઈ હતી.  નાયબ કલેક્ટરે એસ.પી સ્વામી પાસે આ છ જિલ્લામાંથી તડીપાર કેમ ન કરવા જોઈએ એ અંગે જવાબ પણ માગ્યો હતો.

એસ.પી સ્વામીના તડીપાર મુદ્દે નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો.  સત્સંગ મહાસભાના પ્રમુખ નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, એસ.પી.સ્વામીએ હવે સત્સંગ, ભજન કરવાની જરૂર છે. એસ.પી.સ્વામીના ગુનાહિત ઇતિહાસ પર નૌતમ સ્વામીએ કટાક્ષ કર્યો હતો ને કહ્યું હતું કે એસ.પી.સ્વામીએ અનેક ગુનાઓ કર્યા હોવાથી હવે થોડું ધ્યાન ભક્તિ પર પણ આપે.  નૌતમ સ્વામીએ કહ્યું હતું કે, કોઈ  સાધુને તડીપાર કરવાની ઘટના લગભગ પહેલી હશે. ચૂંટણી હાર્યા બાદ એસ.પી.સ્વામીને વિનમ્ર થવાની જરૂર હતી.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કૌભાંડની આગ?Hun To Bolish : હું તો બોલીશ : જીવલેણ રીલFatehwadi Car Incident: રીલ્સ બનાવવાના ચક્કરમાં કેનાલમાં કાર ખાબકવાના કેસમાં પોલીસનો ખુલાસોGujarat BJP: ગુજરાત ભાજપે જિલ્લા અને શહેર પ્રમુખોના નામની કરી જાહેરાત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
મગફળીના ગોડાઉનની આગમાં કૌભાંડની ગંધ? દિલીપ સંઘાણીનો સનસનાટીપૂર્ણ દાવો - ‘આગ ક્યારેય સામાન્ય સંજોગોમાં નથી લાગતી’
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
GPSCના ઉમેદવારો માટે ખુશખબર: વર્ગ 1 અને 2ની 244 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત, જાણો ક્યારથી ભરાશે ફોર્મ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
બિનસરકારી અનુદાનિત શાળાઓના આચાર્ય માટે રાહતના સમાચાર, હાજર થવાની છેલ્લી તારીખ લંબાવાઈ
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
IPL શરૂ થાય તે પહેલાં મુકેશ અંબાણીનો મોટો ફટકો: 1100 કર્મચારીઓને છૂટા કરશે!
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
lifestyle: જેનેરિક દવા શું છે, ભારતમાં બનેલી આ દવાઓનો કેમ વધી રહ્યો છે આખી દુનિયામાં ટ્રેન્ડ?
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
લો બોલો! કચ્છમાં જેટલા બેરોજગાર હતાં તેનાથી વધુને તો નોકરી મળી ગઈ, વિધાનસભામાં સરકારના ચોંકાવનારા આંકડા
Groundnut Godown Fire:   મગફળી ગોડાઉન આગ મામલે  કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Groundnut Godown Fire: મગફળી ગોડાઉન આગ મામલે કિસાન કોંગ્રેસ ચેરમેનના વેધક સવાલો
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Gujarat BJP: ગુજરાત ભાજપે જાહેર કર્યા પ્રદેશ સંગઠનના પ્રમુખો, જાણો કોણ થયા રિપીટ ને ક્યાં મળ્યા નવા ?
Embed widget