![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
આગામી 19 ઓગસ્ટથી રાજ્યના આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે.
![આગામી 19 ઓગસ્ટથી રાજ્યના આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી Rain will fall in this area of the state from August 19, find out what the weather department has forecast આગામી 19 ઓગસ્ટથી રાજ્યના આ વિસ્તારમાં તૂટી પડશે વરસાદ, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/08/08/15bc47fbfb92a75c9d691cc6a1e3e374_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
રાજ્યમાં છેલ્લા બે સપ્તાહથી વરસાદે વિરામ લીધો છે. રાજ્યમાં હજુ સુધી 12.26 ઈંચ સાથે સિઝનનો સરેરાશ 37.09 ટકા જ વરસાદ વરસ્યો છે. હાલ રાજ્યમાં વરસાદની 48 ટકા ઘટ છે. જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં હવે ફરી ચોમાસુ જામી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં ગુરૂવારથી શનિવાર સુધી ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી અુસાર બંગાળની ખાડી પર આજથી એક લો પ્રેશર સર્જાઈ રહ્યું છે. જે હવે પશ્ચિમ તરફ આગળ વધી શકે છે. જેને લીધે ગુજરાતમાં લાંબા વિરામ બાદ મેઘરાજાનું ફરીથી આગમન થઈ શકે છે.
હવામાન વિભાગ અનુસાર ગુરૂવારે નર્મદા, ડાંગ, નવસારી, વલસાડ, તાપી, દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, આણંદ, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ અને ખેડામાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
જ્યારે શુક્રવારે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં ભારે, જ્યારે અમદાવાદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, અરવલ્લીમાં મધ્યમ વરસાદ વરસી શકે છે. શનિવારે ભરૂચ, સુરત, વલસાડ, તાપીમાં ભારે, તો સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં મધ્યમ વરસાદ વરસી શકે છે.
આ સિવાય કેટલાક જિલ્લામાં ગુરૂવારથી શનિવાર સુધી 41થી 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફુંકાઈ શકે છે. ગુજરાતના જે જિલ્લામાં વરસાદની 50 ટકાથી વધુ ઘટ છે. તેમાં અમદાવાદ, અરવલ્લી, બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠા, તાપી, વડોદરા, ગીર સોમનાથ, જૂનાગઢ, કચ્છ અને સુરેંદ્રનગરનો સમાવેશ થાય છે.
કચ્છ ઝોનમાં અત્યાર સુધી સીઝનનો 31.74 ટકા વરસાદ નોંધાયો..તો ઉત્તર ગુજરાતમાં 31.26 ટકા, મધ્ય ગુજરાતમાં 34.90 ટકા, દક્ષિણ ગુજરાતમાં 42.01 ટકા અને સૌરાષ્ટ્રમાં અત્યાર સુધી સીઝનનો 34.11 ટકા વરસાદ નોંધાયો છે..વરસાદ ખેંચાતા ખેડૂતો પણ ચિંતામાં છે.
વરસાદને લઈને મુખ્યમંત્રીનું નિવેદન
રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. આ નિવેદન આપ્યુ છે મુખ્યમંત્રી રૂપાણીએ. સુરેંદ્રનગર જિલ્લાના પ્રવાસ દરમિયાન મીડિયાના સવાલ પર વિજય રૂપાણીએ સ્વીકાર કર્યો કે, માત્ર સુરેંદ્રનગર જિલ્લો જ નહીં, આખા રાજ્યમાં વરસાદ ખેંચાયો છે. વરસાદ ખેંચાવા અંગે યોગ્ય સમયે યોગ્ય નિર્ણય કરીશું.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)