શોધખોળ કરો

મ્યુકરમાઈકોસિસના ઇન્જેક્શનની કાળાબજારી રોકવા સરકાર સક્રિય, હવે 7 શહેરની 8 હોસ્પિટલમાં મળશે આ ઇન્જેક્શન

બ્લેક ફંગસના કેસમાં દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસીસ માટે જરૂરી એમ્ફોટેરિસીન-B ઈંજેક્શનની અછત દૂર કરવા કેંદ્ર સરકાર સક્રિય બની છે.

કોરોના જેમ જેમ કાબુમાં આવી રહ્યો છે તેમ તેમ રાજ્યમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વધતા જતા મ્યુકરમાઈકોસિસના કેસને લઈને તેની સારવાર માટે વપરાતા એમ્ફોટેરેસીન-બી ઈંજેક્શનની માગ વધી છે. જેના કારણે કાળાબજારીયાઓ પણ સક્રિય થયા છે. જેને જોતા રાજ્ય સરકાર હવે ઈંજેક્શનના કાળાબજારને રોકવા માટે એક્શનમાં આવી છે અને હવે મ્યુકરમાઈકોસિસા દર્દીઓને સરકારી હોસ્પિટલોમાંથી એમ્ફોટેરેસીન-બી ઈંજેક્શન સરળતાથી મળી રહે તેવી આરોગ્ય વિભાગે વ્યવસ્થા કરી છે.

અમદાવાદ સહિત રાજ્યના મોટા શહેરોમાં મ્યુકરમાઈકોસિસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ શહેરમાં જ મ્યુકરમાઈકોસિસના કેસમાં વધતા સિવિલમાં આઠ ઓપરેશન થિયેટર શરૂ કરાયા છે. ત્યારે હવે એમ્ફોટેરેસીન બી ઈંજેક્શન હવે અમદાવાદની એસવીપી અને સોલા સિવિલમાં મળશે. જ્યારે ગાંધીનગરના સિવિલ હોસ્પિટલ, ભાવનગરની સર.ટી. હોસ્પિટલ, રાજકોટની પીડીયુ હોસ્પિટલ, જામનગરની જી.જી. હોસ્પિટલ. સુરતની સ્મીમેર હોસ્પિટલ અને વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલમાં ઈંજેક્શનનું વિતરણ કરવામાં આવશે.

બ્લેક ફંગસના કેસમાં દેશમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે મ્યુકરમાઈકોસીસ માટે જરૂરી એમ્ફોટેરિસીન-B ઈંજેક્શનની અછત દૂર કરવા કેંદ્ર સરકાર સક્રિય બની છે. દર્દીઓને કોઈ પણ તકલીફ ન પડે તે માટે 6 લાખ ઈંજેક્શન માટે દેશ અને દુનિયાની કંપનીઓને સરકારે ઓર્ડર આપ્યો છે અને મ્યુકરમાઈકોસીસના ઈંજેક્શન બનાવતી વધુ 5 કંપનીઓને એમ્ફોટેરિસીન-B બનાવવા માટે મંજૂરી આપી છે.

સાથે જે કોઈ પણ ફાર્મા કંપની એમ્ફોટેરિસીન-B ઈંજેક્શન બનાવવા માંગતી હશે તેને પણ સરકાર મંજુરી આપશે. મહત્વનું છે કે 10 દિવસમાં મ્યુકરમાઈકોસીસના કેસમાં 10 ગણો વધારો થયો છે. અગાઉ 500થી 600 કેસ નોંધાતા હતા જે વધીને 1 હજારે પહોંચ્યા છે. દર્દીઓને કોઈ પણ જાતની તફલીફ ન થાય તે માટે દેશ-વિદેશની કંપનીઓને ઓર્ડર આપ્યાની જાણકારી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયાએ આપી છે.

નોંધનીય છે કે, કેન્દ્ર સરકારે ગુરુવારે તમામ રાજ્ય સરકારોને મ્યુકોરમાઈકોસિસ રોગને એપિડેમિક ડિસિઝ એક્ટ 1897 હેઠળ સૂચિત રોગ જાહેર કરવાની વિનંતી કરી હતી. નોટિફાયેબલ ડીસીઝ જાહેર કરવા જરૂરી નિર્ણય લેવા સુચના આપવામાં આવી છે. કેંદ્ર સરકારે તમામ રાજ્યો, સંઘ પ્રદેશોના આરોગ્ય  વિભાગને પત્ર લખ્યો હતો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  

વિડિઓઝ

Rajkot News: રાજકોટમાં બકલાવા ચોકલેટમાં ઈયળ, FSIના નિયમોનો ભંગ કરી ચોકલેટનું વેચાણ
IndiGo Flight Cancelled: દિલ્લી એરપોર્ટથી ઈન્ડિગોની તમામ ફ્લાઈટ રદ
Ambalal Patel Prediction: અંબાલાલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી!
Indigo Flights Cancellation: ઈન્ડિગોની ફ્લાઈટ રદ થતા  અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી
Kutch Earthquake: કચ્છમાં અનુભવાયો ભૂકંપનો આંચકો, ભૂકંપનું કેંદ્રબિંદુ રાપરથી 19 કિમી દૂર નોંધાયું

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
Putin India Visit: ભરોસો ભારત-રશિયા સંબંધોની સૌથી મોટી તાકાત, ઈન્ડો-રશિયા બિઝનેસ ફોરમમાં બોલ્યા PM મોદી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
રાજકુમાર જાટ કેસમાં ગણેશ ગોંડલ અને ટ્રાવેલ્સ ચાલકનો થશે નાર્કો ટેસ્ટ, કોર્ટે આપી મંજૂરી
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
RBI એ Car Loan પર આપી મોટી રાહત, હવે 15 લાખની કાર પર ઓછો થશે EMI 
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
પાકિસ્તાની ખેલાડી સામે ICC એ કરી મોટી કાર્યવાહી, અમ્પાયર સાથે ખરાબ વર્તનને લઈ ફટકાર્યો મોટો દંડ  
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: ઈન્ડિગો સંકટને લઈ એક્શનમાં સરકાર, હેલ્પલાઈન નંબર કર્યા જાહેર 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
IndiGo Flights Cancellation: 'આજે રાતથી નોર્મલ થઈ જશે ઈન્ડિગોની ફ્લાઈટ' એવિએશન મિનિસ્ટ્રીએ આપ્યું મોટું અપડેટ 
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
શું ખતમ થશે IndiGo નું સંકટ? જાણો DGCA એ શું કરી મોટી જાહેરાત
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Indigo Crisis: ફ્લાઈટ લેટ થાય કે રદ, જાણો તમારા શું છે અધિકાર ? એરલાઈન પાસેથી શું-શું માંગી શકો છો તમે 
Embed widget