PM Modi in Gujarat Live: વાળીનાથ ધામથી PM મોદીના પ્રહાર, કહ્યુ- 'કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી'
PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદી મહેસાણામાં એક જાહેર સભાને સંબોધશે
LIVE

Background
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા
વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.
#WATCH | "On one side 'devalays' are being constructed and on the other side, houses for the poor are also being built in the country," says PM Modi in Gujarat's Mehsana. pic.twitter.com/DOAzwcsFgJ
— ANI (@ANI) February 22, 2024
તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું. સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો નફરતની રાજનીતિ છોડતા નથી.
#WATCH | PM Modi in Mehsana, Gujarat says, "Our temples are not just 'devalays' but symbols of our culture and tradition. Our temples have been centres of knowledge." pic.twitter.com/nIEkiHonUq
— ANI (@ANI) February 22, 2024
વડાપ્રધાને કહ્યું કે દેશના 80 કરોડને વિનામૂલ્યે અનાજ મળી રહ્યુ છે. એક પ્રકારે આ ભગવાનનો જ પ્રસાદ છે. ઉત્તર ગુજરાતે પાણી માટે તકલીફ ભોગવી છે.
#WATCH | PM Modi attends 'Pran Pratishtha' ceremony at Valinath Dham temple in Mehsana, says, "This is a unique period in development the country, where be it 'Dev kaaj' or 'desh kaaj' both are happening rapidly..." pic.twitter.com/vKG86hbGOw
— ANI (@ANI) February 22, 2024
सैंकड़ों वर्ष पुराना ये मंदिर आज 21वीं सदी की भव्यता और पुरातन दिव्यता के साथ तैयार हुआ है।
— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
ये मंदिर सैंकड़ों शिल्पकारों, श्रमजीवियों के वर्षों के अथक परिश्रम का भी परिणाम है।
- पीएम @narendramodi#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત pic.twitter.com/ktR5pIqQ5b
ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વાળીનાથ મંદિરમાં PM મોદીએ પૂજા અર્ચના કરી હતી. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
'આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે'
લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે વાળીનાથે વટ પાળ્યો છે. વાળીનાથની રોનક આજે કંઈક વધુ છે. ઘરે સ્વાગત થાય ત્યારે આનંદ અલગ હોય છે. આજે મારા ગામના લોકોને જોઈને આનંદ થયો છે. એક મહિના પહેલા અયોધ્યામાં પ્રભુ રામના ચરણોમાં હતો. અબુધાબીમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. રબારી સમાજ માટે પૂજ્ય ગુરૂગાદી છે.
#WATCH | PM Modi attends 'Pran Pratishtha' ceremony at Valinath Dham temple in Mehsana, says, "This is a unique period in development the country, where be it 'Dev kaaj' or 'desh kaaj' both are happening rapidly..." pic.twitter.com/vKG86hbGOw
— ANI (@ANI) February 22, 2024
ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ
વાળીનાથ ધામના જયરામગીરી બાપુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વાળીનાથ ધામમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને વિકસિત ગુજરાતની ગેરન્ટી આપી છે. વિકાસોત્સવ ઉ.ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવશે. ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.
#WATCH | PM Modi inaugurates projects related to connectivity, infra, urban development, textiles and more in Mehsana of Gujarat
— ANI (@ANI) February 22, 2024
CM Bhupendra Patel is also present pic.twitter.com/o4ZaduSvv1
#WATCH | Mehsana: Gujarat CM Bhupendra Patel says, "Under the leadership of PM Modi, the world is recognising the cultural heritage of India. PM Modi has given the slogan of 'Virasat Bhi, Vikas Bhi'... Developmental works are going on all over Gujarat. This is PM Modi's guarantee… pic.twitter.com/EC6tqoG8De
— ANI (@ANI) February 22, 2024
PM MODI Live Gujarat : વાળીનાથ મંદિરમાં PM મોદીએ અભિષેક કરી મહાદેવનું કર્યું પૂજા અર્ચન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાળીનાથ મહાદેવના મંદિર પહોંચ્યા અને મહાદેવનું ષોડસોપચારે પૂજન કરીને અભિષેક અને આરતી પૂજા થાળ ધરાવ્યો હતો. વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીના હસ્તે સંપન્ન કરવામાં આવી, પૂજા વિધિ બાદ તેઓ તરભમાં જન સભાને સંબોધિત કરશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
