શોધખોળ કરો
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
17 સપ્ટેમ્બરે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શક્યતા
જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની ઉજવણી થશે.
![17 સપ્ટેમ્બરે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શક્યતા Sardar Sarovar Narmada Dam will be filled on September 17 17 સપ્ટેમ્બરે સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શક્યતા](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/09/12181403/sardar-sarovar-dam.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ગાંધીનગર: 17 સપ્ટેમ્બરે નર્મદા ડેમ સંપૂર્ણપણે ભરાવાની શકયતા છે. આજે સાંજે આયોજનને લઈને મુખ્યમંત્રી નિવાસસ્થાને બેઠક મળશે. જળસંચય અભિયાનની સફળતા અને નર્મદા ડેમ ભરાવાના ઐતિહાસિક દિવસની ઉજવણી થશે. નર્મદા ડેમ પર ભવ્ય આયોજન માટે બેઠકમાં ચર્ચા થશે.
આજે કેબિનેટની બેઠકમાં 5 મંત્રીઓની સમિતિ બનાવવામાં આવી છે. આર સી ફળદુની અધ્યક્ષતામાં સમિતિ બનાવાઈ છે. સરદાર સરોવર નર્મદા ડેમ 94 ટકા ભરાયો છે. રાજ્યના અન્ય જળાશયો પણ ઐતિહાસિક સ્તરે છે.
સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી મોટા પ્રમાણમાં પાણીની આવક થઈ છે. ડેમમાં પાણીની આવક થતા 23 દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર ડેમમાંથી નર્મદા નદીમાં મોટા પ્રમાણમાં પાણી છોડાતા નદી બે કાંઠે વહેતી થઈ છે. ભરૂચના ગોલ્ડનબ્રિજ નજીક નર્મદા નદીની જળ સપાટી 31 ફૂટથી વધુ છે. ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારોમાં રહેતા અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.
Khelo khul ke, sab bhool ke - only on Games Live
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
આરોગ્ય
આરોગ્ય
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)