શોધખોળ કરો

Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

Gujarat Home Guard : ગુજરાતમાં હોમગાર્ડની નિવૃત્તિ વય મર્યાદા વધારી કરાઈ 58 વર્ષ

Gujarat Home Guard retirement age: રાજ્યની સુરક્ષા વ્યવસ્થામાં પોલીસ સાથે ખભેખભા મિલાવીને કામ કરતા હોમગાર્ડ જવાનો માટે રાજ્ય સરકારે અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે હોમગાર્ડ જવાનોની નિવૃત્તિ વયમર્યાદા જે અત્યાર સુધી 55 વર્ષ હતી, તેમાં 3 વર્ષનો વધારો કરીને 58 વર્ષ કરી છે. આ નિર્ણયના કારણે રાજ્યના હજારો જવાનોને સીધો લાભ મળશે અને તેઓ વધુ સમય સુધી રાષ્ટ્રસેવા કરી શકશે.

મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953માં કરાયો સુધારો

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શન હેઠળ નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ હોમગાર્ડ જવાનોના હિતમાં એક મોટો નિર્ણય જાહેર કર્યો છે. સરકારે 'મુંબઈ હોમગાર્ડ્ઝ રૂલ્સ, 1953' ના નિયમ-9 માં જરૂરી સુધારા કર્યા છે. આ કાયદાકીય સુધારાને પરિણામે હવેથી હોમગાર્ડ સભ્યોની નિવૃત્તિ વય 55 વર્ષથી વધીને 58 વર્ષ થઈ ગઈ છે. એટલે કે, જવાનો હવે પહેલા કરતા 3 વર્ષ વધુ સમય સુધી પોતાની ફરજ પર કાર્યરત રહી શકશે.

પોલીસના 'મદદગાર મિત્ર' તરીકેની કામગીરી

આ અંગે માહિતી આપતા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, હોમગાર્ડ દળ રાજ્ય પોલીસના એક મજબૂત પૂરક બળ તરીકે સેવા આપે છે. ચૂંટણી હોય, વી.આઈ.પી. બંદોબસ્ત હોય, રાત્રિ પેટ્રોલિંગ હોય કે પછી ટ્રાફિક નિયમન; હોમગાર્ડના જવાનો હંમેશા ખંતથી પોતાની ફરજ બજાવે છે. મેળા અને ધાર્મિક પ્રસંગોએ પણ તેમની કામગીરી સરાહનીય રહી છે. સરકારના આ નિર્ણયથી જવાનોમાં રાષ્ટ્રસેવાનો જુસ્સો વધશે અને તેઓ વધુ ઉત્સાહથી ફરજ બજાવશે.

કૌટુંબિક જવાબદારીઓમાં મળશે રાહત

હોમગાર્ડના જવાનો માનદ સેવા આપે છે અને તેમના શિરે પણ પરિવારની મોટી જવાબદારીઓ હોય છે. નિવૃત્તિ વયમર્યાદામાં કરાયેલો આ વધારો તેમને આર્થિક અને સામાજિક રીતે મદદરૂપ થશે. 3 વર્ષનો વધારાનો સેવાકાળ તેમને પોતાની કૌટુંબિક ફરજો પૂરી કરવામાં ટેકો આપશે. વળી, હોમગાર્ડ જવાનો સ્થાનિક સ્તરે લોકો સાથે સીધા જોડાયેલા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવામાં પોલીસને મળતી મદદ વધુ અસરકારક બનશે.

ઇતિહાસ અને ભથ્થામાં થયેલો વધારો

અત્રે ઉલ્લેખનીય છે કે, બૃહદ મુંબઈ રાજ્યમાં 6 ડિસેમ્બર, 1947ના રોજ આંતરિક સુરક્ષા અને કુદરતી આફતોમાં પોલીસને મદદ કરવાના હેતુથી હોમગાર્ડ દળની સ્થાપના કરવામાં આવી હતી. સરકાર હોમગાર્ડ જવાનોના કલ્યાણ માટે સમયાંતરે નિર્ણયો લેતી રહે છે. આ પહેલાં વર્ષ 2022માં જવાનોના માનદ વેતનમાં 50% નો વધારો કરવામાં આવ્યો હતો. 31 નવેમ્બર, 2022ના રોજ દૈનિક ભથ્થું 300 રૂપિયાથી વધારીને 450 રૂપિયા કરવામાં આવ્યું હતું.

ગાંધીનગર વિડિઓઝ

Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો
Congress Protest: ગાંધીનગરમાં ટાઈફોઈડ વકરતા કોંગ્રેસનો મનપા કચેરીએ હોબાળો

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Mahesh Vasava Big Statement: મહેશ વસાવાનું કોંગ્રેસમાં જોડાયા બાદ પ્રથમ નિવેદન
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યોએ ખોલી પોલ
Hun To Bolish : હું તો બોલીશ : ઉત્તરાયણમાં જીવનું જોખમ ?
Hun To Bolish : હું તો બોલીશ : આ ટ્રંપ ક્યાં જઈને અટકશે ?
Saurashtra Earthquake News: સૌરાષ્ટ્રમાં 12 કલાકમાં ભૂકંપના 7 આંચકાથી લોકોમાં ફફડાટ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
PM મોદી આજથી 3 દિવસ ગુજરાતના પ્રવાસે, સોમનાથ સ્વાભિમાન પર્વમાં રહેશે ઉપસ્થિત, જાણો સંપૂર્ણ કાર્યક્રમ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
Iran Protest: 180 શહેરોમાં પ્રદર્શન, 60થી વધુ લોકોના મૃત્યુ, ઇન્ટરનેટ બંધ, ફ્લાઇટસ કેન્સલ, જાણો લેટેસ્ટ શું છે સ્થિતિ
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
પુણેમાં રાત્રે 3 વાગ્યે બાલ્કનીમાં ફસાયો યુવક, Blinkit ના ડિલિવરી બોયએ આ રીતે બચાવ્યો, જુઓ Video
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Gujarat Weather : આગામી દિવસોમાં રાજ્યમાં વધશે કે ઘટશે ઠંડી? જાણો ઉત્તરાયણમાં કેવી હશે પવનની ગતિ
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Iran-US Tensions:ઇરાની અધિકારીએ મંશા કરી વ્યક્ત, માદુરો જેવો જ વ્યવહાર ડોનાલ્ડ ટ્રમ્પ સાથે પણ થવો જરૂરી
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
Union Budget 2026:સંસદનું બજેટ સત્ર 28 જાન્યુઆરીથી થશે શરૂ,ઇતિહાસમાં પહેલી વાર રવિવારે સામાન્ય બજેટ થશે રજૂ
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
દિલ્લીની જેમ અમદાવાદની હવા પણ બની ઝેરી, પ્રદૂષણ ગંભીર સ્તરે, AQI 400ને પાર
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Maharashtra: એકનાથ શિંદેની શિવસેનાએ BJP ને આપ્યો મોટો ઝટકો, NCP સાથે મળી કર્યો 'ખેલ'
Embed widget