શોધખોળ કરો

સોમનાથ સ્વાભિમાન પર્વ: PM મોદીનો ભવ્ય રોડ-શો અને 3000 ડ્રોનનો નજારો, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

Somnath Swabhiman Parv: ગઝનવીના આક્રમણના 1000 વર્ષ અને મંદિરના જીર્ણોદ્ધારના 75 વર્ષ નિમિત્તે ઐતિહાસિક ઉજવણી, મુસાફરો માટે 4 શહેરોથી સ્પેશિયલ ટ્રેન દોડશે.

Somnath Swabhiman Parv: ભારતભરમાં આસ્થાના પ્રતીક સમાન અને પ્રથમ જ્યોતિર્લિંગ ગણાતા સોમનાથ મંદિરના આંગણે ભક્તિ, શૌર્ય અને સંસ્કૃતિનો અનોખો ત્રિવેણી સંગમ રચાવા જઈ રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી આગામી તારીખ 8 થી 11 જાન્યુઆરી દરમિયાન અહીં ભવ્ય ‘સોમનાથ સ્વાભિમાન પર્વ’ (Somnath Swabhiman Parv) નું આયોજન કરવામાં આવ્યું છે. રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુભાઈ વાઘાણીએ આ અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ ઉજવણી માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિના ગૌરવ અને અતૂટ શ્રદ્ધાનું પ્રતીક છે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મુખ્યમંત્રી અને રાજ્યનું સમગ્ર વહીવટી તંત્ર તડામાર તૈયારીઓ કરી રહ્યું છે.

આ મહોત્સવ પાછળનો હેતુ અને સમયગાળો ખૂબ જ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. ઈતિહાસના પાનાઓ તપાસીએ તો ઈ.સ. 1026 માં મહમૂદ ગઝનવીએ સોમનાથ મંદિર પર આક્રમણ કર્યું હતું, જેને આજે 1000 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ ઘટનાની સામે ભારતના લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે સોમનાથ મંદિરના જીર્ણોદ્ધારનો જે દ્રઢ સંકલ્પ લીધો હતો, તેના પણ 75 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે. આ બંને ઘટનાઓના ‘ડબલ સંયોગ’ને ધ્યાનમાં રાખીને, સોમનાથના સંઘર્ષ અને પુનઃનિર્માણની ગાથાને યાદ કરવા માટે વડાપ્રધાનના માર્ગદર્શન હેઠળ આ ભવ્ય પર્વનું આયોજન કરવામાં આવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આ ભવ્ય ઉજવણીમાં સહભાગી થવા માટે તારીખ 10 જાન્યુઆરીના રોજ સાંજે 5:30 કલાકે સોમનાથ પધારશે. ત્યાર બાદના દિવસે એટલે કે 11 જાન્યુઆરીએ તેઓ ભગવાન સોમનાથના દર્શન અને પૂજા-અર્ચના કરશે તેમજ સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરશે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન એક ભવ્ય રોડ-શો (Road Show) અને શૌર્ય યાત્રામાં જોડાશે. અંતમાં તેઓ એક વિશાળ જનસભાને સંબોધન કરીને દેશવાસીઓને સાંસ્કૃતિક એકતાનો સંદેશ આપશે.

શ્રદ્ધાળુઓ માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ રહેશે. સોમનાથના ઈતિહાસ અને ભવ્યતાને જીવંત કરવા માટે આકાશમાં 3000 ડ્રોન દ્વારા એક મેગા ડ્રોન શો (Mega Drone Show) યોજાશે, જે અત્યાર સુધીનો સૌથી મોટો શો બની રહેશે. આ ઉપરાંત, મંદિરની રક્ષા કાજે બલિદાન આપનારા વીરોની સ્મૃતિમાં એક શૌર્ય યાત્રા યોજાશે, જેમાં 108 અશ્વો સાથેનો કાફલો ‘શંખ સર્કલ’થી ‘હમીરજી ગોહિલ સર્કલ’ સુધી જશે. ભક્તિમય વાતાવરણ ઊભું કરવા માટે મંદિર પરિસરમાં 2500 ઋષિકુમારો દ્વારા મંત્રોચ્ચાર અને 72 કલાકનો અખંડ ઓમકાર જાપ કરવામાં આવશે, સાથે જ 1000 કલાકારો દ્વારા શંખનાદ ગુંજી ઉઠશે. સમગ્ર વિસ્તારમાં સાંસ્કૃતિક કાર્યક્રમો માટે 20 જેટલા વિશાળ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યા છે.

