શોધખોળ કરો

માત્ર 19 દિવસમાં જ ઉકેલ્યો હતો 2008 અમદાવાદ સિરિયલ બ્લાસ્ટનો કેસ, જાણો કોણ છે અભય ચુડાસમા?

અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે

સિનિયર IPS અભય ચુડાસમાએ  તેમના પદ પરથી  રાજીનામું આપી દીધું છે.  નિવૃત થાય તે અગાઉ જ તેમણે  રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે, રાજીનામું આપ્યાં બાદ હવે  હવે સમાજ સેવામાં જોડાય તેવી ચર્ચાંઓ છે. ઉલ્લેખનીય છે કે, IPS અભય ચુડાસમા ઑક્ટોબર મહિનામાં નિવૃત્ત થઇ રહયાં હતા. તેઓ હાલ કરાઈ પોલીસ તાલીમ શાળામાં  કાર્યરત હતા, તેઓ 1998 બેચના IPS અધિકારી છે. 

અનેક મોટા ગુનાઓનો ભેદ ઉકેલનાર અભય ચુડાસમાની ગણના જાંબાઝ પોલીસ અધિકારીઓમાં થાય છે. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાં પોલીસ બેડામાં એક જાણીતું નામ છે. એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ અભય ચુડાસમાની કામ કરવાની આગવી શૈલી હતી. આઈપીએસ અધિકારી અભયસિંહ ચુડાસમાનું પોતાનું નેટવર્ક હતું. પોતાના આ જ નેટવર્કના આધારે તેઓ ગુનેગારોને પાતાળમાંથી પણ શોધી કાઢતા હતા.

માત્ર 19 દિવસમાં જ અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલ્યો

અભય ચુડાસમા વર્ષ 2007-09માં ક્રાઈમ બ્રાન્ચમાં આવતાં પહેલાં જ 'એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ' તરીકે ઓળખાવા લાગ્યા હતા. અભય ચુડાસમા નેટવર્કિંગ ઉપરાંત ટેક્નોલોજીના શાર્પ યુઝ માટે પણ જાણીતા હતા. ધોળકા નજીક રતનપુર ગામના વતની ચુડાસમાએ ફિઝિક્સમાં બી.એસ.સી. કર્યા પછી GPSCની એક્ઝામ પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને બહુ નાની વયે અંકલેશ્વર ખાતે DySp તરીકે પોસ્ટિંગ મેળવ્યું હતું. ચુડાસમા જે પણ કેસ હાથમાં લેતા તેમાં દિલ લગાવીને મહેનત કરતા હતા. તેમની આગવી સૂઝબૂઝ, ટેકનિકલ માસ્ટર માટે જાણીતા હતા. એમણે તપાસ કરી હોય તેવા સૌથી ચર્ચાસ્પદ અમદાવાદ બ્લાસ્ટના કેસની વાત કરીએ તો બાતમીદારોનું સારુ નેટવર્ક ધરાવતા અભય ચુડાસમાએ આ જ નેટવર્કની મદદથી આ કેસ ઉકેલ્યો હતો. 26 જુલાઈ 2008ના દિવસે અમદાવાદમાં થયેલા સિરિયલ બોમ્બ બ્લાસ્ટે શહેરને રક્ત રંજીત કરી નાંખ્યુ હતુ. આ કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના તત્કાલિન DCP અભય ચુડાસમા સહિતની ટીમના દબંગ અધિકારીઓએ માત્ર 19 દિવસમાં જ દેશના મોટા બોમ્બ બ્લાસ્ટના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો હતો અને 30 આરોપીઓને ઝડપી લીધા હતા.

...જ્યારે સીબીઆઇએ કરી હતી ધરપકડ

ગુજરાતના બાહોશ અધિકારી ગણાતા અભય ચુડાસમાની સીબીઆઇએ એપ્રિલ 2010માં સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર મામલે ધરપકડ કરવામાં આવી હતી. જોકે ચાર વર્ષ પછી 28 એપ્રિલ 2014ના રોજ મુંબઇ કોર્ટે તેમને જામીન આપ્યા હતા. જોકે સીબીઆઇની કોર્ટે અભય ચુડાસમાને સોહરાબુદ્દીન શેખના નકલી એન્કાઉન્ટર કેસમાં નિર્દોષ મુક્ત કર્યા હતા. કોર્ટે કહ્યું હતું કે તેમની સામે કોઈ કાર્યવાહી યોગ્ય પુરાવા નથી. ઓગસ્ટ 2014માં ગુજરાત પોલીસે ચુડાસમાને ફરી નોકરી આપી દીધી હતી. જૂન 2015માં ગુજરાત સરકારે ચુડાસમાને નાયબ પોલીસ મહાનિરીક્ષકના હોદ્દા પર પ્રમોશન આપ્યું હતું.  

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ

વિડિઓઝ

Raju Solanki On Ganesh Gondal: બે વર્ષ પહેલા કેમ થઈ હતી ગણેશ ગોંડલની ધરપકડ? રાજુ સોલંકીનો મોટો ધડાકો
Hun To Bolish : હું તો બોલીશ : આંગણવાડી હોય તો આવી
Hun To Bolish : હું તો બોલીશ : મોટા માથાઓનો વરઘોડો કેમ નહીં ?
Hun To Bolish : હું તો બોલીશ : મહેસૂલમાં માલામાલ બાબુ?
Kankaria Carnival: કાંકરિયા કાર્નિવલમાં વીમાના વિવાદનો આવ્યો અંત

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
જેઠાભાઈ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, જાણો શું આપ્યું કારણ?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
17 વર્ષ પછી 'ડાર્ક પ્રિન્સ'નું બાંગ્લાદેશમાં આગમન, ઢાકામાં રાજકીય ઉથલપાથલ, જાણો ભારત પર શું થશે અસર?
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
Surendranagar: સુરેન્દ્રનગરના જમીન કૌભાંડમાં મોટો ધડાકો, કમિશન અને દલાલોના નામ લખેલા દસ્તાવેજો મળ્યા
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
AirPods Pro 3થી લઈને Google Pixel Watch 4 સુધી, આ વર્ષે લોન્ચ થયા આ હેલ્થ ટ્રેકિંગ ગેજેટ્સ
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
દિગ્ગજ નેતા અને સાંસદ મનસુખ વસાવાએ ભાજપ છોડવાની કેમ આપી ચીમકી? 75 લાખના તોડ સાથે શું છે કનેક્શન?
ગુગલમાં ફક્ત ટાઈપ કરો
ગુગલમાં ફક્ત ટાઈપ કરો "do a barrel roll" પછી જુઓ તમારી સ્ક્રીન પર જાદુ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
T20 વર્લ્ડ કપ પહેલા 33 બોલમાં ફટકારી વિસ્ફોટક સદી,આ ભારતીય બેટ્સમેનથી વિરોધી ટીમોમાં ફફડાટ
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Karnataka: કર્ણાટકના ચિત્રદુર્ગમાં ટ્રક સાથે ટક્કર બાદ સ્લીપર બસમાં લાગી આગ, 12 લોકોના મોત
Embed widget