Gujarat: બે દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી
આજે અને આવતીકાલે તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ મંગળવારથી તાપમાનમાં ઘટાડો થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.
ગાંધીનગર: આજે અને આવતીકાલે તાપમાનનો પારો સ્થિર રહેશે. પરંતુ મંગળવારથી તાપમાનમાં ઘટાડો થશે. આ આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મંગળવારથી તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી ઘટી શકે છે.
હવામાન વિભાગના મતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાના કારણે બે દિવસ બાદ તાપમાન ઘટી શકે છે. જો કે, આજે અમદાવાદ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ગરમીનો પારો 36 ડિગ્રી પર પહોંચી ગયો. અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમરેલી અને ભૂજમાં પણ 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે. રાજકોટ, સુરેન્દ્રનગર, ડીસા અને વડોદરામાં 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે. સુરતમાં તો ગરમીથી બચવા માટે લોકોએ સ્નો પાર્કનો સહારો લીધો છે. શહેરના પીપલોદ વિસ્તારમાં આવેલા સ્નો પાર્કમાં માઈનસ પાંચ ડિગ્રીમાં લોકોએ બરફની મજા માણી હતા. પાટનગર ગાંધીનગરમાં ગરમીથી રાહત મેળવવા માટે લોકો વોટર પાર્કમાં પહોંચ્યા હતા. બાળકો સહિત મોટેરાઓએ વોટર પાર્કમાં નાહીને મજા માણી હતી.
Mehsana: જિલ્લા વિકાસ અધિકારીએ મહેસાણાના આ ગામના સરપંચ, ઉપ સરપંચ અને સભ્યોને તેના હોદ્દા પરથી દૂર કરતા ખળભળાટ
મહેસાણા:
ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો
મહેસાણા જીલ્લાનું તરેટી ગામ જ્યાં ગામના સરપંચ, ઉપ સરપંચ અને અન્ય સભ્ય મળી તારીખ ૧૭/૬/૨૦૨૨ના રોજ મળેલ ગામ પંચાયતની સભામાં એક ઠરાવ કર્યો હતો. જેમાં ગામની ગોચર જમીન સર્વે નંબર ૭૩માં બાબુભાઈ ચોધરીના પાર્ટી પ્લોટ માટે ૧૫ મીટરનો રસ્તો આપવા ઠરાવ કરાયો હતો અને પંચાયતના સરપંચે, ઉપ સરપંચ અને અન્ય ચાર હોદેદાર સાથે મળી રસ્તો પણ આપી દીધી હતો.
ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી
જેને લઇ ગામ પંચાયતના મહિલા સભ્યના પતિ ભરતભાઈ રાણાએ જીલ્લા વિકાસ અધિકારીને લેખિત ફરિયાદ કરી હતી. જે બાદ જીલ્લા વિકાસ અધિકારીએ તપાસના આદેશ આપ્યા હતા. જોકે પંચાયત અધિનયમ મુજબ ગોચર જમીનનો ગોચર સિવાય અન્યને ફાળવણીનો અધિકાર પંચાયતના સભ્યો પાસે નથી. તેમ છતાં સરપંચ, ઉપ સરપંચ અને ચાર સભ્યોએ ભેગા મળી આ જમીન પાર્ટી પ્લોટના રસ્તા માટે ફાળવતા જીલ્લા વિકાસ અધિકારીએ ગામના સરપંચ મુકેશભાઈ પટેલ, ઉપ સરપંચ અરજણજી ઠાકોર, પંચાયત સભ્ય લાછુંબેન ઠાકોર, જાગૃતિબેન ઠાકોર, નીતાબેન ઠાકોર, કાનજીભાઈ રબારીને પોતાના હોદા ઉપરથી દુર કરવાનો હુકમ જીલ્લા વિકાસ અધિકારીએ કર્યો છે.
આ જમીનની કીમત કરોડોની છે
ગુજરાત પંચાયત અધિનિયમ ૧૯૯૩ ની કલમ ૫૭[૧] મુજબ દુર કરતા ગામ પંચાયત વિવાદમાં આવી છે. જોકે તળેટી ગામ મહેસાણની બિલકુલ બાજુનું ગામ છે. તેમજ મહેસાણા ઉંઝા હાઇવે ઉપર તેની ગોચર જમીન આવેલ છે, જે જમીન પર મોટા પાયે દબાણ થયું છે. જોકે આ જમીનની કીમત કરોડોની છે ત્યારે આ જમીનને લઇ વિવાદ રહ્યા કરે છે.






