રાજ્ય સરકાર દ્વારા શ્રદ્ધાળુઓની સુવિધા માટે પરિવહન વ્યવસ્થા પર પણ ખાસ ધ્યાન આપવામાં આવ્યું છે. રાજ્યભરમાંથી લોકો સરળતાથી સોમનાથ પહોંચી શકે તે માટે તારીખ 8, 9 અને 10 જાન્યુઆરી દરમિયાન અમદાવાદ, રાજકોટ, સુરત અને વડોદરાથી દરરોજ ચાર સ્પેશિયલ ટ્રેનો (Special Trains) દોડાવવામાં આવશે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા યાત્રિકો માટે રહેવા અને જમવાની તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. અયોધ્યા અને કાશીની જેમ સોમનાથ કોરિડોર (Somnath Corridor) બનવાથી આ તીર્થધામ હવે વૈશ્વિક ફલક પર આધ્યાત્મિક અને પ્રવાસન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યું છે, જ્યાં લાખોની સંખ્યામાં ભક્તો ઉમટી પડશે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
ગ્લૉબલ એનર્જી ઇન્ડિપેન્ડન્સ ડે: નવીનીકરણીય ઊર્જા ક્ષેત્રે 50.386 ગીગાવૉટ ક્ષમતા સાથે ગુજરાત દેશમાં મોખરે
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ, જાણો હવામાનનું લેટેસ્ટ અપડેટ 
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર
વરસાદે વિરામ લીધો છતાં ગુજરાતમાં સ્થિતિ યથાવત: 168 રસ્તા બંધ, 10 ડેમ હાઈ એલર્ટ પર

વિડિઓઝ

Vadodara By Election BJP Candidate : માંજલપુર પેટાચૂંટણીને લઈ ભાજપે જાહેર કર્યા ઉમેદવાર
Amreli Lion Attack : અમરેલીમાં સિંહના હુમલામાં યુવકનું મોત, મોઢવાડિયાનો મોતને લઈ મોટો ધડાકો
Ambalal Patel Prediction : ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે વરસાદનો બીજો રાઉન્ડ? અંબાલાલની મોટી આગાહી
Hun To Bolish: હું તો બોલીશ: સિંહ સાથે સંઘર્ષ કેમ?
Hun To Bolish: હું તો બોલીશ: ખાડીપૂરનો સ્વીકાર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
આઠ સૈનિકોના મોત બાદ ભડક્યું ઈરાન, કહ્યું- 'કોઈ પણ અમેરિકન સૈનિક જીવતો પરત ફરશે નહીં'
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
FIFA World Cup 2026: ફીફા વર્લ્ડકપની સેમિફાઈનલમાં પહોંચ્યું ફ્રાન્સ, ક્વાર્ટર ફાઈનલમાં મોરક્કોને આપી હાર
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
India vs England: ઈગ્લેન્ડ સામે ભારતની નવ વિકેટથી કારમી હાર, ભારતીય બોલરો ફરી ફ્લોપ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Gujarat: વડોદરાની માંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીમાં BJP એ ઉમેદવાર કર્યા જાહેર, જાણો કોને મળી ટિકિટ
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
Ambalal Patel: નવી સિસ્ટમ સક્રિય થતાં આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે, અંબાલાલ પટેલે કરી નવી આગાહી
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
IMD Alert: દેશના 18 રાજ્યોમાં ભારે પવન સાથે વાવાઝોડું અને ધોધમાર વરસાદનું એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
Ahmedabad: ખાનપુર વિસ્તારમાં મોટી દુર્ઘટના, વૃક્ષ ધરાશાયી થતા એકનું મોત 
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
રામ મંદિર દાન ચોરી પર અખિલેશનો મોટો હુમલો, બોલ્યા- CDR તપાસ થશે તો BJP માં મચી જશે ભાગદોડ
Embed widget