![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Surendranagar : ડાયરામાં આવેલા લૂંટના આરોપીને પકડવા પોલીસ પહોંચી તો મામલો બિચક્યો, પોલીસ સાથે મારામારી
સાયલાના કસવાળી ગામે ડાયરામાં હાજર લૂંટ કેસના ફરાર આરોપીને મોરબી પોલીસ પકડવા જતાં મામલો બિચક્યો હતો. મોરબી પોલીસ લૂંટ કેસમાં ફરાર આરોપીને પકડવા પોલીસ ડાયરામાં આવતા મામલો બિચક્યો હતો.
![Surendranagar : ડાયરામાં આવેલા લૂંટના આરોપીને પકડવા પોલીસ પહોંચી તો મામલો બિચક્યો, પોલીસ સાથે મારામારી Surendranagar : crowd scuffle after police arrived arrest robbers at Lok Dayaro in Sayala Surendranagar : ડાયરામાં આવેલા લૂંટના આરોપીને પકડવા પોલીસ પહોંચી તો મામલો બિચક્યો, પોલીસ સાથે મારામારી](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/22/9fbe3aeccedc11544c830fdaf22ac50f_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
સુરેન્દ્રનગરઃ સાયલાના કસવાળી ગામે ડાયરામાં હાજર લૂંટ કેસના ફરાર આરોપીને મોરબી પોલીસ પકડવા જતાં મામલો બિચક્યો હતો. મોરબી પોલીસ લૂંટ કેસમાં ફરાર આરોપીને પકડવા પોલીસ ડાયરામાં આવતા મામલો બિચક્યો હતો. પોલીસ અને ટોળા વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. બે રાઉન્ડ હવામાં ફાયરીંગ પણ થયું હોવાની ચર્ચા છે. ત્રણ પોલીસ કર્મચારીઓને મુઢમાર વાગતા ઇજાગ્રસ્ત થયા છે. ધજાળા પોલીસ મથકે કુલ ૧૫૦થી વધુ વ્યક્તિઓ સામે રાયોટીંગનો ગુનો દાખલા કરવામાં આવ્યો છે.
વડગામ MLA જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર મોકલ્યાં
Assam : કોંગ્રેસના ધારાસભ્ય અને દલિત નેતા જિજ્ઞેશ મેવાણી, જેમની આસામ પોલીસ દ્વારા ગુનાહિત કાવતરું અને બે સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી, તેને ગુરુવારે આસામની કોર્ટ દ્વારા ત્રણ દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલવામાં આવ્યાં છે. સાંજે અમદાવાદથી ગુવાહાટી થઈને આવ્યા બાદ કોંગ્રેસ સમર્થિત અપક્ષ ધારાસભ્ય મેવાણીને ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.
સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, મેવાણી તરફથી હાજર રહેલા એડવોકેટ મનોજ ભગવતીએ કહ્યું કે પોલીસે 14 દિવસની કસ્ટડી માંગી હતી, જેના પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. બંને પક્ષોને સાંભળ્યા બાદ કોર્ટે ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા હતા અને આદેશ આપ્યો હતો કે આ સમય દરમિયાન તેને કોકરાઝારની બહાર ક્યાંય લઈ જઈ શકાશે નહીં.
આસામ કોંગ્રેસ દ્વારા મેવાણી માટે નિયુક્ત કરાયેલા એડવોકેટ ભગવતીએ જણાવ્યું હતું કે મેવાણી દ્વારા દાખલ કરવામાં આવેલી જામીન અરજી કોર્ટે ફગાવી દીધી હતી.
મેવાણી સામે નોંધવામાં આવેલી એફઆઈઆર મુજબ, તેમણે કથિત રીતે ટ્વીટ કરીને દાવો કર્યો હતો કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી "ગોડસેને ભગવાન માને છે".
દરમિયાન, મેવાણીની ધરપકડથી નારાજ ગુજરાત કોંગ્રેસના નેતાઓએ તેમની મુક્તિની માંગ સાથે શહેરના સારંગપુર સર્કલ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતું.ગુજરાતના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની ધરપકડની નિંદા કરતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા કહ્યું કે પીએમ 'અસંમતિને ડામવાનો પ્રયાસ કરીને સત્યને પકડી શકતા નથી'.
પીટીઆઈએ ગુજરાતના બનાસકાંઠા પોલીસ સ્ટેશનના એક અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, "આસામ પોલીસે બુધવારે મોડી રાત્રે પાલનપુર સર્કિટ હાઉસમાંથી મેવાણીની કસ્ટડી લીધી હતી અને સ્થાનિક પોલીસને જાણ કર્યા પછી તેને તેમની સાથે આસામ લઈ ગઈ હતી."
મેવાણીની ભારતીય દંડ સંહિતાની કલમ 153A હેઠળ એફઆઈઆર પછી ધરપકડ કરવામાં આવી હતી, જે આસામના કોકરાઝાર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ સમુદાયો વચ્ચે દુશ્મનાવટને પ્રોત્સાહન આપતા ગુનાઓ સાથે સંબંધિત છે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)