શોધખોળ કરો

માત્ર 19 દિવસમાં જ ઉકેલ્યો હતો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો કેસ, જાણો કોણ છે અભય ચુડાસમા?

અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે

સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  રાજીનામું આપી દીધું છે.  નિવૃત થાય તે અગાઉ જ તેમણે  રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે  હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનીય છે કે, IPS અભય ચુડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં  કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે. 

અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢતા હતા.

માત્ર 19 દિવસમાં જ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો

અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું. ચુડાસમા જે પણ કેસ હાથમાં લેતા તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનિકલ માસ્ટર માટે જાણીતા હતા. એમણે તપાસ કરી હોય તેવા સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોનું સારુ નેટવર્ક ધરાવતા અભય ચુડાસમાએ આ જ નેટવર્કની મદદથી આ કેસ ઉકેલ્યો હતો. 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.

...જ્યારે સીબીઆઇએ કરી હતી ધરપકડ

ગુજરાતના બાહોશ અધિકારી ગણાતા અભય ચુડાસમાની સીબીઆઇએ એપ્રિલ 2010માં સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચાર વર્ષ પછી 28 એપ્રિલ 2014ના રોજ મુંબઇ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જોકે સીબીઆઇની કોર્ટે અભય ચુડાસમાને સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી યોગ્ય પુરાવા નથી. ઓગસ્ટ 2014માં ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર પ્રમોશન આપ્યું હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
Paresh Goswami Prediction: રાજ્યમાં માવઠાને લઈને પરેશ ગોસ્વામીની મોટી આગાહી, ખેડૂતો થઈ જજો સાવધાન!
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
ગુજરાત સરકારનો મોટો નિર્ણય: આવક-જાતિના દાખલાથી લઈને રેશનકાર્ડના કામ હવે ઘરે બેઠા જ થશે!
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ

વિડિઓઝ

Petrol-Diesel Shortage Rumor : પેટ્રોલ-ડીઝલની અછત માત્ર અફવા , DYCMની સ્પષ્ટતા
Hun To Bolish : હું તો બોલીશ: વનવાસી કે આદિવાસી?
Hun To Bolish : હું તો બોલીશ: મિડલ ઇસ્ટમાં યુદ્ધ, ભારત તૈયાર
Gandhinagar news : હવે આંગણવાડી બહેનોને રખડતા શ્વાન ગણવાની કામગીરી સોંપાઈ
PM Modi speech in Parliament : આપણે સાવધાન અને સતર્ક રહેવાની જરૂર..: PM મોદીનું લોકસભામાં સંબોધન

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલ ખૂટી પડવાની અફવાઓ પર પૂર્ણવિરામ: ગુજરાત સરકારે કહ્યું- ‘ગભરાશો નહીં, આપણી પાસે પૂરતો જથ્થો છે!’
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
પેટ્રોલ-ડીઝલની અછતનો ડર છોડો! પીએમ મોદીએ સંસદમાં આંકડા સાથે સમજાવ્યું ભારત કેમ છે સુરક્ષિત
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
અમદાવાદ સહિત ગુજરાતમાં પેટ્રોલની અછતથી હાહાકાર: જાણો પંપ પર કેમ લાગી છે લાંબી લાઈનો અને શું છે સાચું કારણ?
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
પેટ્રોલ-ડીઝલની અછત એ માત્ર અફવા! હર્ષ સંઘવીએ કહ્યું – મુખ્યમંત્રી દર 2 દિવસે કરશે રિવ્યુ
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
અમેરિકા-ઈરાન યુદ્ધમાં મોટી રાહત: ટ્રમ્પે હુમલાનો પ્લાન 5 દિવસ માટે ટાળ્યો, સમાધાનના મળ્યા સ્પષ્ટ સંકેત
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
આ રાજ્યમાં મોંઘવારીનો ડામ: પેટ્રોલ-ડીઝલ પર 'અનાથ અને વિધવા સેસ' લાગુ, ભાવમાં 5 રૂપિયા સુધીનો થશે વધારો!
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
Parliament: 'યુદ્ધે ભારત માટે ઘણા પડકારો ઉભા કર્યા છે,' લોકસભામાં બોલ્યા PM મોદી 
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
સોના-ચાંદીના ભાવમાં 'ભૂકંપ'! એક જ દિવસમાં ચાંદી ₹12,700 ગગડી, સોનું પણ થયું સસ્તું, જાણો લેટેસ્ટ ભાવ
Embed widget