શોધખોળ કરો

PM Modi in Gujarat Live: વાળીનાથ ધામથી PM મોદીના પ્રહાર, કહ્યુ- 'કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી'

PM Modi in Gujarat Live: વડાપ્રધાન મોદી મહેસાણામાં એક જાહેર સભાને સંબોધશે

LIVE

Key Events
PM Modi in Gujarat Live: વાળીનાથ ધામથી PM મોદીના પ્રહાર, કહ્યુ- 'કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી'

Background

PM Modi in Gujarat Live: PM Modi Visit:  વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 અને 24 ફેબ્રુઆરીના રોજ ગુજરાતના પ્રવાસે છે. આ દરમિયાન તેઓ 57 હજાર કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયે બુધવારે જણાવ્યું હતું કે પીએમ ગુરુવારે સવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અમૂલ ફેડરેશનના કાર્યક્રમમાં હાજરી આપશે. અહીંથી બપોરે મહેસાણામાં વાળીનાથ મહાદેવ મંદિરે પૂજા અર્ચના કરશે. પીએમ મહેસાણામાં એક જાહેર સભામાં શિલાન્યાસ કરશે અને 8,350 કરોડ રૂપિયાના વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી સાંજે તેઓ નવસારીમાં 17,500 કરોડના વિકાસ કામોનું શિલાન્યાસ અને ઉદ્ઘાટન કરશે.

જાણો સંપૂર્ણ કાર્યક્રમ 

-પીએમ મોદી 22 ફેબ્રુઆરીના રોજ સવારે 10.45 કલાકે અમદાવાદ પહોંચશે. અહીં પીએમ મોદી ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનની સુવર્ણ જયંતિની ઉજવણીમાં ભાગ લેશે.

-પીએમ મોદી બપોરે 12.45 કલાકે મહેસાણા પહોંચશે અને વાળીનાથ મહાદેવ મંદિરમાં પૂજા અને દર્શન કરશે. તે પછી લગભગ 1 વાગ્યે, પીએમ મોદી મહેસાણામાં એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને 13,500 કરોડથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.

-આ પછી પીએમ મોદી સાંજે 4:15 વાગ્યે નવસારી પહોંચશે, જ્યાં તેઓ 47,000 કરોડ રૂપિયાથી વધુના ખર્ચની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે. PM મોદી સાંજે લગભગ 6 વાગ્યે કાકરાપાર એટોમિક પાવર સ્ટેશનની મુલાકાત લેશે. અહીંથી પીએમ મોદી બે નવા પ્રેશરાઇઝ્ડ હેવી વોટર રિએક્ટર (PHWR) ગિફ્ટ કરશે.

 

  • વડાપ્રધાન નરેન્દ્ર મોદી 22 ફેબ્રુઆરીના રોજ મહેસાણા ખાતે વિવિધ વિભાગો અંતર્ગત ₹13,000 કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • ભારતનેટ ફેઝ-2 હેઠળ ₹2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્ક લિમિટેડ પ્રોજેક્ટનું લોકાર્પણ કરવામાં આવશે, જેનો રાજ્યની 8030 ગ્રામ પંચાયતોને લાભ
  • રૂ.2300 કરોડથી વધુના ખર્ચે રેલવે વિભાગના 5 પ્રોજેક્ટ્સનું પણ લોકાર્પણ કરશે
  • રૂ.1200 કરોડથી વધુના ખર્ચે જળ સંસાધન વિભાગના વિકાસકાર્યોનું થશે લોકાર્પણ અને ખાતમુહુર્ત કરશે
  • માર્ગ અને મકાન વિભાગ હેઠળ અંદાજિત રૂ.1700 કરોડથી વધુના ખર્ચે વિવિધ વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.
  • અંદાજિત રૂ.394 કરોડના ખર્ચે એરફોર્સ સ્ટેશન ડીસાના રનવેનું લોકાર્પણ, દેશના ડિફેન્સ માટે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ  છે.

ભારતનેટ ફેઝ-હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે.

વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ અંતર્ગત પ્રધાનમંત્રી ભારતનેટ ફેઝ-2 હેઠળ રૂ.2042 કરોડના ખર્ચે તૈયાર થયેલ ગુજરાત ફાઇબર ગ્રીડ નેટવર્કનું લોકાર્પણ કરશે. આ પ્રોજેક્ટ અંતર્ગત, 22 જિલ્લાઓમાં ફેલાયેલા 35,264 કિલોમીટર ફાઇબર નેટવર્ક સાથે 8030 ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે, જેમને 100 એમબીપીએસ સુધી હાઈસ્પીડ ઈન્ટરનેટની સુવિધા પ્રદાન કરવામાં આવી રહી છે. નેટવર્કમાં ખૂબ ઓછા અપગ્રેડેશન કરીને ઇન્ટરનેટની ગતિ ગ્રામપંચાયત દીઠ 1 જીબીપીએસ સુધી વધારી શકાય છે.

આ ઉપરાંત, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ગુજરાત બાયોટેક્નોલોજી યુનિવર્સિટીના મુખ્ય એકેડેમિક બિલ્ડીંગનું લોકાર્પણ, તેમજ હ્યુમન અને બાયોલોજિકલ સાયન્સ ગેલેરી અને ગિફ્ટ સીટી ખાતે ગુજરાત બાયોટેક્નોલોજીકલ રિસર્ચ સેન્ટર (GBRU) ના નવા બિલ્ડીંગનું ખાતમુહુર્ત પણ કરવામાં આવશે. વિજ્ઞાન અને ટેક્નોલોજી વિભાગ હેઠળ ₹2500 કરોડથી વધુના ખર્ચે વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહુર્ત કરવામાં આવશે.

14:25 PM (IST)  •  22 Feb 2024

વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા

વાળીનાથ ધામથી વડાપ્રધાન મોદીએ કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાન મોદીએ સોમનાથ, રામ મંદિર અને સૂર્યમંદિરની વિરાસતને લઈ કૉંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. વડાપ્રધાને કોંગ્રેસને ભગવાન રામ અને રામ મંદિર વિરોધી ગણાવી હતી. વડાપ્રધાને કહ્યું કે કૉંગ્રેસે વર્ષ 2004થી 2014 સુધી ફાઈલો દબાવી હતી. ઉત્તર ગુજરાતના ખેડૂતો વર્ષમાં બે પાક લઈ રહ્યા છે.

તેમણે કહ્યું કે કૉંગ્રેસે સોમનાથ મંદિરને પણ વિવાદનું કારણ બનાવ્યુ હતું. સૂર્યમંદિર મુદ્દે કૉંગ્રેસ વોટબેંકની રાજનીતિ કરી છે. રામમંદિરના નિર્માણ પર કૉંગ્રેસે વર્ષો સુધી સવાલ ઉઠાવ્યા હતા. નકારાત્મકતાથી જીવનારા લોકો નફરતની રાજનીતિ છોડતા નથી.

વડાપ્રધાને કહ્યું કે દેશના 80 કરોડને વિનામૂલ્યે અનાજ મળી રહ્યુ છે. એક પ્રકારે આ ભગવાનનો જ પ્રસાદ છે. ઉત્તર ગુજરાતે પાણી માટે તકલીફ ભોગવી છે.

14:03 PM (IST)  •  22 Feb 2024

ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

તરભ વાડીનાથ મહાદેવ મંદિરમાં શ્રદ્ધાળુઓનું ઘોડાપુર ઉમટ્યું હતું. વાળીનાથ મંદિરમાં PM મોદીએ પૂજા અર્ચના કરી હતી. 13 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાત ફાઈબર ગ્રીડ નેટવર્કનું PMના હસ્તે લોકાર્પણ કરાયું હતું.

14:02 PM (IST)  •  22 Feb 2024

'આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે'

લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજે વાળીનાથે વટ પાળ્યો છે. વાળીનાથની રોનક આજે કંઈક વધુ છે. ઘરે સ્વાગત થાય ત્યારે આનંદ અલગ હોય છે. આજે મારા ગામના લોકોને જોઈને આનંદ થયો છે. એક મહિના પહેલા અયોધ્યામાં પ્રભુ રામના ચરણોમાં હતો. અબુધાબીમાં હિન્દુ મંદિરનું લોકાર્પણ કરવાનો અવસર મળ્યો છે. આજે વાળીનાથ મંદિરમાં પૂજા કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયુ છે. રબારી સમાજ માટે પૂજ્ય ગુરૂગાદી છે.

