શોધખોળ કરો

Amirgadh:આઝાદીના આટલા વર્ષો બાદ પણ ગુજરાતનું આ ગામ વિકાસથી વંચિત

અમીરગઢ: એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસની ગુલબાંગો પોકારી રહી છે ત્યારે અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને વિકાસના ફળ ચાખવા મળ્યા નથી.

અમીરગઢ: એક બાજુ સરકાર આઝાદીનો અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે. સૌનો સાથ સૌનો વિકાસની ગુલબાંગો પોકારી રહી છે. ત્યારે આઝાદીના 75 વર્ષ બાદ પણ અમીરગઢ તાલુકાના અંતરિયાળ ગામડાઓને વિકાસના ફળ ચાખવા મળ્યા નથી. અમીરગઢ તાલુકાના માનપુરીયાના ગ્રામજનો માથે દર ચોમાસું મુશ્કેલીઓ લઈને આવે છે. 

બાળકોનો અભ્યાસ બગડે છે

અમીરગઢ તાલુકાના બોર્ડર પરનું ગામ માનપુરીયા આવેલું છે. જે માનપુરીયા-1 અને માનપુરીયા-2 ગામ વચ્ચે નદી આવેલી છે. આ ગામમાં આદિવાસી સહિતના તમામ અઢારે વર્ણના લોકો રહે છે. જોકે, ચોમાસું આવે અને ગ્રામજનોના માથે પનોતી બેસી જાય છે. દર ચોમાસે નદી આવતા બન્ને ગામ વચ્ચેનો સંપર્ક તૂટી જાય છે. બન્ને ગામ વચ્ચેનો રસ્તો કે નાળુ ન હોઈ લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. નદી આવતા શાળા માં અભ્યાસ કરતા બાળકોનો અભ્યાસ બગડે છે. જ્યારે દૂધ ભરાવવા જતા પશુપાલકોને પણ ભારે મુશ્કેલીઓ વેઠવી પડે છે. અરે, ડિલેવરી સમયે દવાખાના જતા રસ્તામાં જ મહિલાને પ્રસુતિ થઈ જાય છે. તો ક્યારેક તો મોતને પણ ભેટે છે. આ અંગે તંત્રને વારંવાર રજુઆત કરવા છતાં કોઈ પરિણામ હજી સુધી મળ્યું નથી.

માત્ર ઠાલા વચનો આપી સરકારી બાબુઓ કે નેતાઓ જતા રહે છે

દર ચોમાસે રસ્તાઓ તૂટી જતા અંતરિયાળ વિસ્તારના ગ્રામજનો સંપર્ક વિહોણા બની જાય છે. દર ચોમાસે મુશ્કેલીઓ વેઠતા ગ્રામજનો તંત્ર અને સરકારને ઉચ્ચ કક્ષાએ રજુઆત કરી કરી ને થાકી ગયા પણ પરિણામ મળતું નથી. માત્ર ઠાલા વચનો આપી સરકારી બાબુઓ કે નેતાઓ જતા રહે છે. ચૂંટણી ટાણે વોટ માંગવા પૂરતો ગામનો ઉપયોગ થતો હોવાનો બળાપો ગ્રામજનો ઠાલવી રહ્યા છે.

રોડ વરસાદમાં ધોવાઈ ગયો

આશરે 2500ની વસ્તી ધરાવતા ગ્રામજનો રોડ, રસ્તાની તકલીફોથી પારાવાર યાતનાઓ વેઠી રહ્યા છે. અને હવે કંટાળીને સરકાર ન કરી આપે તો લોકફાળો ઉઘરાવીને રસ્તો બનાવવાની સાથે ચૂંટણી બહિષ્કારની ચીમકી આપી રહ્યા છે. આમ, વિકાસની વાતો વચ્ચે  ઇકબાલ ગઢ કપાસિયા જતો રસ્તો   પણ રોડ વરસાદમાં ધોવાઈ ગયો છે.  મોટા મોટા ખાડા  પણ રીપેર નથી થયા ત્યારે રોડ રસ્તાની પ્રાથમિક સુવિધાઓથી વંચિત ગ્રામજનો ચોમાસુ આવતા જ પડનારી તકલીફોને લઈને કાંપી ઉઠે છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
CM ભૂપેન્દ્ર પટેલ પહોંચ્યા અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો, ગુજરાતી સમુદાયે કર્યું ભવ્ય સ્વાગત
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા શિવાલયો, શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી
ખેડૂત આજે પોતાના દીકરાને ખેડૂત બનાવવા નથી માંગતો, દારૂબંધી અને ખેડૂતોની સ્થિતિ પર ગેનીબેને ભાજપને ઘેરી

વિડિઓઝ

Shravan somvar 2026 : શ્રાવણના પ્રથમ સોમવારે શિવ મંદિરોમાં ભક્તોનું ઘોડાપૂર
Bihar Temple Stampede : બિહારના મંદિરમાં મચી ભાગદોડ, 7 ભક્તોના મોત
Uttar Pradesh Heavy Rain : ઉત્તર પ્રદેશમાં જળબંબાકાર, પૂરને કારણે લોકો બેહાલ
Gujarat Rain Forecast : 6 વરસાદી સિસ્ટમ સક્રીય, ભારે વરસાદનું એલર્ટ
Hun To Bolish : હું તો બોલીશ : સિક્યુરિટી ગાર્ડથી કેટલા સલામત ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
ઉજ્જૈનના મહાકાલ મંદિર પરિસરમાં ભાગદોડ, અનેક શ્રદ્ધાળુઓ ઈજાગ્રસ્ત
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
'પ્રદર્શનકારીઓને જાતે મળો, તેમના પ્રશ્નોનું સમાધાન કરો', રાહુલ ગાંધીએ હેમંત સોરેનને લખ્યો પત્ર
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
રાજ્યમાં આજથી પાંચ દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી, ચાર જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
સોના-ચાંદીની કિંમતમાં ફરી ઉછાળો! ગોલ્ડ ₹1.55 લાખને પાર તો સિલ્વર ₹2.37 લાખ ઉપર 
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
બિહારના લખીસરાયના અશોકધામ મંદિરમાં ભાગદોડ, સાત શ્રદ્ધાળુઓના મોત
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
શહઝાદ પૂનાવાલાએ ભાજપમાંથી આપ્યું રાજીનામું, કહ્યું- 'મારા માટે આ ભાવુક...'
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Surat News: સુરતમાં બે દિવસમાં બીજી દારૂની મહેફિલ ઝડપાઈ, ડુમસના બેલિઝામાંથી 6 વેપારી રંગેહાથ ઝડપાયા
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Cyber Attack થાય તો સૌ પ્રથમ શું કરવું જોઈએ? જાણો કેવી રીતે બચશો
Embed widget