શોધખોળ કરો

Surendranagar : ચોટીલાના પૂર્વ ધારાસભ્યનું નિધન, સમગ્ર પંથકમાં શોકની લાગણી ફરી વળી

સાયલા-ચોટીલાનાં પુર્વ ધારાસભ્ય મહેશભાઇ મકવાણાનું ધજાળા ખાતે દુઃખદ અવસાન થયું છે. વર્ષો જૂના અને પીઢ તેમજ અનુભવી રાજકારણીયનાં અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ.

સુરેન્દ્રનગરઃ સાયલા-ચોટીલાનાં પુર્વ ધારાસભ્ય મહેશભાઇ મકવાણાનું ધજાળા ખાતે દુઃખદ અવસાન થયું છે. વર્ષો જૂના અને પીઢ તેમજ અનુભવી રાજકારણીયનાં અવસાનથી સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઇ. તેઓનાં પિતા સ્વ. કરમશીભાઈ મકવાણા કોંગ્રસના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે.

ગાંધીનગરઃ કોંગ્રેસના ભિલોડાના ધારાસભ્ય સ્વ. અનિલ જોશિયારાનું લાંબી માંદગી બાદ સોમવારે નિધન થયું હતું. ડો. જોશીયારાના નિધન સાથે કોંગ્રેસે ભાજપની લહેરો સામે અડીખમ રહીને લાંબા સમયથી ચૂંટાતા ધારાસભ્યને ગુમાવ્યા છે. ડો. 2002થી 2017 સુધી સતત ટાર ટર્મ માટે ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા.  

ડો. જોશીયારા 1995માં પ્રથમ વખત ભાજપની ટિકિટ પર ચૂંટાઈને ધારાસભ્ય બન્યા હતા. શંકરસિંહ વાઘેલાના બળવાના કારણે ભાજપ છોડી જનારા ડો. જોશીયારા 1998માં વાઘેલાની પાર્ટી રાષ્ટ્રીય જનતા પાર્ટી (આરજેપી)ની ટિકિટ પર ભિલોડામાંથી હારી ગયા હતા. આરજેપીના કોંગ્રેસમાં વિલિનીકરણ પછી ડો. જોશીયારાએ પાછું વળીને જોયું નહીં ને ફરી કદી ના હાર્યા.

 

ડો. જોશીયારાની આજે મંગળવારે ભિલોડા ખાતે અંતિમક્રિયા કરવામાં આવશે. અનિલ જોશીયારાનો જન્મ 24 એપ્રિલ 1952 ના રોજ થયો હતો.  ડો. જોશીયારાએ MBBS ભણ્યા પછી MSની ડીગ્રી મેળવી હતી. 1995થી 1996 દરમ્યાન આદિજાતિ વિકાસ મંત્રીની જવાબદારી સંભાળનારા ડો. જોશીયારા 1997થી 98 દરમ્યાન રાજ્ય સરકારમાં આરોગ્ય મંત્રી હતા.  

સાબર યુવા વિકાસના સભ્ય રહેલા ડો. જોશીયારા 10 વર્ષ મેડિકલ એસોસિયેશનના સભ્ય રહ્યા હતા. તેમણે 1984થી 94 સુધી સુપરિટેન્ડ અને સિવિલ સર્જન તરીકે સેવા આપી હતી. કુટુંબ નિયોજનમાં 10 વર્ષ સુધી સેવા આપી હતી અને
લાયન્સ કલબ સાથે જોડાઈ વર્ષો સુધી ગરીબોની સેવા કરી હતી. ડુંગરી ગરાસિયા સેવા સમાજના હોદ્દેદાર પણ રહ્યા હતા.

ચેન્નાઇથી ડો. જોશીયારાના મૃતદેહને વહેલી સવારે અમદાવાદ એરપોર્ટ પર લાવીને ભિલોડા લઈ જવામાં આવ્યો હતો. ભિલોડા ખાતે ડો. અનિલ જોશીયારાની અંતિમ વિધિ પહેલાં મંગળવારે સવારે તેમના નિવાસ સ્થાને અંતિમ દર્શન માટે મૃતદેહને રાખવામાં આવ્યો હતો. બપોરે  12 વાગ્યા આસપાસ અંતિમક્રિયા કરવામાં આવશે.

કોંગ્રેસમાંથી વિપક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર અંતિમ દર્શને જવા રવાના થયા છે. ગઈકાલે કોંગ્રેસ ધારાસભ્ય અને પૂર્વ આરોગ્ય મંત્રી ડો. અનિલ જોશિયારાનું નિધન થયું હતું. કોરોનાના કારણે ચેન્નાઇ ખાતે સારવાર લઈ રહેલા ડો. જોશીયારાનું 69 વર્ષની વયે નિધન થયું હતું.  

About the author abp asmita

ABP Asmita is an Indian 24-hour regional news channel broadcasting in the Gujarati language. It operates from Ahmedabad, Gujarat. It is owned by ABP Group. 
Read
વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 

વિડિઓઝ

Sonia Gandhi Voter ID Case: વોટર લિસ્ટ વિવાદમાં કોર્ટે સોનિયા ગાંધીને આપી નોટિસ
Panchmahal News: જાંબુઘોડા તાલુકામાં થયેલા બોગસ લગ્ન નોંધણીના કૌભાંડમાં ચોંકાવનારો ખુલાસો થયો
Ahmedabad Protest : અમદાવાદના ભાજપના ધારાસભ્ય સામે સ્થાનિકોએ રોષ ઠાલવ્યો
Ahmedabad Police : અમદાવાદમાં દુષ્કર્મના આરોપીએ હથિયાર છીનવી નાસી જવાનો પ્રયાસ કરતા પોલીસનું ફાયરિંગ
Dwarka News: દ્વારકામાં રખડતા ઢોરની સમસ્યા મુદ્દે ગુજરાત હાઈકોર્ટે નગરપાલિકાની ઝાટકણી કાઢી

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
AI Rulebook: ટ્રમ્પ સરકારની મોટી જાહેરાત, અમેરિકાના તમામ રાજ્યો માટે AI ને લઈ સમાન નિયમો બનાવશે 
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IndiGo crisis: દેશભરમાં આજે પણ અનેક ફ્લાઈટ રદ, DGCAએ જાણો શું આપ્યા કડક આદેશ
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
IPL 2026 Auction: BCCI એ જાહેર કર્યું ઓક્શનનું ફાઈનલ લિસ્ટ,1000થી વધુ ખેલાડીઓને કર્યા બહાર
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
'મુસાફરોની સલામતી સાથે કોઈ સમાધાન નહીં, પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે', સંસદમાં બોલ્યા કેન્દ્રીય મંત્રી 
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
ભારતને કારણે અમેરિકન ખેડૂતોને નુકસાન, વધારાનો ટેરિફ લાદવા અંગે વિચારીશું: ટ્રમ્પ
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Railway 2025: ઈન્ડિયન રેલવેમાં જૂનિયર એન્જિનિયર બનવાની તક, આ તારીખ પહેલા કરી લો અરજી
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
Ahmedabad: 'તમને શું અહીંયા લોહી પીવા માટે રાખ્યા છે', ઠક્કરબાપાનગરમાં ભાજપના MLA સામે સ્થાનિકોનો હલ્લાબોલ
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
સોનિયા ગાંધી અને દિલ્હી પોલીસને નોટિસ, નાગરિકતા લીધા વિના મતદાર યાદીમાં નામ પર કાર્યવાહી
Embed widget