14:00 PM (IST)  •  22 Feb 2024

ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ

વાળીનાથ ધામના જયરામગીરી બાપુએ વડાપ્રધાન મોદીનું સ્વાગત કર્યું હતું. વાળીનાથ ધામમાં PM મોદીએ પૂજા-અર્ચના કરી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે વડાપ્રધાને વિકસિત ગુજરાતની ગેરન્ટી આપી છે. વિકાસોત્સવ ઉ.ગુજરાતને ઉત્તમ ગુજરાત બનાવશે. ઉત્તર ગુજરાતને 13 હજાર કરોડના વિકાસ કાર્યોની ભેટ આપી છે.

 

13:28 PM (IST)  •  22 Feb 2024

PM MODI Live Gujarat : વાળીનાથ મંદિરમાં PM મોદીએ અભિષેક કરી મહાદેવનું કર્યું પૂજા અર્ચન

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વાળીનાથ મહાદેવના મંદિર પહોંચ્યા અને મહાદેવનું ષોડસોપચારે પૂજન કરીને અભિષેક અને આરતી પૂજા થાળ ધરાવ્યો હતો.  વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પ્રાણ પ્રતિષ્ઠા પીએમ મોદીના હસ્તે સંપન્ન કરવામાં આવી, પૂજા વિધિ બાદ તેઓ તરભમાં જન સભાને સંબોધિત કરશે.  

Load More
New Update
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Advertisement
for smartphones
and tablets

વિડિઓઝ

Weather Update: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 11 શહેરમાં સરેરાશ મહત્તમ તાપમાન 41 ડિગ્રીને પાર નોંધાયુંAhmedabad Weather Update: હજુ આગામી 6 દિવસ અગનવર્ષામાં શેકાવા માટે નાગરિકો થઈ જજો તૈયારMansukh Vasava Vs Chaitar Vasava: મનસુખ વસાવા અને ચૈતર વસાવા વચ્ચે જાહેરમાં 'તુ..તુ..મેં..મેં..'Weather Update: આકરા તાપના કારણે રાજ્યમાં ગરમી સંબંધિત બિમારીના કેસમાં પણ મોટો વધારો થયો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Heat Wave: રાજ્યમાં કાળઝાળ ગરમીથી લૂ અને બેભાન થવાના કેસો વધ્યા, જાણો કેટલે પહોંચ્યો આંકડો
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Canada Dream: કેનેડા જવા ઈચ્છતા વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, જાણો હાલ કેવી છે પરિસ્થિતિ
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Gujarat: ચૂંટણી પુરી થતાં જ નેતાઓનું નાટક શરૂ, ડેડીયાપાડા તા.પં. કચેરીમાં મનુસખ અને ચૈતર નાના બાળકોની જેમ ઝઘડ્યા
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Election Fact Check: પીએમ મોદીના ઘર છોડવાના આ સમાચાર છે ખોટા, ભાઈ પ્રહલાદ મોદીએ ક્યારેય નથી કહ્યું આવું, જાણો વાયરલ પોસ્ટની હકીકત
Weather Updates: દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
દિલ્હીમાં ગરમીએ તોડ્યો 14 વર્ષનો રેકોર્ડ, ગુજરાત સહિત આ રાજ્યોમાં 5 દિવસ ભીષણ લૂ નું એલર્ટ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Madresa Survey: આજથી ગુજરાતની તમામ મદરેસાઓમાં સર્વે શરૂ, રાષ્ટ્રીય બાળ આયોગે કર્યો આદેશ
Burning Bus: શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
શ્રદ્ધાળુઓથી ભરેલી બસમાં આગ લાગતાં 8 ભડથું, 20થી વધુ ઘાયલ
Vadodara: વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
વડોદરામાં હિટવેવથી પ્રૌઢનું મોત, 2 લોકો થયા બેભાન
Embed widget