PM Modi in Gujarat Live: વાળીનાથ ધામથી PM મોદીના પ્રહાર, કહ્યુ- 'કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી'
PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદી મહેસાણામાં એક જાહેર સભાને સંબોધશે

Background
PM Modi in Gujarat Live: PM Modi Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.
જાણો સંપૂર્ણ કાર્યક્રમ
-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.
-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્યે, પીએમ મોદી મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.
-આ પછી પીએમ મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ 47,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સાંજે લગભગ 6 વાગ્યે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે. અહીંથી પીએમ મોદી બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ગિફ્ટ કરશે.
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
- રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
- રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
- માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
- અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ છે.
ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.
વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.
આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા
વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.
#WATCH | "On one side 'devalays' are being constructed and on the other side, houses for the poor are also being built in the country," says PM Modi in Gujarat's Mehsana. pic.twitter.com/DOAzwcsFgJ
— ANI (@ANI) February 22, 2024
તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું. સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો નફરતની રાજનીતિ છોડતા નથી.
#WATCH | PM Modi in Mehsana, Gujarat says, "Our temples are not just 'devalays' but symbols of our culture and tradition. Our temples have been centres of knowledge." pic.twitter.com/nIEkiHonUq
— ANI (@ANI) February 22, 2024
વડાપ્રધાને કહ્યું કે દેશના 80 કરોડને વિનામૂલ્યે અનાજ મળી રહ્યુ છે. એક પ્રકારે આ ભગવાનનો જ પ્રસાદ છે. ઉત્તર ગુજરાતે પાણી માટે તકલીફ ભોગવી છે.
#WATCH | PM Modi attends 'Pran Pratishtha' ceremony at Valinath Dham temple in Mehsana, says, "This is a unique period in development the country, where be it 'Dev kaaj' or 'desh kaaj' both are happening rapidly..." pic.twitter.com/vKG86hbGOw
— ANI (@ANI) February 22, 2024
सैंकड़ों वर्ष पुराना ये मंदिर आज 21वीं सदी की भव्यता और पुरातन दिव्यता के साथ तैयार हुआ है।
— BJP Gujarat (@BJP4Gujarat) February 22, 2024
ये मंदिर सैंकड़ों शिल्पकारों, श्रमजीवियों के वर्षों के अथक परिश्रम का भी परिणाम है।
- पीएम @narendramodi#વિકસિત_ભારત_વિકસિત_ગુજરાત pic.twitter.com/ktR5pIqQ5b
ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.
તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વાળીનાથ મંદિરમાં PM મોદીએ પૂજા અર્ચના કરી હતી. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.





















