શોધખોળ કરો

ચૂંટણી 2024 એક્ઝિટ પોલ

(Source:  Dainik Bhaskar)

ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત, કયા-કયા કર્મચારીઓને મળશે 7માં પગારપંચનો લાભ, જાણો

આ જાહેરાતને લઈને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરો પર ખુશી જોવા મળી

ગાંધીનગર: વિધાનસભામાં સરકારે ગુજરાતની એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને 7માં પગાર પંચનો લાભ આપવાની જાહેરાત કરી હતી. ગૃહમાં આ જાહેરાતને લઈને પ્રોફેસરો વતી શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ નાણામંત્રી નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો. એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરો પર ખુશી જોવા મળી હતી. એક તરફ રાજ્ય સરકારે કોલેજના પ્રોફેસરોને લઈને જાહેરાત કરી હતી તો બીજી તરફ કેન્દ્ર સરકારે કેન્દ્રીય કર્મચારીઓને લઈને પણ મહત્વની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારની જાહેરાત અંગે શિક્ષણમંત્રીએ માહિતી આપી હતી. શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૃહમાં કહ્યું હતું કે, એન્જિનિયરીંગ અને ફાર્મસી કોલેજના તમામ પ્રોફેસરોને 7માં પગાર પંચનો લાભ મળશે. મહત્વનું છે કે, છેલ્લા ઘણાં સમયથી પ્રોફેસરો વિરોધ કરી રહ્યા હતા. અનેક વખત પ્રોફેસરો સરકારમાં રજૂઆત કરી ચૂક્યા છે. રજૂઆત બાદ પણ ઉકેલ નહોતો આવ્યો. ત્યારે હવે રાજ્ય સરકારે તેમના આ માંગને ધ્યાનનમાં રાખીને જાહેરાત કરવામાં આવી છે. બીજી તરફ નોકરિયાત વર્ગને મોદી સરકારે પણ મોટી ભેટ આપી હતી. મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને એક મોટી ભેટ આપી છે. 1 કરોડથી વધુ લોકોને આનો લાભ મળવાની અપેક્ષા છે. શુક્રવારે કેન્દ્રીય કેબિનેટની બેઠક મળી હતી. આ બેઠકમાં સરકારે કર્મચારીઓ અને પેન્શનરોના ડેરનેસ એલાઉન્સ (ડી.એ)ને વધારવાની મંજૂરી આપી છે. મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો. તેની સાથે જ હવે કેન્દ્રીય કર્મચારીના મોંઘવારી ભથ્થું વધીને 21 ટકા થઈ ગયું છે. પહેલા કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 17 ટકા હતું. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓને દર મહિનાના પગારમાં 720 રૂપિયાથી 10,000 રૂપિયા સુધીનો વધારો થવાની અપેક્ષા છે. જોકે સરકારના આ નિર્ણયથી 50 લાખ કેન્દ્રીય કર્મચારીઓ અને લગભગ 65 લાખ પેન્શનરોને ફાયદો થવાની સંભાવના છે.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Haryana Election Exit Polls | હરિયાણામાં કોની બનશે સરકાર? જુઓ ચોંકાવનારા આંકડાPune Crime | પૂણેમાં સુરતમાં સામૂહિક દુષ્કર્મના કેસમાં સામે આવ્યા આરોપીઓના CCTVVadodara Crime | યુવતીઓ સાવધાન! નવરાત્રિમાં જ મોડી રાતે સગીરા પર દુષ્કર્મ | ABP AsmitaNavratri 2024 | Anupam Swarup Swami | નવરાત્રિ અંગે સ્વામીનો બફાટ | દીકરીને બગાડવાનું જાહેર આમંત્રણ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Poll Of Polls Results: જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં ભાજપ-કોંગ્રેસ બંનેનો દબદબો, વાંચો તમામ એગ્ઝિટ પોલ્સના પરિણામો
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Haryana Election Exit Polls: હરિયાણામાં ભાજપ મારશે બાજી કે કૉંગ્રેસ બનાવશે સરકાર, જાણો ચોંકાવનારા આંકડા 
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા
Jammu Kashmir Exit Poll : જમ્મુ કાશ્મીરમાં ભાજપ કે કૉંગ્રેસ ગઠબંધન મારશે બાજી, જાણો એક્ઝિટ પોલના આંકડા 
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
'જો આપણે વહેંચાઈ જશું તો વહેંચનારા મહેફિલ સજાવશે', મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પર જોરદાર વરસ્યા PM મોદી
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
હરિયાણામાં કોની બનશે સરકાર? શું કહે છે ફલોદી સટ્ટા બજાર; જાણો કોના પર છે સૌથી વધુ દાવ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
નવરાત્રી પછીના 3 મહિના એબોર્શન માટે લાઈનો લાગે છેઃ જૈન મુનિનો વાણીવિલાસ
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
શું તમને પણ PM કિસાન યોજનાના પૈસા નથી મળ્યા? ફટાફટ કરો આ કામ, તરત હપ્તો આવી જશે
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
રાજ્યની ૫૮૪ ગૌશાળા પાંજરાપોળને ૭૧ કરોડથી વધુની પશુ નિભાવ સહાય અપાઈ
Embed widget